AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Omicron Guidelines: વિદેશથી મહારાષ્ટ્ર આવતા લોકો માટે જાહેર થઈ નવી માર્ગદર્શિકા, મુંબઈમાં બે ઓમિક્રોન સંક્રમિત મળ્યા બાદ રાજ્ય સરકારનો મોટો નિર્ણય

મહારાષ્ટ્ર સરકારે જે 11 દેશોને ઉચ્ચ જોખમની યાદીમાં મૂક્યા છે તેમાં સમગ્ર યુરોપ અને બ્રિટન પ્રથમ સ્થાને છે. બીજા નંબર પર સાઉથ આફ્રિકા છે. બાકીના દેશોમાં બ્રાઝિલ, બોત્સ્વાના, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, સિંગાપોર, હોંગકોંગ, ઝિમ્બાબ્વે, ઈઝરાયેલ, ચીન છે.

Maharashtra Omicron Guidelines: વિદેશથી મહારાષ્ટ્ર આવતા લોકો માટે જાહેર થઈ નવી માર્ગદર્શિકા, મુંબઈમાં બે ઓમિક્રોન સંક્રમિત મળ્યા બાદ રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Maharashtra CM Uddhav Thackeray
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2021 | 4:49 PM
Share

મુંબઈમાં બે લોકો ઓમિક્રોનથી સંક્રમિત (Omicron in Mumbai)  હોવાનું જાણવા મળ્યું છે. હવે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કેસ (Omicron in Maharashtra) વધીને 10 થઈ ગયા છે. આનાથી મહારાષ્ટ્ર સરકારની ચિંતા વધી ગઈ છે. ત્રણ દિવસમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા એકથી દસ સુધી પહોંચ્યા પછી, રાજ્ય સરકારે વિદેશથી આવતા લોકો માટે સુધારેલ અને વધુ કડક માર્ગદર્શિકા (Maharashtra Omicron Guidelines) બહાર પાડી છે.

વધી રહેલા ઓમિક્રોન સંક્રમણને રોકવા માટે, રાજ્ય સરકારે 11 દેશોને ઉચ્ચ જોખમી દેશોની યાદીમાં મૂક્યા છે. ખાસ કરીને આ દેશોમાંથી આવતા લોકો માટે નિયમો વધુ કડક રાખવામાં આવ્યા છે. ઓમિક્રોનના ખતરાને જોતા રાજ્ય સરકારે 30 નવેમ્બરે માર્ગદર્શિકા બહાર પાડી હતી. સમાન માર્ગદર્શિકાઓમાં સુધારા કરવામાં આવ્યા છે. 30 નવેમ્બરની માર્ગદર્શિકામાં 2 ઉચ્ચ જોખમ ધરાવતા દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે આ સંખ્યા વધીને 11 થઈ ગઈ છે.

આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે મહારાષ્ટ્ર સરકારની નવી માર્ગદર્શિકા

આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા સુધારેલા નિયમો હેઠળ હવે વિદેશથી આવતા તમામ લોકોએ RT-PCR ટેસ્ટ કરાવવો જરૂરી બનશે. જો કોઈ વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળે છે, તો તેને કડક રીતે ક્વોરન્ટાઈન કરવામાં આવશે. રાજ્ય પ્રશાસનના નિયમો અનુસાર તેને સારવાર કરાવવી પડશે. જ્યાં સુધી સંબંધિત ઓમિક્રોન સંક્રમિત દર્દીનો રિપોર્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી સારવાર ચાલુ રહેશે. રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ સાત દિવસ માટે હોમ ક્વોરેન્ટાઇન રહેશે. આ પછી, આઠમા દિવસે ફરી એકવાર પરીક્ષણ કરવામાં આવશે.

મહારાષ્ટ્ર સરકારની યાદીમાં આ છે ઉચ્ચ જોખમ ધરાવતા દેશો 

મહારાષ્ટ્ર સરકારે જે 11 દેશોને ઉચ્ચ જોખમની યાદીમાં મૂક્યા છે તેમાં સમગ્ર યુરોપ અને બ્રિટન પ્રથમ સ્થાને છે. બીજા નંબર પર સાઉથ આફ્રિકા છે. બાકીના દેશોમાં બ્રાઝિલ, બોત્સ્વાના, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, સિંગાપોર, હોંગકોંગ, ઝિમ્બાબ્વે, ઈઝરાયેલ અને ચીન છે.

હવે મહારાષ્ટ્રમાં RT-PCR ટેસ્ટનો રેટ 350 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે

જણાવી દઈએ કે સોમવારે મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગે RT-PCR ટેસ્ટના દરમાં ઘટાડો કર્યો છે. અત્યાર સુધી RT-PCR ટેસ્ટ કોઈપણ ખાનગી લેબમાં 500 રૂપિયામાં કરવામાં આવતો હતો. હવે તેના માટે માત્ર 350 રૂપિયા ચૂકવવા પડશે. એટલે કે હવે કોઈપણ ખાનગી લેબ આ ટેસ્ટ માટે 350 રૂપિયાથી વધુની માંગ કરી શકશે નહીં.

આ પણ વાંચો :  RTPCR Test Price: મહારાષ્ટ્રમાં RTPCR ટેસ્ટના ભાવમાં વધુ ઘટાડો, હવે 500ને બદલે 350 રૂપિયામાં મળી જશે કોરોના રિપોર્ટ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">