મહારાષ્ટ્રમાં 31 જુલાઈ સુધી લંબાવાયુ લોકડાઉન, મુંબઈમા માસ્ક નહી પહેરનારે ભરવો પડશે 1000નો દંડ

મહારાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે લોકડાઉન આગામી 31 જુલાઈ સુધી લંબાવવાનો નિર્ણય મહારાષ્ટ્ર સરકારે કર્યો છે. લોકડાઉન દરમિયાન જીવન જરૂરી ચીજવસ્તુની દુકાનો જે પ્રમાણે હાલમાં ખુલે છે તે જ મુજબ 31મી જુલાઈ સુધી ખુલ્લી રાખવાનો આદેશ સરકારે કર્યો છે. મુંબઈમાં માસ્ક નહી પહેરનાર પાસેથી રૂ. 1 હજારનો દંડ વસૂલાશે. સમગ્ર દેશમા કોરોના પોઝીટીવના સૌથી વધુ […]

મહારાષ્ટ્રમાં 31 જુલાઈ સુધી લંબાવાયુ લોકડાઉન, મુંબઈમા માસ્ક નહી પહેરનારે ભરવો પડશે 1000નો દંડ
Follow Us:
| Updated on: Jun 29, 2020 | 1:25 PM

મહારાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે લોકડાઉન આગામી 31 જુલાઈ સુધી લંબાવવાનો નિર્ણય મહારાષ્ટ્ર સરકારે કર્યો છે. લોકડાઉન દરમિયાન જીવન જરૂરી ચીજવસ્તુની દુકાનો જે પ્રમાણે હાલમાં ખુલે છે તે જ મુજબ 31મી જુલાઈ સુધી ખુલ્લી રાખવાનો આદેશ સરકારે કર્યો છે. મુંબઈમાં માસ્ક નહી પહેરનાર પાસેથી રૂ. 1 હજારનો દંડ વસૂલાશે. સમગ્ર દેશમા કોરોના પોઝીટીવના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. રાજ્યના મુખ્ય સચિવ રાજીવ મહેતાએ લોકડાઉનનો સમયગાળો વધારવાનો આદેશ કરતા કહ્યું છે કે કોરોનાનુ સંક્રમણ વધવાની દહેશત છે. તેથી સંક્રમણને કાબુમાં લેવા માટે લોકડાઉન વધારવુ જરૂરી છે. જો કે દુધ, દવા અને શાકભાજીની દુકાનો રોજબરોજ ખોલી શકાશે તો ઓડ અને ઈવન પધ્ધતિએ અન્ય દુકાનો પણ ખોલી શકાશે. આની સાથે સાથે કચેરીઓ માટે કર્મચારીઓની સંખ્યા નિયંત્રીત કરેલ છે તે યથાવત રહેશે. તો જે તે જિલ્લા કે મહાનગરોમાં પરીસ્થિતિ મુજબ જિલ્લા કલેકટર કે મ્યુનિસિપલ કમિશનર યોગ્ય નિર્ણય લઈ શકશે. કોરોનાના કેસ સૌથી વધુ મુંબઈ શહેરમાં જ છે તેથી મુંબઈમાં માસ્ક નહી પહેરનારા પાસેથી રૂ. 1000નો દંડ વસૂલવાનો નિર્ણય કર્યો છે. દંડ વસૂલવા માટે બીએમસી અને પોલીસને દંડનીય કાર્યવાહી કરવાની સત્તા આપી છે.

Latest News Updates

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">