મોટા સમાચાર ! મહારાષ્ટ્રમાં સોમવારથી ખુલી શકે છે સ્કુલ, શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે આપી આ મહત્વની માહીતી

Maharashtra school reopen: કોરોનાના વધતા જતા સંક્રમણને જોતા રાજ્ય સરકારે રાજ્યની તમામ શાળાઓને 15 ફેબ્રુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. પરંતુ ઘણા શાળા પ્રશાસન અને વાલીઓએ આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી છે.

મોટા સમાચાર ! મહારાષ્ટ્રમાં સોમવારથી ખુલી શકે છે સ્કુલ, શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે આપી આ મહત્વની માહીતી
Maharashtra's School Education Minister Varsha Gaikwad. (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2022 | 9:11 PM

મહારાષ્ટ્રમાં શાળાએ (School in Maharashtra) જતા વિદ્યાર્થીઓ માટે આ મોટા સમાચાર છે. રાજ્યમાં સોમવારથી શાળાઓ ખુલી શકે (School reopening in maharashtra) છે. શિક્ષણ વિભાગે આ સંબંધિત પ્રસ્તાવ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મોકલી આપ્યો છે. શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે આ અંગે માહિતી આપી છે. બુધવારે પત્રકારો સાથે વાત કરતા વર્ષા ગાયકવાડે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીને દરખાસ્ત મોકલવામાં આવી છે કે રાજ્યમાં જ્યાં પણ કોરોનાનું સંક્રમણ ઓછું છે. ત્યાં સ્થાનિક વહીવટીતંત્રને શાળાઓ શરૂ કરવાનો અધિકાર આપવો જોઈએ અને શાળાઓ શરૂ કરવી જોઈએ. એક-બે દિવસમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં રાજ્યમાં સોમવારથી શાળા શરૂ થાય તેવી શક્યતા છે.

કોરોનાના વધતા જતા સંક્રમણને જોતા રાજ્ય સરકારે રાજ્યની તમામ શાળાઓને 15 ફેબ્રુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. પરંતુ ઘણા શાળા પ્રશાસન અને વાલીઓએ આ નિર્ણય અંગે નારાજગી વ્યક્ત કરી છે અને શાળા ખોલવા માટે સોશિયલ મીડિયા પર સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. શાળા પ્રશાસનની માંગ છે કે શાળા બંધ રાખવાને બદલે કોરોનાના નિયમોનું પાલન કરીને શાળા ચાલુ કરવા દેવામાં આવે. આ દરમિયાન, વર્ષા ગાયકવાડે બુધવારે માહિતી આપી હતી કે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓ ખોલવા સંબંધિત પ્રસ્તાવ મુખ્યમંત્રીને મોકલવામાં આવ્યો છે.

કોરોનાના ત્રીજી લહેરના જોખમને જોતા શાળાઓ બંધ કરી દેવામાં આવી છે

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

વર્ષા ગાયકવાડે મીડિયા સાથે વાત કરતાં એમ પણ કહ્યું કે, મુખ્યમંત્રીને મોકલવામાં આવેલી દરખાસ્તમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શાળા શરૂ કરવા માટે કોરોના રસીકરણ અને શિક્ષકો અને શાળાના સ્ટાફનું સંપૂર્ણ રસીકરણ જરૂરી શરત તરીકે સામેલ કરવામાં આવશે. કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને રાજ્યની શાળાઓએ ફરીથી ઓનલાઈન માધ્યમથી અભ્યાસ શરૂ કરવો પડ્યો હતો. પહેલા મુંબઈની શાળાઓ બંધ કરવામાં આવી હતી. આ પછી, તકેદારી રાખીને, અન્ય નગરપાલિકાઓ અને જિલ્લાઓમાં શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આવી સ્થિતિમાં ફરી એકવાર કોરોના સંક્રમણમાં થયેલા ઘટાડાને જોતા શિક્ષણ વિભાગે શાળા શરૂ કરવા માટે મુખ્યમંત્રીને દરખાસ્ત મોકલી છે. તેમને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોરોના સંબંધિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાળાઓ ખોલવાની મંજૂરી આપવા માટે સ્થાનિક વહીવટીતંત્રને સત્તા આપે.

મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ પટોલેએ પણ શાળાઓ ખોલવાના સંકેત આપ્યા 

આ દરમિયાન, મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ પટોલે બુધવારે ‘વેક્સીન ઓન વ્હીલ્સ’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવા પુણે પહોંચ્યા હતા. અહીં પત્રકારો દ્વારા શાળા ખોલવા અંગે પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા. આ પ્રશ્નના જવાબ પર તેમણે કહ્યું કે ગુરુવારે કેબિનેટની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવશે. ચર્ચા બાદ મુખ્યમંત્રી અંતિમ નિર્ણય લેશે.

આ પણ વાંચો : Maharashtra Nagar Panchayat Result: મહારાષ્ટ્રમાં આઘાડી જોરમાં, નાના પટોલેએ પીએમ મોદી પર જ્યા વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતુ ત્યાં કોને મળી કમાન ?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">