Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્રના રાજ્યપાલ બંને પવારના નિશાના પર, પીએમ મોદીની હાજરીમાં ડેપ્યુટી સીએમએ ઘેર્યા, શરદ પવારે પણ કર્યા પ્રહાર

શરદ પવારે કહ્યું, કેટલીકવાર પદ પરના લોકો પણ નથી જાણતા કે તેમના પદની પ્રતિષ્ઠા અને સત્તા વચ્ચે કેવી રીતે સંતુલન રાખવું. તેમણે સાવિત્રીબાઈ ફુલે વિશે પણ એવા નિવેદનો આપ્યા છે. લોકો કહે છે. તેમનું શું કરવાનું છે? મેં કહ્યું છોડી દો તેમને. તેમને કંઈ કહેવાનો કોઈ ફાયદો નથી.

મહારાષ્ટ્રના રાજ્યપાલ બંને પવારના નિશાના પર, પીએમ મોદીની હાજરીમાં ડેપ્યુટી સીએમએ ઘેર્યા, શરદ પવારે પણ કર્યા પ્રહાર
Sharad Pawar, Bhagat Singh & Koshyari Ajit Pawar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2022 | 10:53 PM

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના (Bhagat Singh Koshyari) છત્રપતિ શિવાજી મહારાજ અને સાવિત્રીબાઈ ફુલે પરના નિવેદન બાદ મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. મહા વિકાસ  અઘાડીના નેતાઓ દ્વારા તેમના પર સતત પ્રહારો થઈ રહ્યા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે (Ajit Pawar) રવિવારે પૂણેમાં પીએમ નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) સામે રાજ્યપાલના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી હતી. જો કે અજિત પવારે રાજ્યપાલનું નામ લીધું ન હતું. અજિત પવાર બાદ NCP ચીફ શરદ પવારે ફરી એકવાર રાજ્યપાલના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ એક સભામાં કહ્યું હતું કે જો રામદાસ સ્વામી સમર્થ ન હોત તો છત્રપતિ શિવાજી મહારાજને કોણ પૂછત.

શરદ પવારે શનિવારે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ‘રાજ્યપાલના નિવેદન પર કંઈ ન બોલવું સારું રહેશે. કેન્દ્ર સરકાર કયા સ્તર સુધી નીચે આવી શકે છે, તેનું ઉદાહરણ મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યું છે. રવિવારે પણ શરદ પવારે ઉસ્માનાબાદમાં એક કાર્યક્રમમાં બોલતા રાજ્યપાલ ભગત સિંહ કોશિયારી પર નિશાન સાધ્યું હતું.

‘લોકોએ મને પૂછ્યું, હવે શું કરવું? મેં કહ્યું, છોડી દો તેમને’

શરદ પવારે કહ્યું, કેટલીકવાર પદ પરના લોકો પણ નથી જાણતા કે તેમના પદની પ્રતિષ્ઠા અને સત્તા વચ્ચે કેવી રીતે સંતુલન રાખવું. તેમણે સાવિત્રીબાઈ ફુલે વિશે પણ એવા નિવેદનો આપ્યા છે. લોકો પુુછે છે કે તેમનું શું કરવાનું છે? મેં કહ્યું છોડી દો તેમને. તેમને કંઈ કહેવાનો કોઈ ફાયદો નથી. તેમની પાસેથી કંઈક સાચું બોલવાની અપેક્ષા રાખવી નકામી છે. તેથી, તેઓએ જે કહ્યું છે તેના પર વધુ વિચારવાની જરૂર નથી.

ઈસુને ફાંસી આપવાનો આદેશ કોણે આપ્યો હતો ?
Vastu Tips : ઘરના મંદિરમાં રાખો આ એક વસ્તુ, બદલાઈ જશે તમારી કિસ્મત
5G Unlimited ડેટા વાળો સૌથી સસ્તો પ્લાન ! Jio લાવ્યું મોટી ઓફર
રોહિત શર્માએ વાનખેડેમાં રચ્યો ઈતિહાસ, આવું કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો
કથાકાર જયા કિશોરી લવ મેરેજ કરશે કે અરેન્જડ મેરેજ... કહી આ મોટી વાત
આથિયા શેટ્ટીએ દીકરીની પહેલી ઝલક બતાવી, જુઓ ફોટો

ડેપ્યુટી સીએમ અજિત પવારે પીએમ મોદી સામે કરી ફરિયાદ

આ પહેલા રવિવારે પુણેમાં પીએમ મોદીની હાજરીમાં ડેપ્યુટી સીએમ અજિત પવારે કહ્યું હતું કે, હું એક વાત પીએમના ધ્યાન પર લાવવા માંગુ છું. આજકાલ મહત્વના હોદ્દા પર બેઠેલા પ્રતિષ્ઠિત લોકો બિનજરૂરી નિવેદનો કરી રહ્યા છે. આવા નિવેદનો મહારાષ્ટ્રના કોઈ પણ વ્યક્તિને શોભે તેવા નથી. મનમાં કોઈ પણ પ્રકારનો દ્વેષ રાખ્યા વિના, વિકાસના કામમાં રાજનીતિ કર્યા વિના આ વારસાને આગળ લઈ જવાનો છે.

આ પણ વાંચો :  PM Modi in Pune: યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના પરત આવવા પર PM મોદીએ કહ્યું, ‘અન્ય દેશો જે ન કરી શક્યા, તે ભારતે ઓપરેશન ગંગાથી કર્યું’

g clip-path="url(#clip0_868_265)">