Maharashtra Corona Update: મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત, એક જ દિવસમાં 12 હજારનો આંકડો પાર, ઓમિક્રોનના 68 નવા કેસ

સોમવારે મહારાષ્ટ્રમાં 12,160 કોરોના કેસ નોંધાયા હતા. આ ઉપરાંત 68 ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ પણ મળી આવ્યા હતા. આ સિવાય સોમવારે કોરોનાને કારણે 11 લોકોના મોત પણ થયા હતા.

Maharashtra Corona Update: મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત, એક જ દિવસમાં 12 હજારનો આંકડો પાર, ઓમિક્રોનના 68 નવા કેસ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2022 | 11:26 PM

મહારાષ્ટ્રમાં (Maharashtra) કોરોનાનો કહેર યથાવત છે. આ ઉપરાંત ઓમિક્રોનનું (Omicron) જોખમ પણ ભારે છે. સોમવારે મહારાષ્ટ્રમાં 12,160 કોરોના કેસ નોંધાયા હતા. આ સિવાય 68 ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ પણ મળી આવ્યા હતા. સોમવારે કોરોનાને (Corona Cases) કારણે 11 લોકોના મોત પણ થયા હતા. રવિવારે પણ કોરોનાના લગભગ 12 હજાર કેસ (11 હજાર 877) નોંધાયા હતા.

સતત બીજા દિવસે 12 હજારની નજીકનો આંકડો સામે આવ્યો છે. રવિવારે 9 લોકોના મોત થયા હતા. આ આંકડો ફરી એકવાર મોટા જોખમનો સંકેત આપી રહ્યો છે. મહારાષ્ટ્રમાં સરકારના સભ્યોને પણ કોરોના ઝડપથી સંક્રમિત કરી રહ્યો છે. વધુ ચાર ધારાસભ્યો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ રીતે રાજ્યમાં 10 મંત્રીઓ ઉપરાંત હવે 25 ધારાસભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે.

મુંબઈમાં સતત બીજા દિવસે કોરોનાના 8,000 થી વધુ કેસ

કોરોનાના 12 હજારથી વધુ કેસોમાં એકલા મુંબઈમાં 8 હજાર 82 કેસ નોંધાયા છે. ઓમિક્રોન કેસની વાત કરીએ તો, કુલ 68 કેસમાંથી મુંબઈમાં જ 40 લોકો  ઓમિક્રોન પોઝિટિવ જોવા મળ્યા છે. મહારાષ્ટ્રના અડધાથી વધુ કોરોના-ઓમીક્રોન સંક્રમણ એકલા મુંબઈમાંથી સામે આવી રહ્યા છે. રવિવારે પણ મુંબઈમાં આઠ હજારથી વધુ કેસ (8063) નોંધાયા હતા.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ઓમિક્રોનની આફત સામે ઝઝૂમી રહ્યું છે મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં ઓમિક્રોન સંકટની વાત કરીએ તો મુંબઈમાં 40 કેસની સાથે પુણેમાં પણ 14 કેસ નોંધાયા છે. નાગપુરમાં 4 ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે. પુણે ગ્રામીણ અને પનવેલમાં ઓમિક્રોનના 3-3 કેસ નોંધાયા છે. કોલ્હાપુર, નવી મુંબઈ, સતારા, રાયગઢમાંથી 1-1 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 578 ઓમિક્રોનના દર્દીઓ નોંધાયા છે. તેમાંથી 259 લોકો ઓમિક્રોનમાંથી મુક્ત પણ થઈ ગયા છે.

મુંબઈ, થાણે, નવી મુંબઈમાં શાળાઓ બંધ કરવામાં આવી

કોરોના અને ઓમિક્રોનના વધતા જોખમોને ધ્યાનમાં રાખીને, મુંબઈ, થાણે અને નવી મુંબઈ મહાનગરપાલિકાએ ધોરણ 1 થી 9 અને ધોરણ 11 માટે શાળાઓને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. એટલે કે શાળાઓ માત્ર ધોરણ 10 અને 12 માટે જ ખુલી રહેશે. વર્ગના બાકીના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન વર્ગો શરૂ થશે. આ આદેશ હાલ 31 જાન્યુઆરી સુધી આપવામાં આવ્યો છે.

પૂણેની શાળાઓ બંધ કરવાનો નિર્ણય આવતીકાલ સુધીમાં લેવામાં આવે તેવી શક્યતા છે. પૂણેના મેયર મુરલીધર મોહોલેએ પૂણેના સંરક્ષક મંત્રી (જે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન પણ છે) અજિત પવાર સાથે વાત કરીને નિર્ણય લેવાની વાત કરી છે. આ સિવાય પાલઘરના જિલ્લા મેજિસ્ટ્રેટે બાલવાડી અને નર્સરી સ્કૂલને પણ આગામી આદેશ સુધી બંધ કરાવી દીધી છે.

આ પણ વાંચો :  Mumbai Thane Pune Schools: મુંબઈ બાદ થાણેની શાળાઓ પણ બંધ, નવી મુંબઈ અને પુણેમાં પણ આવતીકાલ સુધી લેવાય શકે છે નિર્ણય

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">