મહારાષ્ટ્રમાં કોંગ્રેસને ફરી ઝટકો, પૂર્વ મંત્રી બાબા સિદ્દીકી NCPમાં જોડાયા

|

Feb 10, 2024 | 9:52 PM

સિદ્દીકીએ કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસ સાથે સંબંધો તોડ્યા બાદ બાબા સિદ્દીકી હવે NCPમાં જોડાઈ ગયા છે. તેઓ પ્રફુલ્લ પટેલ, અજિત પવાર અને સુનીલ તટકરેની હાજરીમાં NCPમાં જોડાયા હતા. બાબા સિદ્દીકી 48 વર્ષથી કોંગ્રેસ પાર્ટીમાં કામ કરી રહ્યા હતા.

મહારાષ્ટ્રમાં કોંગ્રેસને ફરી ઝટકો, પૂર્વ મંત્રી બાબા સિદ્દીકી NCPમાં જોડાયા
Baba Siddiqui

Follow us on

લોકસભાની ચૂંટણીના પગલે કોંગ્રેસને એક પછી એક ઝટકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. મિલિંદ દેવરા પછી વરિષ્ઠ નેતા બાબા સિદ્દીકીએ કોંગ્રેસ સાથે નાતો તોડી નાખ્યો છે. કોંગ્રેસ સાથે સંબંધો તોડ્યા બાદ બાબા સિદ્દીકી હવે NCPમાં જોડાઈ ગયા છે. તેઓ પ્રફુલ્લ પટેલ, અજિત પવાર અને સુનીલ તટકરેની હાજરીમાં NCPમાં જોડાયા હતા. બાબા સિદ્દીકી 48 વર્ષથી કોંગ્રેસ પાર્ટીમાં કામ કરી રહ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી એવી વાતો ચાલી રહી હતી કે બાબા સિદ્દીકી પાર્ટીમાં નાખુશ છે.

સિદ્દીકીએ કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ બાબા સિદ્દીકી મહાગઠબંધનમાં સામેલ થવાની ચર્ચા હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ શનિવારે NCPના અજિત પવાર જૂથમાં જોડાયા હતા.

બાબા સિદ્દીકીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું

લગભગ 50 વર્ષ સુધી પાર્ટીના સભ્ય રહ્યા પછી ગુરુવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની જાહેરાત કર્યા પછી, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન બાબા સિદ્દીકી શનિવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અજિત પવાર જૂથમાં જોડાયા. સિદ્દીકી મુંબઈ કોંગ્રેસનો એક જાણીતો ચહેરો હતો. જ્યારે કોંગ્રેસ-એનસીપી ગઠબંધન સત્તામાં હતું ત્યારે મંત્રી તરીકે કામ કર્યું હતું.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

સિદ્દીકીના પુત્ર હાલમાં બાંદ્રા (પૂર્વ), મુંબઈથી કોંગ્રેસના ધારાસભ્ય છે. બાબા સિદ્દીકી વર્ષ 1999, 2004 અને 2009માં સતત ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમણે ખાદ્ય અને નાગરિક પુરવઠા, શ્રમ અને FDA (2004-08) રાજ્ય મંત્રી તરીકે પણ સેવા આપી હતી અને અગાઉ બે વખત મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે સેવા આપી હતી.

આ ઉપરાંત તેઓ મુંબઈ પ્રાદેશિક કોંગ્રેસ સમિતિ અને મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંસદીય બોર્ડના પ્રમુખ અને વરિષ્ઠ ઉપાધ્યક્ષ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.

કોંગ્રેસને એક મહિનામાં બે ઝટકા

14 જાન્યુઆરીએ મિલિંદ દેવરાએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. મિલિંદ દેવરાએ ટ્વિટર પર જાહેરાત કરી હતી કે તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપી રહ્યા છે. ત્યારપછી એ જ દિવસે બપોરે દેવરા શિવસેના શિંદે જૂથમાં જોડાઈ ગયા. આ પછી બાબા સિદ્દીકીની નારાજગીની ખૂબ ચર્ચા થઈ હતી.

બાબા સિદ્દીકી પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને NCPમાં જોડાયા હતા. લોકસભાની ચૂંટણી નજીકમાં છે. લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ થોડા દિવસોમાં જાહેર થાય તેવી શક્યતા છે. ત્યારે મુંબઈમાં બે મોટા નેતાઓએ કોંગ્રેસ સાથે સંબંધો તોડી નાખ્યા છે.

Published On - 9:13 pm, Sat, 10 February 24

Next Article