Maharashtra : પાલઘરમાં હોસ્પિટલ સુધી જવાનો રસ્તો ન હોવાથી માતાની નજર સામે જ જોડિયા બાળકોએ દમ તોડ્યો
ડિલિવરી બાદ માતાનું (Mother ) વધુ પડતું લોહી વહી જવાને કારણે મહિલાની હાલત વધુ બગડતાં પરિવારના સભ્યોએ દોરડા, ચાદર અને લાકડાનું કામચલાઉ સ્ટ્રેચર બનાવીને પગપાળા નીકળી પડ્યા હતા.
મહારાષ્ટ્રના (Maharashtra ) પાલઘર જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં નવજાત જોડિયાનું (Twins ) મોત તેમની માતાની (Mother ) સામે જ થયું કારણ કે જન્મ પછી માતાને સમયસર હોસ્પિટલ લઈ જઈ શકાઈ નહોતી. તો આ ઘટનાનુ બીજું મુખ્ય કારણ એ છે કે ગામથી હોસ્પિટલમાં જવા માટે કોઈ રસ્તો હતો નહીં. આ ઘટનાની વધુ એક ચોંકાવનારી તસવીર સામે આવી છે, જેમાં મહિલાને કામચલાઉ સ્ટ્રેચર પર નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે પરિવારના સભ્યો મહિલાને પથરાળ અને લપસણા ઢોળાવમાંથી પસાર થઈને લગભગ 3 કિમી સુધી પગપાળા લઈ ગયા.
હકીકતમાં, પાલઘર જિલ્લાના મોખાડા તાલુકાની રહેવાસી વંદના બુધરે સાત મહિનાની પ્રેગ્નન્સીમાં પોતાના ઘરે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. અકાળ જોડિયા નબળા હતા અને યોગ્ય તબીબી સારવારના અભાવે તેમની માતાની સામે મૃત્યુ પામ્યા હતા.
માતાની સારવાર
ડિલિવરી બાદ માતાનું વધુ પડતું લોહી વહી જવાને કારણે મહિલાની હાલત વધુ બગડતાં પરિવારના સભ્યોએ દોરડા, ચાદર અને લાકડાનું કામચલાઉ સ્ટ્રેચર બનાવીને પગપાળા નીકળી પડ્યા હતા. કારણ કે પરિવાર બે બાળકો પછી માતાને ગુમાવવા માંગતો ન હતો. ઘણા કિલોમીટર ચાલ્યા બાદ પરિવારના સભ્યોએ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
ભાજપના નેતાએ સીએમને જાણ કરી
તે જ સમયે, આ ઘટનાને લઈને રાજકીય ટિપ્પણીઓ પણ સામે આવવા લાગી છે. ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ચિત્રા કિશોર વાઘે, જેઓ મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધનનો પણ ભાગ છે, આ ઘટનાને ખૂબ જ દર્દનાક ગણાવી. તેમણે ટ્વીટ કર્યું કે વંદના બુધરના જોડિયા બાળકો સમયસર સારવારના અભાવે મૃત્યુ પામ્યા. ભાજપના નેતાએ કહ્યું કે રાજ્યના ઘણા ભાગોમાં રસ્તાના અભાવને કારણે આવી ઘણી ઘટનાઓ બની રહી છે. ચિત્રા કિશોરે આ મામલે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પણ જાણ કરી છે.