Maharashtra Omicron Alert: મહારાષ્ટ્રમાં ઓમીક્રોનના નવા બે કેસ આવ્યા સામે, રાજ્યમાં દર્દીઓની કુલ સંખ્યા 110

રાજ્યમાં ઓમિક્રોનના 20 કેસ નોંધાયા હતા. દેશભરમાં ઓમિક્રોનના 415 કેસ સામે આવ્યા છે. તેમાંથી 110 કેસ એકલા મહારાષ્ટ્રમાં નોંધાયા છે.

Maharashtra Omicron Alert: મહારાષ્ટ્રમાં ઓમીક્રોનના નવા બે કેસ આવ્યા સામે, રાજ્યમાં દર્દીઓની કુલ સંખ્યા 110
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2021 | 11:20 PM

Maharashtra Omicron Alert: મહારાષ્ટ્રમાં શનિવારે ઓમીક્રોન (Omicron)ના બે નવા કેસ નોંધાયા છે (Two new omicron cases in maharashtra). આ રીતે રાજ્યમાં ઓમિક્રોન કેસની સંખ્યા 108થી વધીને 110 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 57 ઓમિક્રોન દર્દીઓને રજા આપવામાં આવી છે. 53 દર્દીઓની સારવાર શરૂ કરાઈ છે (Maharashtra Corona Update).

આ બે ઓમીક્રોન સંક્રમિત પૈકી એક દુબઈનો પ્રવાસી છે અને બીજો ઓમીક્રોન સંક્રમિત સાથે સંપર્કમાં આવવાથી પોઝિટીવ જોવા મળ્યો છે. પૂણે જિલ્લામાંથી અત્યાર સુધીમાં રાજ્યમાં સૌથી વધુ 41 દર્દીઓ મળી આવ્યા છે. આવી સ્થિતિમાં એવી આશંકા છે કે જે રીતે પૂણે કોરોનાના બીજા મોજામાં હોટ સ્પોટ બન્યું હતું, તે આ વખતે ઓમિક્રોનનું હોટ સ્પોટ ન બની જાય.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

અગાઉ રાજ્યમાં ઓમિક્રોનના 20 કેસ નોંધાયા હતા. દેશભરમાં ઓમિક્રોનના 415 કેસ સામે આવ્યા છે. તેમાંથી 110 કેસ એકલા મહારાષ્ટ્રમાં નોંધાયા છે. રાજ્યમાં અગાઉ નોંધાયેલા 20 ઓમિક્રોન કેસોમાંથી, 11 મુંબઈમાંથી, 6 પૂણેમાંથી, 2 સતારામાં અને 1 અહેમદનગર જિલ્લામાંથી નોંધાયા હતા. તે 20 લોકોમાંથી 15 વિદેશના પ્રવાસીઓ છે, 1 અન્ય રાજ્યનો વ્યક્તિ છે અને બાકીના 4 લોકો તેમના સંપર્કમાં આવવાથી સંક્રમિત થયા છે.

તેમાંથી 1 દર્દીની ઉંમર 18 વર્ષથી ઓછી છે અને 6ની ઉંમર 60 વર્ષથી વધુ છે. તેમાંથી 12 લોકોને રસી આપવામાં આવી છે, 7 લોકોએ રસી લગાવી નથી અને 1 દર્દી ઓછી ઉંમરના કારણે રસી લેવાને પાત્ર નથી. આ રીતે હવે ઔરંગાબાદમાં 2 નવા કેસ ઉમેરાયા છે, જે શનિવારે સામે આવ્યા છે.

મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં નાઈટ કર્ફ્યુ લાદ્યો, મુંબઈમાં પણ નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ

ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાદી દીધો છે. આ અંતર્ગત એક જગ્યાએ 5થી વધુ લોકો એકઠા થઈ શકશે નહીં. આ સિવાય મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈમાં નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો છે. BMCના આ આદેશ હેઠળ કોઈ પણ ખુલ્લી કે બંધ જગ્યાએ ભેગા થઈને નવા વર્ષની પાર્ટી કે ઉજવણીની મંજૂરી નથી. અન્ય આદેશ હેઠળ દુબઈથી આવતા લોકો માટે 7 દિવસનું હોમ ક્વોરેન્ટાઈન જરૂરી રહેશે. આ સાથે તેઓએ RT-PCR ટેસ્ટ પણ કરાવવો પડશે.

આ પણ વાંચો: Free Gift અને કૂપનની લાલચ તમને બનાવી શકે છે કંગાળ, લોભામણી ઓનલાઈન ઑફર્સથી સાવધાન!

આ પણ વાંચો:  Dreams Meaning: સપનામાં દેખાતી આ વસ્તુઓ આપે છે શુભ-અશુભ સંકેત, જાણો વિગત

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">