AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : હવેથી હડતાળ પર નહિં જઈ શકે વીજ કર્મચારીઓ, સરકારે લાગુ કર્યો આ કાયદો

રાજ્ય પ્રશાસને તેની સૂચનામાં સ્પષ્ટ કર્યું છે કે આ સરકારી વીજ કંપનીઓના અધિકારીઓ, કર્મચારીઓની સેવાઓ આવશ્યક સેવાઓની શ્રેણીમાં આવે છે. તેથી તેમના હડતાળ પર જવા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

Maharashtra : હવેથી હડતાળ પર નહિં જઈ શકે વીજ કર્મચારીઓ, સરકારે લાગુ કર્યો આ કાયદો
File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 1:31 PM
Share

Maharashtra : મહારાષ્ટ્રની સરકારી વીજ કંપનીઓમાં (Government power company)કામ કરતા એન્જિનિયરો, ટેકનિશિયન, કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ અને મજૂરોએ રવિવારે રાત્રે 12 વાગ્યાથી બે દિવસીય હડતાળ (28 અને 29 માર્ચ) પર જવાની જાહેરાત કરી હતી. પરંતુ રાજ્ય સરકારે મહારાષ્ટ્ર એસેન્શિયલ સર્વિસ મેન્ટેનન્સ એક્ટ-મેસ્મા  (Maharashtra Essential Services Maintenance Act-MESMA) લાગુ કરીને પાવર કંપનીઓના અધિકારીઓ-કર્મચારીઓ અને કામદારોને હડતાળ પર જવા પર પ્રતિબંધ મૂક્યો છે. જેના કારણે હવે સૂચિત હડતાળ શરૂ કરવાની મનાઈ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ,રાજ્ય પ્રશાસને રવિવારે એક સૂચના જાહેર કરીને આ આદેશ જાહેર કર્યો છે.હાલ રાજ્ય સરકારમાં ઉર્જા મંત્રી ડૉ. નીતિન રાઉત (Dr.nitin raut)છે.

આ કારણે હડતાળ પર જવાની મનાઈ

રાજ્ય પ્રશાસને તેની સૂચનામાં સ્પષ્ટ કર્યું છે કે, આ સરકારી વીજ કંપનીઓના અધિકારીઓ, કર્મચારીઓની સેવાઓ આવશ્યક સેવાઓની શ્રેણીમાં આવે છે. તેથી આ અધિકારીઓ અને કર્મચારીઓને મહારાષ્ટ્ર આવશ્યક સેવાઓ જાળવણી કાયદો લાગુ પડે છે. આવી સ્થિતિમાં તેમને હડતાળ પર જવાની મનાઈ છે.

સાથે જ ઉર્જા મંત્રી ડો.નિતીન રાઉતે ખાતરી આપી છે કે રાજ્યની વીજ કંપનીઓનું કોઈપણ સંજોગોમાં ખાનગીકરણ કરવામાં આવશે નહીં. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા વીજ કંપનીઓના ખાનગીકરણના પ્રયાસોનો રાજ્ય સરકારના ઉર્જા વિભાગ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે. વધતા જતા તાપમાન,ધો. 10 અને 12ની પરીક્ષા, વિવિધ પાકો માટે સિંચાઈની જરૂરિયાતોને કારણે રાજ્યના લોકોને સતત વીજ પુરવઠો મળી રહે તે બાબતને ધ્યાનમાં રાખીને અધિકારીઓ, કર્મચારીઓ અને 10મી અને 12ની સૂચિત હડતાલ પર પૂર્ણવિરામ મુકવામાં આવ્યો છે.

સરકાર વીજ કંપનીઓના કર્મચારીઓ સામે કાર્યવાહી પણ કરી શકે

તમને જણાવી દઈએ કે, રાજ્યની વિવિધ સરકારી વીજ કંપનીઓના અધિકારીઓ, કર્મચારીઓ અને કામદારો તેમની વિવિધ માંગણીઓ માટે 28 માર્ચ અને 29 માર્ચ હડતાળ પર જવાના હતા. પરંતુ અચાનક રાજ્ય સરકાર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને આદેશ આપવામાં આવ્યો છે કે મેસ્મા હેઠળ હડતાળ પર જવા પર પ્રતિબંધ છે. હવે જો અધિકારીઓ, કર્મચારીઓ અને કામદારો હડતાળ પર જાય તો તેઓ મેસા કાયદાનો ભંગ કરે છે. આ સાથે સરકાર તેમની સામે કાર્યવાહી પણ કરી શકે છે.

આ પણ વાંચો : મહા વિકાસ અઘાડીમાં એનસીપી વરરાજા, શિવસેના કન્યા અને કોંગ્રેસ છે જાનૈયા, બીજેપી સાંસદે ઠાકરે સરકારની આ રીતે ઉડાવી મજાક

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">