AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nawab Malik Arrested: ‘નવાબ મલિક રાજીનામું આપે’, EDની ધરપકડ બાદ ભાજપે ઉદ્ધવ ઠાકરે સરકાર પાસે કરી માંગ

નવાબ મલિકની ઘરપકડ બાદ ભાજપે મહારાષ્ટ્ર સરકાર સામે સવાલો ઊભા કર્યા છે. ભાજપે કહ્યુ છે કે, એક મંત્રી એક ટિકટોક સ્ટારની હત્યાના સંબંધમાં અરેસ્ટ થાય છે. એક મંત્રી સ્વીકારે છે કે તેને બે પત્નીઓ છે. એક મંત્રી પહેલેથી જ 100 કરોડની ખંડણીના આરોપમાં જેલમાં છે. આ સરકાર કેવી રીતે ચાલી રહી છે ?

Nawab Malik Arrested: 'નવાબ મલિક રાજીનામું આપે', EDની ધરપકડ બાદ ભાજપે ઉદ્ધવ ઠાકરે સરકાર પાસે કરી માંગ
Nawab Malik & Chandrakant Patil
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 6:00 PM
Share

મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિકની (Nawab Malik)  ધરપકડ બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે નવાબ મલિકના રાજીનામાની માંગ કરી છે. નવાબ મલિક મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકારમાં લઘુમતી વિભાગના મંત્રી છે. ચંદ્રકાંત પાટીલે કહ્યું કે નૈતિકતાના આધારે અને પરંપરા અને નિયમો અનુસાર પણ નવાબ મલિકે હવે મંત્રી બની રહેવાનો અધિકાર ગુમાવ્યો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ મુદ્દે જલ્દી નિર્ણય લેવો જોઈએ અને નવાબ મલિકનું રાજીનામું લઈ લેવું જોઈએ.

ચંદ્રકાંત પાટીલે કહ્યું કે મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી કેવી રીતે ચાલી રહી છે. એક મંત્રી એક ટિકટોક સ્ટારની હત્યાના સંબંધમાં અરેસ્ટ થાય છે. એક મંત્રી સ્વીકારે છે કે તેને બે પત્નીઓ છે. એક મંત્રી પર કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો મામલો બહાર આવ્યા બાદ પણ તેઓ હોદ્દા પર યથાવત છે. એક મંત્રી પહેલેથી જ 100 કરોડની ખંડણીના આરોપમાં જેલમાં છે. આ સરકાર કેવી રીતે ચાલી રહી છે ? નૈતિકતાના આધારે અને બાળાસાહેબ ઠાકરેના મજબૂત નેતાના ચિરંજીવી હોવાના કારણે પણ મારી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પાસે માંગ છે કે તેઓ આ અંગે જલ્દી નિર્ણય લે અને નવાબ મલિકનું રાજીનામું લે.

આ દરમિયાન EDની ટીમ નવાબ મલિક સાથે વિશેષ PMLA કોર્ટ પહોંચી છે. નવાબ મલિક વતી એડવોકેટ અમિત દેસાઈ દલીલ રજૂ કરશે. એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહ ED વતી દલીલ રજૂ કરશે. ધરપકડ બાદ રાજીનામું લેવાની પરંપરાને ધ્યાનમાં રાખીને નવાબ મલિકના રાજીનામાની માંગને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે ​​મહાવિકાસ આઘાડીની કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ બેઠકમાં નવાબ મલિકની ધરપકડ બાદ સરકાર દ્વારા લેવામાં આવનારા આગળના પગલાં અંગે ચર્ચા કરવામાં આવશે.

નવાબ મલિકને લઈને EDના અધિકારીઓ કોર્ટમાં પહોંચ્યા

આ દરમિયાન ED દ્વારા ધરપકડનો આદેશ સામે આવ્યો છે. જેમાં લખ્યું છે કે 62 વર્ષીય નવાબ મલિકની રાત્રે 2.45 વાગ્યે મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ પછી જેજે હોસ્પિટલમાં EDની ટીમ દ્વારા નવાબ મલિકનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ પછી EDની ટીમ સાંજે ચાર વાગ્યે કોર્ટ પહોંચી. EDની ટીમ વિશેષ PMLA કોર્ટમાં નવાબ મલિકની કસ્ટડીની માંગણી કરશે. અહીં EDએ તેમના અંડરવર્લ્ડ સંબંધો અને મની લોન્ડરિંગ કેસમાં કસ્ટડી માટે પ્રારંભિક પુરાવા રજૂ કરવા પડશે. નવાબ મલિકના વકીલ દાવો કરશે કે પુરાવામાં કોઈ દમ નથી અને નવાબ મલિક વિરુદ્ધ રાજકીય કારણોસર કાર્યવાહી કરવામાં આવી છે. આ પછી નવાબ મલિકની કસ્ટડી અંગે વિશેષ અદાલત પોતાનો ચુકાદો આપશે.

નવાબ મલિક પર આરોપ છે કે, તેમણે મુંબઈ બોમ્બ વિસ્ફોટમાં સામેલ ટાઈગર મેમણ અને દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધિત શાહ વલી ખાન અને સમીર પટેલ પાસેથી કરોડોની કિંમતની જમીન તેના પુત્ર ફરાઝ મલિકના નામે માત્ર 30 લાખ રૂપિયામાં ખરીદી. જેમાં 20 લાખ ચૂકવ્યા હતા. અંડરવર્લ્ડ એટલે કે રાષ્ટ્રવિરોધી કાર્યવાહીમાં સામેલ લોકો સાથે આર્થિક વ્યવહારો કર્યા હતા.

આ પણ વાંચો :  Gangubai Controversy: બોમ્બે હાઈકોર્ટ હાથ ધરી સુનાવણી, ભણસાલીના વકીલે અરજદારો પર લગાવ્યો ગંભીર આરોપ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">