Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nawab Malik Arrested: ‘નવાબ મલિક રાજીનામું આપે’, EDની ધરપકડ બાદ ભાજપે ઉદ્ધવ ઠાકરે સરકાર પાસે કરી માંગ

નવાબ મલિકની ઘરપકડ બાદ ભાજપે મહારાષ્ટ્ર સરકાર સામે સવાલો ઊભા કર્યા છે. ભાજપે કહ્યુ છે કે, એક મંત્રી એક ટિકટોક સ્ટારની હત્યાના સંબંધમાં અરેસ્ટ થાય છે. એક મંત્રી સ્વીકારે છે કે તેને બે પત્નીઓ છે. એક મંત્રી પહેલેથી જ 100 કરોડની ખંડણીના આરોપમાં જેલમાં છે. આ સરકાર કેવી રીતે ચાલી રહી છે ?

Nawab Malik Arrested: 'નવાબ મલિક રાજીનામું આપે', EDની ધરપકડ બાદ ભાજપે ઉદ્ધવ ઠાકરે સરકાર પાસે કરી માંગ
Nawab Malik & Chandrakant Patil
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 6:00 PM

મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિકની (Nawab Malik)  ધરપકડ બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે નવાબ મલિકના રાજીનામાની માંગ કરી છે. નવાબ મલિક મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકારમાં લઘુમતી વિભાગના મંત્રી છે. ચંદ્રકાંત પાટીલે કહ્યું કે નૈતિકતાના આધારે અને પરંપરા અને નિયમો અનુસાર પણ નવાબ મલિકે હવે મંત્રી બની રહેવાનો અધિકાર ગુમાવ્યો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ મુદ્દે જલ્દી નિર્ણય લેવો જોઈએ અને નવાબ મલિકનું રાજીનામું લઈ લેવું જોઈએ.

ચંદ્રકાંત પાટીલે કહ્યું કે મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી કેવી રીતે ચાલી રહી છે. એક મંત્રી એક ટિકટોક સ્ટારની હત્યાના સંબંધમાં અરેસ્ટ થાય છે. એક મંત્રી સ્વીકારે છે કે તેને બે પત્નીઓ છે. એક મંત્રી પર કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો મામલો બહાર આવ્યા બાદ પણ તેઓ હોદ્દા પર યથાવત છે. એક મંત્રી પહેલેથી જ 100 કરોડની ખંડણીના આરોપમાં જેલમાં છે. આ સરકાર કેવી રીતે ચાલી રહી છે ? નૈતિકતાના આધારે અને બાળાસાહેબ ઠાકરેના મજબૂત નેતાના ચિરંજીવી હોવાના કારણે પણ મારી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પાસે માંગ છે કે તેઓ આ અંગે જલ્દી નિર્ણય લે અને નવાબ મલિકનું રાજીનામું લે.

આ દરમિયાન EDની ટીમ નવાબ મલિક સાથે વિશેષ PMLA કોર્ટ પહોંચી છે. નવાબ મલિક વતી એડવોકેટ અમિત દેસાઈ દલીલ રજૂ કરશે. એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહ ED વતી દલીલ રજૂ કરશે. ધરપકડ બાદ રાજીનામું લેવાની પરંપરાને ધ્યાનમાં રાખીને નવાબ મલિકના રાજીનામાની માંગને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે ​​મહાવિકાસ આઘાડીની કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ બેઠકમાં નવાબ મલિકની ધરપકડ બાદ સરકાર દ્વારા લેવામાં આવનારા આગળના પગલાં અંગે ચર્ચા કરવામાં આવશે.

બોલિવુડ અભિનેતા વરુણ ધવનના પરિવારમાં કોણ કોણ છે, જાણો
Plant in pot : છોડને કીડીઓ ખરાબ કરી નાખે છે ? અપનાવો આ ઘરેલું ટીપ્સ
જાણો કોણ છે અભિનેત્રી ઇમાનવી ઇસ્માઇલ, જેની ફિલ્મમાંથી દુર કરવાની માંગ ઉઠી
તુલસી પર બાંધી દો આ એક વસ્તુ, ગરીબને પણ ધનવાન બનાવી દેશે મા લક્ષ્મી
લસણના ફોતરાં ખૂબ જ ઉપયોગી છે, ફેંકી દેવાની ભૂલ કરતા પહેલા આ રીતે વાપરો!
Vastu Tips: ભૂલથી પણ બાથરૂમમાં આ વસ્તુઓ ન રાખો, ધનની અછત થઈ શકે છે

નવાબ મલિકને લઈને EDના અધિકારીઓ કોર્ટમાં પહોંચ્યા

આ દરમિયાન ED દ્વારા ધરપકડનો આદેશ સામે આવ્યો છે. જેમાં લખ્યું છે કે 62 વર્ષીય નવાબ મલિકની રાત્રે 2.45 વાગ્યે મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ પછી જેજે હોસ્પિટલમાં EDની ટીમ દ્વારા નવાબ મલિકનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ પછી EDની ટીમ સાંજે ચાર વાગ્યે કોર્ટ પહોંચી. EDની ટીમ વિશેષ PMLA કોર્ટમાં નવાબ મલિકની કસ્ટડીની માંગણી કરશે. અહીં EDએ તેમના અંડરવર્લ્ડ સંબંધો અને મની લોન્ડરિંગ કેસમાં કસ્ટડી માટે પ્રારંભિક પુરાવા રજૂ કરવા પડશે. નવાબ મલિકના વકીલ દાવો કરશે કે પુરાવામાં કોઈ દમ નથી અને નવાબ મલિક વિરુદ્ધ રાજકીય કારણોસર કાર્યવાહી કરવામાં આવી છે. આ પછી નવાબ મલિકની કસ્ટડી અંગે વિશેષ અદાલત પોતાનો ચુકાદો આપશે.

નવાબ મલિક પર આરોપ છે કે, તેમણે મુંબઈ બોમ્બ વિસ્ફોટમાં સામેલ ટાઈગર મેમણ અને દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધિત શાહ વલી ખાન અને સમીર પટેલ પાસેથી કરોડોની કિંમતની જમીન તેના પુત્ર ફરાઝ મલિકના નામે માત્ર 30 લાખ રૂપિયામાં ખરીદી. જેમાં 20 લાખ ચૂકવ્યા હતા. અંડરવર્લ્ડ એટલે કે રાષ્ટ્રવિરોધી કાર્યવાહીમાં સામેલ લોકો સાથે આર્થિક વ્યવહારો કર્યા હતા.

આ પણ વાંચો :  Gangubai Controversy: બોમ્બે હાઈકોર્ટ હાથ ધરી સુનાવણી, ભણસાલીના વકીલે અરજદારો પર લગાવ્યો ગંભીર આરોપ

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">