AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Corona: મહારાષ્ટ્રની ચિંતા વધી, જે ધારાસભ્યના ધરે મંત્રી, સાંસદ અને અડધો ડઝન ધારાસભ્યોએ લીધું ભોજન, તેમને જ થયો કોરોના

મહારાષ્ટ્રના પરભણી ગંગાખેડના ધારાસભ્ય ડૉ. રત્નાકર ગુટ્ટે (Ratnakar Gutte) કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

Maharashtra Corona: મહારાષ્ટ્રની ચિંતા વધી, જે ધારાસભ્યના ધરે મંત્રી, સાંસદ અને અડધો ડઝન ધારાસભ્યોએ લીધું ભોજન, તેમને જ થયો કોરોના
Maharashtra MLA Dr Ratnakar Gutte
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2022 | 1:20 PM
Share

મહારાષ્ટ્રના પરભણી ગંગાખેડના ધારાસભ્ય ડૉ. રત્નાકર ગુટ્ટે (Ratnakar Gutte) કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. વધુ ચિંતાની વાત એ છે કે, તેઓ કોરોના પોઝિટિવ મળ્યાના 24 કલાક પહેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન પીડબલ્યુડી મંત્રી અશોક ચવ્હાણ સહિત એક સાંસદ, પાંચ ધારાસભ્યો અને એક પૂર્વ ધારાસભ્યએ સાથે ભોજન લીધું હતું. જ્યારે ડૉ. રત્નાકર ગુટ્ટેએ તેમની તબિયત બગડતી જોઈ અને તેમને ખબર પડી કે તેમના શરીરમાં કોરોનાના હળવા લક્ષણો છે, ત્યારે તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો. તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

અશોક ચવ્હાણ, સાંસદ સંજય જાધવ, ધારાસભ્ય અમર રાજુરકર, ધારાસભ્ય બાબાજાની દુરાની, ધારાસભ્ય સુરેશ વરપુડકર, ધારાસભ્યો ડૉ. રાહુલ પાટીલ અને જીતેશ અંતાપુરકર અને ભૂતપૂર્વ ધારાસભ્ય ડૉ. મધુસુદન કેન્દ્ર ગઈકાલે તેમના વિસ્તાર ગંગાખેડમાં રેલવે ફ્લાયઓવરના ઉદ્ઘાટન સમયે હાજર હતા. તેમની સાથે જાહેર બાંધકામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમ પૂરો થયા બાદ અશોક ચવ્હાણ સહિત તમામ નેતાઓની ટુકડી રત્નાકર ગુટ્ટેના ઘરે પહોંચ્યા હતા. તમામે સાથે મળીને તેમના ઘરે ભોજન લીધું હતું. આ સમાચારથી વહીવટીતંત્રની ચિંતા વધી ગઈ છે. ધારાસભ્ય રત્નાગકર ગુટ્ટેએ પણ તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે.

નેતાઓમાં કોરોનાનો કહેર

જણાવી દઈએ કે ગઈકાલે (10 જાન્યુઆરી) રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના પણ કોરોના પોઝિટિવ હોવાની માહિતી સામે આવી હતી. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં લગભગ 15 મંત્રીઓ અને 70થી વધુ ધારાસભ્યોને કોરોના થઈ ચૂક્યા છે.

મહારાષ્ટ્રમાં કોરોના સંબંધિત અત્યાર સુધીની સ્થિતિ

મહારાષ્ટ્રમાં કોરોનાની અરાજકતાને સોમવારે થોડી લગામ લાગી છે. કોરોના સંક્રમિતોની સંખ્યા ઘટીને 33 હજાર 470 થઈ ગઈ છે. રવિવારની સરખામણીએ સોમવારે 10 હજાર 900 કેસ ઓછા આવ્યા છે. તેમજ 8 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. રવિવારે 44 હજારથી વધુ કેસ નોંધાયા હતા. સોમવારે મહારાષ્ટ્રમાં પણ 29 હજાર 671 લોકોને કોરોનામાંથી મુક્ત થયા છે. તે જ સમયે, સોમવારે મુંબઈમાં કોરોના સંક્રમણમાં મોટો ઘટાડો થયો છે.

સોમવારે (10 જાન્યુઆરી) મુંબઈમાં 13 હજાર 648 નવા કેસ નોંધાયા છે. આ સંખ્યા રવિવાર કરતાં લગભગ છ હજાર ઓછી છે. દરમિયાન, એક દિવસમાં કોરોનાથી 5 મોત પણ થયા છે. અગાઉ ચાર દિવસથી મુંબઈ અથવા તેની નજીકમાં કોરોનાના 20 હજારથી વધુ કેસ આવી રહ્યા હતા. દરમિયાન, ઓમિક્રોન વિશે વાત કરીએ તો, સોમવારે રાજ્યમાં 31 ઓમિક્રોન કેસ નોંધાયા હતા.

આ પણ વાંચો: Maharashtra: નાગપુરના સીતાબુલડી બજારમાં કોરોના નિયમોનો ખુલ્લેઆમ થયો ભંગ, કડક નિયમો હોવા છતા ખરીદી કરવા ઉમટી હજારોની ભીડ

 આ પણ વાંચો: Shahrukh Khanના મન્નતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપીની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">