AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્ર : સમીર વાનખેડે કેસમાં નવો વળાંક, ઉત્પીડનના દાવા અંગે NCSC એ રાજ્ય સરકાર પાસેથી માંગ્યો રિપોર્ટ

અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય આયોગના સભ્ય સુભાષ રામનાથ પારધીએ જણાવ્યુ હતુ કે, સમીર વાનખેડે દ્વારા તૈયાર કરાયેલા દસ્તાવેજો અને અધિકારીઓ દ્વારા તૈયાર કરાયેલા દસ્તાવેજોમાં રહેલી ખામીઓને સુધારવા માટે રાજ્ય સરકારના અધિકારીઓને આદેશો આપવામાં આવ્યા છે.

મહારાષ્ટ્ર : સમીર વાનખેડે કેસમાં નવો વળાંક, ઉત્પીડનના દાવા અંગે NCSC એ રાજ્ય સરકાર પાસેથી માંગ્યો રિપોર્ટ
Sameer Wankhede (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2022 | 5:53 PM
Share

Maharashtra: અનુસૂચિત જાતિ માટેના રાષ્ટ્રીય આયોગે (National Commission for Scheduled Caste)  મહારાષ્ટ્ર સરકારના અધિકારીઓને ભૂતપૂર્વ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના અધિકારી સમીર વાનખેડે (Sameer Wankhede) દ્વારા કરવામાં આવેલા ઉત્પીડનના દાવા અંગે એક સપ્તાહની અંદર રિપોર્ટ મોકલવા જણાવ્યુ છે. આ સાથે પંચે વાનખેડે કેસમાં એસસી-એસટી એક્ટ (SC ST atrocities act) ઉમેરવાના નિર્દેશ પણ આપ્યા છે. તમને જણાવી દઈએ કે, આ કેસની આગામી સુનાવણી 7 માર્ચે થશે.

નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ કાસ્ટ્સ (NCSC)ના ઉપાધ્યક્ષ અરુણ હલદરે જણાવ્યુ હતુ કે, સમીર વાનખેડે મુદ્દે સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.વધુમાં તેમણે કહ્યું કે આ મામલામાં પંચની બેઠક સ્પીકરે કરવાની હતી, પરંતુ તેઓ પંજાબથી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા હોવાથી આ મામલાની જવાબદારી મને આપવામાં આવી છે. ઉપરાંત અરુણ હલદરે કહ્યુ કે, અમે મહારાષ્ટ્ર સરકાર પાસેથી જે રિપોર્ટ માંગ્યો હતો, તેઓ તેને યોગ્ય રીતે મોકલી શક્યા નથી. તેથી હવે અમે આ મામલે આગામી સુનાવણી માટે 7 માર્ચની તારીખ નક્કી કરવામાં આવી છે.

આયોગે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી

નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ કાસ્ટ્સ (NCSC) ના ઉપાધ્યક્ષ અરુણ હલદરે વધુમાં જણાવ્યુ હતુ કે, “મહારાષ્ટ્ર સરકારે આ મામલે સૌથી મોટી ભૂલ કરી છે તે એ છે કે ફરિયાદના આધારે, તેઓએ SC/ST એટ્રોસિટી એક્ટનો આગ્રહ રાખવો જોઈતો હતો, પરંતુ તેમણે કર્યું નહિ. આ એક મોટી ભૂલ છે જે રાજ્ય સરકારે કરી છે. આથી તેણે સમીર વાનખેડે દ્વારા કરવામાં આવેલા ઉત્પીડનના દાવા પર એટ્રોસિટી એક્ટ ઉમેર્યા બાદ 7 દિવસમાં કમિશનને રિપોર્ટ મોકલવા જણાવવામાં આવ્યુ છે. અન્યથા અમે કડક કાર્યવાહી કરીશું.

સમીર વાનખેડેની ફરિયાદમાં SC-ST એક્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી

અનુસૂચિત જાતિ માટેના રાષ્ટ્રીય આયોગના સભ્ય સુભાષ રામનાથ પારધીએ જણાવ્યુ હતુ કે, સમીર વાનખેડે દ્વારા તૈયાર કરાયેલા દસ્તાવેજો અને અધિકારીઓ દ્વારા તૈયાર કરાયેલા દસ્તાવેજોમાં રહેલી ખામીઓને સુધારવા માટે રાજ્ય સરકારના અધિકારીઓને આદેશો આપવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારની સ્ક્રુટિની કમિટી સમીર વાનખેડેની જાતિની ઓળખની તપાસ કરી રહી છે, જે પણ તથ્યો બહાર આવશે તે તપાસનો વિષય છે, પરંતુ મુખ્ય વાત એ છે કે અધિકારીઓએ એ સાબિત કર્યું નથી કે તે અનુસૂચિત જાતિના છે કે નહીં.

આ પણ વાંચો : Maharashtra Corona Rules: કોરોના પ્રતિબંધો થયા હળવા, 50 ટકા ક્ષમતા સાથે ખુલ્યા સ્પા, સલુન, સ્વીમીંગ પુલ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">