Mumbai Thane Pune Schools: મુંબઈ બાદ થાણેની શાળાઓ પણ બંધ, નવી મુંબઈ અને પુણેમાં પણ આવતીકાલ સુધી લેવાય શકે છે નિર્ણય
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા લેવામાં આવેલા નિર્ણય પછી, હવે થાણે જિલ્લામાં પણ ધોરણ 1 થી 9 અને 11 માટે શાળાઓ બંધ રહેશે. પરંતુ ઓનલાઈન વર્ગો ચાલુ રહેશે. આ આદેશ 31 જાન્યુઆરી સુધી લાગુ કરવામાં આવ્યો છે.
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા નિર્ણય લેવાયા બાદ હવે થાણે (Thane) મહાનગરપાલિકાએ પણ શાળાઓને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. થાણે જીલ્લામાં પણ ધોરણ 1 થી 9 અને 11 માટે સ્કુલ (School) બંધ કરશે, પરંતુ ઓનલાઈન ક્લાસ શરૂ રહેશે. એટલે કે, ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ રહેશે. આ આદેશ હાલમાં 31 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે. આ બંને નગરપાલિકાઓ એ વધતા કોરોના અને ઓમિક્રોન (Omicron) સંક્રમણને ધ્યાનમાં રાખીને સોમવારે યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં આ નિર્ણય લીધો હતો.
સૌથી પહેલા તો, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને બેઠકમાં અચાનક ઝડપથી વધી રહેલા કોરોના સંકટને કાબૂમાં લેવા માટે શાળા બંધ કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી થાણે (School closed till 31st January) મહાનગરપાલિકાએ પણ આ નિર્ણય લીધો હતો. આવતીકાલ સુધીમાં નવી મુંબઈ અને પુણેમાં શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.
આ દરમિયાન, પાલઘર જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટે પણ નર્સરી અને કે.જી. બાળકો માટે શાળાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે, પાલઘરમાં બાલવાડી અને નર્સરી શાળાઓને તાત્કાલિક આદેશો સાથે આગામી આદેશો સુધી બંધ કરી દેવામાં આવી છે.
આવતીકાલ સુધીમાં નવી મુંબઈ અને પુણેની શાળાઓ અંગે નિર્ણય લેવામાં આવશે
આ દરમિયાન, નવી મુંબઈ અને પુણેની શાળાઓ ટૂંક સમયમાં બંધ કરવાની જાહેરાત કરવામાં આવી શકે છે. નવી મુંબઈના પાલિકાના અધિકારીઓએ પણ આજે મહત્વની બેઠક યોજી હતી. પુણેના મેયર મુરલીધર મોહોલે પણ અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ કહ્યું હતું કે પૂણેના સંરક્ષક મંત્રી સાથે વાત કરીને ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.
જણાવી દઈએ કે પુણેના સંરક્ષક મંત્રી અજિત પવાર છે જે રાજ્યના નાયબ મુખ્યમંત્રી પણ છે. આજે જ મીડિયા સાથે વાત કરતા તેમણે કોરોનાના વધતા સંક્રમણ પર ચિંતા વ્યક્ત કરી છે અને રાજ્યભરમાં લોકડાઉન લાગુ કરવાનો સંકેત આપ્યો છે. આવી સ્થિતિમાં પુણેમાં શાળાઓ બંધ કરવાની જાહેરાત લગભગ નિશ્ચિત છે.
મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં શાળાઓ ચાલુ રહેશે: શાળા શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડ
મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં શાળાઓ શરૂ કરવાનો નિર્ણય શિક્ષણ વિભાગ (Maharashtra Education Department) દ્વારા લેવામાં આવ્યો છે. શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે સોમવારે શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી શાળાઓની તૈયારીઓ અને વિદ્યાર્થીઓના રસીકરણની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં કોરોનાની સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
ચર્ચામાં એ વાત સામે આવી છે કે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો સિવાય અન્ય વિસ્તારોમાં હાલમાં કોરોના સંક્રમણ ઓછું છે. તેથી, રાજ્યના અન્ય ભાગોમાં, કોરોના સંબંધિત નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ અને શાળાઓ શરૂ રાખવી જોઈએ. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે જો આગામી દિવસોમાં સંક્રમણ વધુ વધશે તો સ્થાનિક સ્તરે નિર્ણયો લેવામાં આવશે.
આથી મુંબઈમાં શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો
મુંબઈમાં શાળાઓને લઈને સોમવારે BMCની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. મુંબઈમાં સંક્રમણમાં (Mumbai corona cases) ઝડપથી વધારો થવા પર ચિંતા વ્યક્ત કરવામાં આવી. મહારાષ્ટ્રમાં ફરી એકવાર એક દિવસમાં 12 હજાર કેસ આવવા લાગ્યા છે, એકલા મુંબઈમાં જ 8 હજારથી વધુ કેસ સતત સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, કોરોનાની ત્રીજી લહેરના જોખમને ધ્યાનમાં રાખીને, સાવચેતીના ભાગરૂપે મ્યુનિસિપલ કમિશનર ઇકબાલ સિંહ ચહલે શાળાને બંધ કરવાનો નિર્ણય કર્યો.
આ પણ વાંચો : ત્રીજી લહેરના એંધાણ: શું મહારાષ્ટ્રમાં ફરી થશે લોકડાઉન ? નાયબ મુખ્યપ્રધાન પવારે આપ્યા આ સંકેત