AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્રના મંત્રી એકનાથ શિંદે અને સાંસદ અરવિંદ સાવંતને થયો કોરોના, અત્યાર સુધીમાં એક ડઝન મંત્રીઓ સંક્રમણની ચપેટમાં

મહારાષ્ટ્રના શહેરી વિકાસ મંત્રી અને શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદે કોરોનાગ્રસ્ત થયા છે. શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતને પણ કોરોના થયો છે.

મહારાષ્ટ્રના મંત્રી એકનાથ શિંદે અને સાંસદ અરવિંદ સાવંતને થયો કોરોના, અત્યાર સુધીમાં એક ડઝન મંત્રીઓ સંક્રમણની ચપેટમાં
Minister Eknath Shinde and MP Arvind Sawant
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2022 | 1:39 PM
Share

મહારાષ્ટ્રના શહેરી વિકાસ મંત્રી અને શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદે (Eknath Shinde Corona) કોરોનાગ્રસ્ત થયા છે. શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતને (Arvind Sawant) પણ કોરોના થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના ઘણા નેતાઓને કોરોના સંક્રમિત થયાના અહેવાલો સામે આવી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી અજિત પવારે રાજ્યના મંત્રીમંડળના કેટલાક મંત્રીઓ અને ધારાસભ્યોના કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી હતી. આ શ્રેણી સતત વધી રહી છે. હવે આ યાદીમાં મંત્રી એકનાથ શિંદે અને સાંસદ અરવિંદ સાવંતનું નામ જોડાઈ ગયું છે.

એકનાથ શિંદે રાજ્ય કેબિનેટમાં શહેરી વિકાસ મંત્રી અને થાણે જિલ્લાના પાલક મંત્રી છે. અરવિંદ સાવંત કેન્દ્રમાં શિવસેનાના ક્વોટામાંથી મંત્રી રહી ચૂક્યા છે. ભાજપ અને શિવસેનાનું ગઠબંધન તૂટતાં તેમણે રાજીનામું આપ્યું હતું. હાલમાં તેઓ શિવસેનાના સાંસદ છે અને સંજય રાઉત સાથે પાર્ટીના મુખ્ય પ્રવક્તા છે. આ સિવાય એનસીપીના ધારાસભ્ય રોહિત પવાર, શિવસેનાના વરુણ દેસાઈ, ભાજપના ધારાસભ્ય અતુલ ભાતખલકર છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિત જોવા મળેલા નેતાઓમાં સામેલ છે.

છેલ્લા કેટલાક દિવસોથી મારા સંપર્કમાં આવેલા લોકોનો કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ – એકનાથ શિંદે

એકનાથ શિંદેએ સોમવારે મુંબઈ અને નવી મુંબઈમાં વિકાસ કાર્યોની સમીક્ષા કરવા સમગ્ર વિસ્તારનો પ્રવાસ કર્યો હતો. તેમના કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપતા તેણે કહ્યું કે, ‘મેં કોરોના ટેસ્ટ કરાવ્યો છે. ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી સારવાર ચાલુ છે. મારી હાલત સ્થિર છે. તમારા બધાના આશીર્વાદથી હું જલ્દી જ કોરોનાને હરાવીશ અને ફરી એકવાર તમારી સેવામાં હાજર રહીશ. જે લોકો છેલ્લા કેટલાક દિવસોથી મારા સંપર્કમાં આવ્યા છે, તેમનો કોરોના ટેસ્ટ કરાવો અને પોતાની સંભાળ રાખો. મારી અપીલ છે કે તેઓ માસ્કનો ઉપયોગ કરે. તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખો.

બે દિવસ પહેલા એક મીટિંગમાં ડેપ્યુટી સીએમ અજિત પવારે મંત્રીઓ અને નેતાઓના ઝડપી સંક્રમિત થવા અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, જ્યારે સંમેલન 5 દિવસનું હતું ત્યારે 10 થી વધુ મંત્રીઓ અને 20 થી વધુ ધારાસભ્યો કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. જો સંમેલન હજુ થોડા દિવસ ચાલ્યું હોત તો અડધી કેબિનેટ કોરોના પોઝિટિવ થઈ ગઈ હોત. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં ભીડ વધુ જોવા મળશે ત્યાં હું તે કાર્યક્રમમાં હાજરી આપીશ નહીં. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે, જો આપણે નેતાઓ કોરોનાના નિયમોનું પાલન નથી કરતા તો જનતા પાસેથી કયા મોઢે કોરોનાના નિયમોનું પાલન કરવાની અપેક્ષા રાખવી જોઈએ.

આ પણ વાંચો: JEE Advanced 2022: JEE મેઇન વગર પણ આપી શકાશે JEE એડવાન્સ 2022, ત્રીજી તક પણ મળશે

આ પણ વાંચો: Padhe Bharat Campaign: શિક્ષણ મંત્રાલયે ‘પઢે ભારત અભિયાન’ કર્યું શરૂ, પુસ્તકોની પ્રથમ યાદી કરી જાહેર

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">