મહારાષ્ટ્ર : સમીર વાનખેડે કેસમાં નવો વળાંક, ઉત્પીડનના દાવા અંગે NCSC એ રાજ્ય સરકાર પાસેથી માંગ્યો રિપોર્ટ

અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય આયોગના સભ્ય સુભાષ રામનાથ પારધીએ જણાવ્યુ હતુ કે, સમીર વાનખેડે દ્વારા તૈયાર કરાયેલા દસ્તાવેજો અને અધિકારીઓ દ્વારા તૈયાર કરાયેલા દસ્તાવેજોમાં રહેલી ખામીઓને સુધારવા માટે રાજ્ય સરકારના અધિકારીઓને આદેશો આપવામાં આવ્યા છે.

મહારાષ્ટ્ર : સમીર વાનખેડે કેસમાં નવો વળાંક, ઉત્પીડનના દાવા અંગે NCSC એ રાજ્ય સરકાર પાસેથી માંગ્યો રિપોર્ટ
Sameer Wankhede (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2022 | 5:53 PM

Maharashtra: અનુસૂચિત જાતિ માટેના રાષ્ટ્રીય આયોગે (National Commission for Scheduled Caste)  મહારાષ્ટ્ર સરકારના અધિકારીઓને ભૂતપૂર્વ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના અધિકારી સમીર વાનખેડે (Sameer Wankhede) દ્વારા કરવામાં આવેલા ઉત્પીડનના દાવા અંગે એક સપ્તાહની અંદર રિપોર્ટ મોકલવા જણાવ્યુ છે. આ સાથે પંચે વાનખેડે કેસમાં એસસી-એસટી એક્ટ (SC ST atrocities act) ઉમેરવાના નિર્દેશ પણ આપ્યા છે. તમને જણાવી દઈએ કે, આ કેસની આગામી સુનાવણી 7 માર્ચે થશે.

નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ કાસ્ટ્સ (NCSC)ના ઉપાધ્યક્ષ અરુણ હલદરે જણાવ્યુ હતુ કે, સમીર વાનખેડે મુદ્દે સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.વધુમાં તેમણે કહ્યું કે આ મામલામાં પંચની બેઠક સ્પીકરે કરવાની હતી, પરંતુ તેઓ પંજાબથી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા હોવાથી આ મામલાની જવાબદારી મને આપવામાં આવી છે. ઉપરાંત અરુણ હલદરે કહ્યુ કે, અમે મહારાષ્ટ્ર સરકાર પાસેથી જે રિપોર્ટ માંગ્યો હતો, તેઓ તેને યોગ્ય રીતે મોકલી શક્યા નથી. તેથી હવે અમે આ મામલે આગામી સુનાવણી માટે 7 માર્ચની તારીખ નક્કી કરવામાં આવી છે.

આયોગે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી

નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ કાસ્ટ્સ (NCSC) ના ઉપાધ્યક્ષ અરુણ હલદરે વધુમાં જણાવ્યુ હતુ કે, “મહારાષ્ટ્ર સરકારે આ મામલે સૌથી મોટી ભૂલ કરી છે તે એ છે કે ફરિયાદના આધારે, તેઓએ SC/ST એટ્રોસિટી એક્ટનો આગ્રહ રાખવો જોઈતો હતો, પરંતુ તેમણે કર્યું નહિ. આ એક મોટી ભૂલ છે જે રાજ્ય સરકારે કરી છે. આથી તેણે સમીર વાનખેડે દ્વારા કરવામાં આવેલા ઉત્પીડનના દાવા પર એટ્રોસિટી એક્ટ ઉમેર્યા બાદ 7 દિવસમાં કમિશનને રિપોર્ટ મોકલવા જણાવવામાં આવ્યુ છે. અન્યથા અમે કડક કાર્યવાહી કરીશું.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

સમીર વાનખેડેની ફરિયાદમાં SC-ST એક્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી

અનુસૂચિત જાતિ માટેના રાષ્ટ્રીય આયોગના સભ્ય સુભાષ રામનાથ પારધીએ જણાવ્યુ હતુ કે, સમીર વાનખેડે દ્વારા તૈયાર કરાયેલા દસ્તાવેજો અને અધિકારીઓ દ્વારા તૈયાર કરાયેલા દસ્તાવેજોમાં રહેલી ખામીઓને સુધારવા માટે રાજ્ય સરકારના અધિકારીઓને આદેશો આપવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારની સ્ક્રુટિની કમિટી સમીર વાનખેડેની જાતિની ઓળખની તપાસ કરી રહી છે, જે પણ તથ્યો બહાર આવશે તે તપાસનો વિષય છે, પરંતુ મુખ્ય વાત એ છે કે અધિકારીઓએ એ સાબિત કર્યું નથી કે તે અનુસૂચિત જાતિના છે કે નહીં.

આ પણ વાંચો : Maharashtra Corona Rules: કોરોના પ્રતિબંધો થયા હળવા, 50 ટકા ક્ષમતા સાથે ખુલ્યા સ્પા, સલુન, સ્વીમીંગ પુલ

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">