OMG : આકાશમાંથી પડ્યો સોનાનો પથ્થર ! આ ખેડુત રાતો-રાત બની ગયો કરોડપતિ

|

Sep 25, 2021 | 5:08 PM

મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જિલ્લાના (Osmanabad district) વાશિમ ગામમાં એક અજીબ ઘટના બની છે.જ્યારે એક ખેડૂત પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક આકાશમાંથી એક સોનાનો પથ્થર પડ્યો. આ ચમત્કાર જોઈને ખેડુત પણ ચોંકી ગયો.

OMG : આકાશમાંથી પડ્યો સોનાનો પથ્થર ! આ ખેડુત રાતો-રાત બની ગયો કરોડપતિ
Golden Stone (File Photo)

Follow us on

Maharashtra : ‘દેને વાલા જબભી દેતા, દેતા છપ્પડ ફાડ કે’ તમે આ કહેવત સાંભળી જ હશે. પરંતુ તમે ભાગ્યે જ સાંભળ્યું હશે કે એક ખેડૂત આકાશમાં વરસાદની રાહ જોઈને બેઠો હોય, પરંતુ વરસાદ પડવાને બદલે આકાશમાંથી સોનાનો પથ્થર (Golden Stone) પડે. મહારાષ્ટ્રના એક ખેડૂત સાથે પણ કંઈક આવું જ થયું છે. આ ચમત્કાર જોઈને ખેડુતની આંખોને પણ વિશ્વાસ નથી આવી રહ્યો.

આકાશમાંથી પડ્યો સોનાનો પથ્થર

તમને જણાવી દઈએ કે, આ ઘટના મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જિલ્લાના (Osmanabad district)વાશિમની છે. શુક્રવારે જ્યારે એક ખેડૂત પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક આકાશમાંથી એક પથ્થર પડ્યો.ખેડૂતથી સાત-આઠ ફૂટના અંતરે પડેલા આ પથ્થર જોઈને ખેડુત ડરી ગયો. પરંતુ બાદમાં ખેડુતે જોયુ તો તેની આંખો ખુલ્લી રહી ગઈ, કારણ કે તે કોઈ સામાન્ય પથ્થર નહોતો. પરંતુ સોનાનો પથ્થર હતો.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

આવી ઘટના પહેલા ક્યારેય બની નથી

આ ઘટનાએ સમગ્ર ઉસ્માનબાદમાં કોતુહલ સર્જ્યુ છે. જંગલમાં લાગેલી આગની જેમ આ સમાચાર સોશિયલ મીડિયા (Social Media) પર પણ વાયરલ થવા લાગ્યા. મળતા અહેવાલ અનુસાર એકદમ સોનાની ચમક ધરાવતો આ પથ્થર (Golden Stone) કિલ્લાઓનો છે. ત્યારે આ ઘટના હાલ લોકોમાં ચર્ચાનો વિષય બની છે.ખેડુતના ખેતરમાં પડેલ આ સોનાનો પથ્થર શું ભગવાનનો કોઈ ચમત્કાર છે ? પરંતુ ગામલોકોના મતે આ વિસ્તારમાં ક્યારેય પણ આ પ્રકારની ઘટના બની નથી.

આકાશમાંથી પથ્થર પડતા ખેડુત ગભરાઈ ગયો

હાલમાં આ પથ્થર તહસીલ કચેરીમાં જમા કરાવવામાં આવ્યો છે. જે ખેડૂતના ખેતરમાં થયેલો આ ચમત્કાર છે કે કોઈ ભૌગોલિક ઘટના તે અંગે લોકો જાણવા ઉત્સુક છે.મહારાષ્ટ્રના (Maharashtra) ઉસ્માનબાદ જિલ્લામાં ભારે વરસાદ થયો છે. આથી જ્યારે ખેડુત પોતાનો પાક લેવા માટે ખેતરે ગયો હતો,ત્યારે આ ઘટના બની હતી.બાદમાં તેણે તરત જ આ અંગેની જાણ તહસીલ કચેરીને કરી હતી.

ભૂ વૈજ્ઞાનિકોનું આ વિશે શું કહેવું છે?

હાલમાં, આ પથ્થરની (Golden Stone) પ્રાથમિક તપાસ બાદ, તેને ભારતના ભૂ વૈજ્ઞાનિક વિભાગને મોકલવામાં આવ્યો છે. શરૂઆતમાં, ભૂસ્તરશાસ્ત્રીઓ તેને ઉલ્કાની ઘટના તરીકે વિચારી રહ્યા છે. પથ્થરની લંબાઈ 7 ઇંચ અને પહોળાઈ 6 ઇંચ છે. તેની જાડાઈ લગભગ સાડા ત્રણ ઇંચ છે.

 

આ પણ વાંચો: કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે, મહારાષ્ટ્રમાં ઓક્સિજનને લઈને જાહેર કરવામાં આવી ગાઈડલાઈન

આ પણ વાંચો:  Maharashtra : સવારે સ્કૂલો અને રાત્રે મંદિરો ખોલવા અંગે મહત્વની જાહેરાત, નવરાત્રી પહેલા સરકારે આપ્યો હેપીનેસનો ડબલ ડોઝ !

Next Article