AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Omicron Alert: મહારાષ્ટ્રમાં ઓમીક્રોનના નવા બે કેસ આવ્યા સામે, રાજ્યમાં દર્દીઓની કુલ સંખ્યા 110

રાજ્યમાં ઓમિક્રોનના 20 કેસ નોંધાયા હતા. દેશભરમાં ઓમિક્રોનના 415 કેસ સામે આવ્યા છે. તેમાંથી 110 કેસ એકલા મહારાષ્ટ્રમાં નોંધાયા છે.

Maharashtra Omicron Alert: મહારાષ્ટ્રમાં ઓમીક્રોનના નવા બે કેસ આવ્યા સામે, રાજ્યમાં દર્દીઓની કુલ સંખ્યા 110
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2021 | 11:20 PM
Share

Maharashtra Omicron Alert: મહારાષ્ટ્રમાં શનિવારે ઓમીક્રોન (Omicron)ના બે નવા કેસ નોંધાયા છે (Two new omicron cases in maharashtra). આ રીતે રાજ્યમાં ઓમિક્રોન કેસની સંખ્યા 108થી વધીને 110 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 57 ઓમિક્રોન દર્દીઓને રજા આપવામાં આવી છે. 53 દર્દીઓની સારવાર શરૂ કરાઈ છે (Maharashtra Corona Update).

આ બે ઓમીક્રોન સંક્રમિત પૈકી એક દુબઈનો પ્રવાસી છે અને બીજો ઓમીક્રોન સંક્રમિત સાથે સંપર્કમાં આવવાથી પોઝિટીવ જોવા મળ્યો છે. પૂણે જિલ્લામાંથી અત્યાર સુધીમાં રાજ્યમાં સૌથી વધુ 41 દર્દીઓ મળી આવ્યા છે. આવી સ્થિતિમાં એવી આશંકા છે કે જે રીતે પૂણે કોરોનાના બીજા મોજામાં હોટ સ્પોટ બન્યું હતું, તે આ વખતે ઓમિક્રોનનું હોટ સ્પોટ ન બની જાય.

અગાઉ રાજ્યમાં ઓમિક્રોનના 20 કેસ નોંધાયા હતા. દેશભરમાં ઓમિક્રોનના 415 કેસ સામે આવ્યા છે. તેમાંથી 110 કેસ એકલા મહારાષ્ટ્રમાં નોંધાયા છે. રાજ્યમાં અગાઉ નોંધાયેલા 20 ઓમિક્રોન કેસોમાંથી, 11 મુંબઈમાંથી, 6 પૂણેમાંથી, 2 સતારામાં અને 1 અહેમદનગર જિલ્લામાંથી નોંધાયા હતા. તે 20 લોકોમાંથી 15 વિદેશના પ્રવાસીઓ છે, 1 અન્ય રાજ્યનો વ્યક્તિ છે અને બાકીના 4 લોકો તેમના સંપર્કમાં આવવાથી સંક્રમિત થયા છે.

તેમાંથી 1 દર્દીની ઉંમર 18 વર્ષથી ઓછી છે અને 6ની ઉંમર 60 વર્ષથી વધુ છે. તેમાંથી 12 લોકોને રસી આપવામાં આવી છે, 7 લોકોએ રસી લગાવી નથી અને 1 દર્દી ઓછી ઉંમરના કારણે રસી લેવાને પાત્ર નથી. આ રીતે હવે ઔરંગાબાદમાં 2 નવા કેસ ઉમેરાયા છે, જે શનિવારે સામે આવ્યા છે.

મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં નાઈટ કર્ફ્યુ લાદ્યો, મુંબઈમાં પણ નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ

ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાદી દીધો છે. આ અંતર્ગત એક જગ્યાએ 5થી વધુ લોકો એકઠા થઈ શકશે નહીં. આ સિવાય મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈમાં નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો છે. BMCના આ આદેશ હેઠળ કોઈ પણ ખુલ્લી કે બંધ જગ્યાએ ભેગા થઈને નવા વર્ષની પાર્ટી કે ઉજવણીની મંજૂરી નથી. અન્ય આદેશ હેઠળ દુબઈથી આવતા લોકો માટે 7 દિવસનું હોમ ક્વોરેન્ટાઈન જરૂરી રહેશે. આ સાથે તેઓએ RT-PCR ટેસ્ટ પણ કરાવવો પડશે.

આ પણ વાંચો: Free Gift અને કૂપનની લાલચ તમને બનાવી શકે છે કંગાળ, લોભામણી ઓનલાઈન ઑફર્સથી સાવધાન!

આ પણ વાંચો:  Dreams Meaning: સપનામાં દેખાતી આ વસ્તુઓ આપે છે શુભ-અશુભ સંકેત, જાણો વિગત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">