AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : થાણે જિલ્લાના એક મેરેજ હોલમાં ભીષણ આગ, જાનહાની નહી પણ કેટલાક વાહનો બળીને ખાખ

મેરેજ હોલમાં લાગેલી આગના કારણે આસપાસના કેટલાક વાહનો પણ બળીને ખાખ થયા હતા. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા હાલ આગને કાબુ કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

Maharashtra : થાણે જિલ્લાના એક મેરેજ હોલમાં ભીષણ આગ, જાનહાની નહી પણ કેટલાક વાહનો બળીને ખાખ
File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2021 | 7:02 AM
Share

Maharashtra:  મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડીમાં રવિવારે મોડી રાત્રે અન્સારી મેરેજ હોલમાં (Ansari Marriage Hall) આગ લાગી હતી. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને (Thane Municipal Corporation)  જણાવ્યું કે, ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે છે. જો કે સદનસીબે ઘટનામાં કોઈ જાન હાનિ થઈ હોવાના કોઈ અહેવાલ નથી. ઉલ્લેખનીય છે કે, મેરેજ હોલમાં લાગેલી આગના કારણે આસપાસના કેટલાક વાહનો પણ બળીને ખાખ થઈ ગયા હતા.હાલ આગને કાબુ કરવા ફાયર બ્રિગેડની ટીમ જોતરાઈ છે.

ક્યારે અટકશે આગનો સિલસિલો ?

આ પહેલા થાણેના મુરબાડ વિસ્તારની તહેસીલ ઓફિસ પાસે ફર્નિચર બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આ આગ રાત્રે આઠ વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પરંતુ આગની જ્વાળાઓ ખૂબ જ ઉંચી હોવાથી ફાયર બ્રિગેડની (Fire Brigade) ટીમને આગ ઓલવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.આ આગમાં કોઈ જાનહાની થઈ નહોતી.પરંતુ આ આગમાં સંપૂર્ણ ફેક્ટરી બળીને ખાખ થઈ ગઈ હતી.

અહેમદનગર સિવિલ હોસ્પિટમાં લાગેલી આગમા જિંદગી હોમાઈ

મહારાષ્ટ્રના અહમદનગરમાં 6નવેમ્બરના રોજ સિવિલ હોસ્પિટલના ICU વોર્ડમાં ભીષણ આગ લાગી હતી, જેમાં કોરોનાનાં 10 દર્દીઓના મોત થયા હતા, જ્યારે આ આગમાં અનેક લોકો ઘાયલ થયા. આ ઘટના અંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.ત્યારે રાજ્યમાં વારંવાર આગને લઈને હાલ તંત્રની કામગિરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ચિંતાના વાદળો, થાણેમાં ઓમીક્રોન વેરીઅન્ટની એન્ટ્રી ? જાણો શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો : Maharashtra: મુંબઈ પોલીસે ડ્રગ્સ સ્મગલર અજમલ તોતલાની ધરપકડ કરી, જેનો ઉલ્લેખ ડ્રગ્સ કેસમાં નવાબ મલિકે કર્યો છે

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">