AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉદ્ધવ ઠાકરેએ AIMIMના ગઠબંધનના પ્રસ્તાવને ફગાવ્યો, શિવસેનાને ‘જનાબ સેના’ કહેવા બદલ ભાજપને ‘હિઝબુલ જનતા પાર્ટી’ ગણાવી

આ પછી, ઇમ્તિયાઝ જલીલે અમારી સહયોગી ન્યૂઝ ચેનલ TV9 મરાઠી સાથે વાત કરતા કહ્યું, 'મુખ્યમંત્રી માત્ર હિન્દુઓના નથી, તેઓ સમગ્ર રાજ્યના છે. મુસ્લિમોના પણ છે. દરેક વાત પર હીંદુત્વને સામે લાવીને એક દીવાલ ઉભી કરી દેવાથી રાજ્યની જનતાને નુકસાન છે. હું તેમને ફરી મળીશ. હું આ પ્રસ્તાવ સાથે એનસીપીના વડા શરદ પવારને પણ મળીશ.

ઉદ્ધવ ઠાકરેએ AIMIMના ગઠબંધનના પ્રસ્તાવને ફગાવ્યો, શિવસેનાને 'જનાબ સેના' કહેવા બદલ ભાજપને 'હિઝબુલ જનતા પાર્ટી' ગણાવી
CM Uddhav Thackeray
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2022 | 5:53 PM
Share

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પક્ષના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray) એઆઈએમઆઈએમ પાર્ટીના નેતા અને ઔરંગાબાદના સાંસદ ઇમ્તિયાઝ જલીલ (Imtiyaz Jaleel AIMIM) દ્વારા આપવામાં આવેલા ગઠબંધનના પ્રસ્તાવને ઠુકરાવી દીધો છે. જલીલે કહ્યું હતું કે તેમની પાર્ટી ભાજપને હરાવવા અને યોગ્ય સંતુલન આપવા માટે મહાવિકાસ અઘાડીના થ્રી વ્હીલરમાં એક વ્હીલ ઉમેરવા માંગે છે. પરંતુ 22મીથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં શિવસેનાની જન સંપર્ક યાત્રા શરૂ થાય તે પહેલા આજે (રવિવાર, 20 માર્ચ) શિવસેનાના સાંસદો અને પદાધિકારીઓ સાથેની મહત્વપૂર્ણ બેઠકમાં સીએમ ઉદ્ધવ ઠાકરેએ એમઆઈએમ સાથે ગઠબંધનની શક્યતાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધુ હતું અને તેને ભાજપની બી ટીમ ગણાવી હતી. તેમણે કહ્યું કે જે પાર્ટીના લોકો ઔરંગઝેબની કબરને માથું ટેકવે છે તેની સાથે ગઠબંધનનો સવાલ જ ઊભો થતો નથી.

આ પછી, ઇમ્તિયાઝ જલીલે અમારી સહયોગી ન્યૂઝ ચેનલ TV9 મરાઠી સાથે વાત કરતા કહ્યું, ‘મુખ્યમંત્રી માત્ર હિન્દુઓના નથી, તેઓ સમગ્ર રાજ્યના છે. મુસ્લિમોના પણ છે. દરેક વાત પર હીંદુત્વને સામે લાવીને એક દીવાલ ઉભી કરી દેવાથી રાજ્યની જનતાને નુકસાન છે. હું તેમને ફરી મળીશ. હું આ પ્રસ્તાવ સાથે એનસીપીના વડા શરદ પવારને પણ મળીશ. આજે ભાજપ દેશ માટે સૌથી ઘાતક છે. જો તમે ભાજપને હરાવવા માટે ગંભીર છો તો અમારા પ્રસ્તાવ પર વિચાર કરવો પડશે. છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબ વચ્ચેની લડાઈ સામે રાખીને ભાવનાત્મક મુદ્દાઓને ઉશ્કેરી શકાશે, રાજ્યનો વિકાસ થઈ શકશે નહીં.

આજે કોણ AIMIMના કાર્યકર્તાઓ કે અહીંના મુસ્લિમો છે જે ઔરંગઝેબની કબર પર જઈને નમન કરે છે, જરા જણાવશો મને. હા ઔરંગઝેબ ઈતિહાસનું પાનું છે, તેને પ્રેમ કરો કે નફરત કરો, તમે તેને નકારી શકતા નથી.

શિવસેના હવે જનાબસેના બની ગઈ છે – દેવેન્દ્ર ફડણવીસ

આજે ઉદ્ધવ ઠાકરેના નિવેદન પર પ્રતિક્રિયા આપતા વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે એક તરફ મહા વિકાસ અઘાડીમાં NCPના નેતાઓ AIMIMની ઓફર પર ગંભીરતાથી વિચાર કરવાની વાત કરી રહ્યા છે અને બીજી તરફ શિવસેના ઉપર ઉપરથી વિરોધ કરી રહી છે. જ્યારે એઆઈએમઆઈએમ તરફથી જલીલનો પ્રસ્તાવ આવ્યો ત્યારે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે શિવસેનાએ હવે અઝાન સ્પર્ધા શરૂ કરાવી રહી છે. બાળાસાહેબ ઠાકરેની શિવસેના હવે ‘જનાબ શિવસેના’ બની ગઈ છે.

અમને ‘જનાબ સેના’ કહેનાર બીજેપી ખુદ ‘હિઝબુલ જનતા પાર્ટી’ છે શું ?- ઉદ્ધવ ઠાકરે

જેના જવાબમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે ​​કહ્યું કે, જેઓ આજે શિવસેનાને ‘જનસેના’ કહી રહ્યા છે તેઓ પોતે ‘હિઝબુલ જનતા પાર્ટી’ છે ? કોઈ શિવસૈનિક બિરયાની ખાવા પાકિસ્તાન ગયો નથી. આતંકવાદી અઝહર મસૂદ જેના પરિવારના કારણે મુક્ત થયો અને અને જે ખુદ અલગતાવાદીઓ સાથે સહાનુભૂતિ ધરાવે છે, આવી મહેબૂબા મુફ્તી સાથે શિવસેનાએ સરકાર નથી બનાવી.

આ પણ વાંચો :  Maharashtra: મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને ફરી કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને મોકલીને નોટિસ, 15 દિવસમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવા જણાવ્યું

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">