Maharashtra : સવારે સ્કૂલો અને રાત્રે મંદિરો ખોલવા અંગે મહત્વની જાહેરાત, નવરાત્રી પહેલા સરકારે આપ્યો હેપીનેસનો ડબલ ડોઝ !

શુક્રવારે રાજ્યના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે 4 ઓક્ટોબરથી શાળા ખોલવાની જાહેરાત કરી હતી. સાથે જ ઠાકરે સરકારે 7 ઓક્ટોબરથી રાજ્યના તમામ મંદિરો (Temple) ખોલવા અંગે પણ સંમતિ આપી છે.

Maharashtra : સવારે સ્કૂલો અને રાત્રે મંદિરો ખોલવા અંગે મહત્વની જાહેરાત, નવરાત્રી પહેલા સરકારે આપ્યો હેપીનેસનો ડબલ ડોઝ !
CM Uddhav Thackeray (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 12:42 PM

Maharashtra :  કોરોનાના વઘતા સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્યમાં શાળા ,કોલેજો સહિત તમામ મંદિરો બંધ કરવાની ફરજ પડી હતી.પરંતુ હવે કોરોનાનું સંક્રમણ ઘટતા રાજ્યમાં કોવિડ પ્રતિબંધોમાં (Covid Guidelines) છુટછાટ આપવામાં આવી રહી છે.શુક્રવારે રાજ્યની તમામ શાળાઓ ખોલવા અંગે શિક્ષણ મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.જ્યારે શુક્રવાર સાંજે રાજ્યના તમામ મંદિરો ખોલવા અંગે પરવાનગી મળતા હાલ શ્રધ્ધાળુઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

મહા વિકાસ આઘાડી સરકારની મહત્વની જાહેરાતો 

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહા વિકાસ આઘાડી સરકારની (Thackeray Government) મહત્વની જાહેરાતો પરથી અનુમાન લગાવી શકાય છે કે રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.રાજ્યમાં 4 ઓક્ટોબરેથી શાળાઓ ખુલશે, જ્યારે 7 ઓક્ટોબરથી ભક્તો ભગવાનના દર્શન કરી શકશે. એટલે કે નવરાત્રિની (Navratri) શરૂઆતમાં જ રાજ્યના તમામ મંદિરો અને ઘાટ ખોલવામાં આવશે. એટલું જ નહીં, ઉચ્ચ શિક્ષણ મંત્રી ઉદય સામંતે દિવાળી બાદ કોલેજ શરૂ કરવા અંગે પણ સંમતિ દર્શાવી છે.

કોરોના સંક્રમણ ઘટ્યુ ,છતા રાજ્યમાં ત્રીજી લહેરનો ભય

કોરોનાની બીજી લહેરમાં કોરોનાના તાંડવે હાહાકાર મચાવ્યા બાદ હાલ રાજ્યમાં સ્થિતિ નિયંત્રણમાં છે,જેથી રાજ્યમાં કોરોના પ્રતિબંધોમાં છુટછાટ આપવામાં આવી રહી છે.પરંતુ હજુ કોરોનાની ત્રીજી લહેરના (Covid Third Wave) એંધાણ વર્તાય રહ્યા છે.ત્યારે રાજ્યમાં અગાઉથી જ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયારી શરૂ કરી છે,રાજ્યમાં હોસ્પિટલમાં બેડ સહિત લોકોને કોરોનાની દવા યોગ્ય જથ્થામાં મળી રહે તે માટે તમામ તૈયારી આટોપી લેવામાં આવી છે.

ધાર્મિક સ્થળોની મેનેજમેન્ટ કમિટીઓએ કરવુ પડશે કોરોના ગાઈડલાઈનનું પાલન

આ સંદર્ભમાં વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે, બીજી લહેરનો સામનો કર્યા બાદ હવે અમે સંભવિત ત્રીજી લહેરની તૈયારી શરૂ કરવામાં આવી છે. વધુમાં જણાવ્યુ હતુ કે, અમે ઘણા કિસ્સાઓમાં પ્રતિબંધ હળવા કર્યા છે. હાલમાં કોરોના સંક્રમણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ સાવચેત રહેવું જરૂરી છે. ભક્તો માટે ધાર્મિક સ્થળો (Temple Reopen) ખોલવામાં આવ્યા હોવા છતાં, ત્યાં કોરોનાના નિયમોનું પાલન કરવું પડશે. ધાર્મિક સ્થળોની મેનેજમેન્ટ કમિટીઓએ ફેસ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઇઝેશન વ્યવસ્થા જેવી તમામ જવાબદારીઓ પૂરી કરવી પડશે.

આ પણ વાંચો: Maharashtra: મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં ભાજપને મોટો ફટકો, 11 કોર્પોરેટરો શિવસેનામાં જોડાયા

આ પણ વાંચો: Maharashtra: અઠવાડીયામાં બીજી વખત બોમ્બે હાઈકોર્ટે આપ્યો ઠપકો, રસ્તા પરના ખાડાઓને લઈને કોર્ટે લગાવી ફટકાર

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">