Maharashtra : લાલ બાગ ચા રાજામાં આ વર્ષે જોવા મળશે અયોધ્યાના રામ મંદિરની ઝલક, ગણેશભક્તો આતુર

દર વર્ષે લાલબાગ (lal bag )ચા રાજાના મંડપ માં અલગ અલગ થીમના દર્શન જોવા મળે છે. ત્યારે આ વખતે લાલબાગના રાજા જે પંડાલમાં બેસવાના છે તે રામલલ્લાના મંદિરની પ્રતિકૃતિ હશે.

Maharashtra : લાલ બાગ ચા રાજામાં આ વર્ષે જોવા મળશે અયોધ્યાના રામ મંદિરની ઝલક, ગણેશભક્તો આતુર
A glimpse of Ayodhya's Ram temple will be seen in Lal Bagh Cha Raja this year,
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2022 | 8:20 AM

ગણપતિના (Ganesha )આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જેથી ગણેશભક્તોએ તેની તૈયારીઓ(Preparation ) પણ જોરશોરમાં શરૂ કરી દીધી છે. કોરોનાના (Corona )બે વર્ષ પછી હવે તહેવારોની રંગત જયારે પાછી ફરી છે, ત્યારે ગણપતિ બાપ્પાને આવકારવા માટે આ વર્ષે ભક્તોમાં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  હવે 15 દિવસ પછી ગણપતિ બાપ્પાનું આગમન થવા જઈ રહ્યું છે. આપણે જાણીએ છીએ તેમ કોરોના કાળ દરમિયાન ભક્તોએ બે વર્ષથી ઓનલાઈન બાપ્પાના દર્શન કરવા પડ્યા હતા.

રામમંદિરની થીમ પર ઉભો કરશે મંડપ :

પરંતુ આ વખતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તમામ તહેવારો ધામધૂમથી ઉજવવાનું આહ્વાન કર્યું છે. આવી સ્થિતિમાં માત્ર મુંબઈમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ પ્રખ્યાત લાલબાગના રાજાના આગમનની તૈયારીઓ પણ પુરજોશમાં શરૂ થઈ ગઈ છે. અને આ વખતે અયોધ્યાના રામ મંદિરની થીમ પર લાલબાગના રાજાનો પંડાલ બનાવવામાં આવી રહ્યો છે.બોલિવૂડના પ્રખ્યાત આર્ટ ડાયરેક્ટર નીતિન ચંદ્રકાંત દેસાઈ આ થીમને સાકાર કરવા જઈ રહ્યા છે.

મુખ્ય પ્રવેશ દ્વારા પર શ્રી રામની પ્રતિમા પણ કરાશે બિરાજમાન :

દર વર્ષે લાલબાગ ચા રાજાના મંડપ માં અલગ અલગ થીમના દર્શન જોવા મળે છે. ત્યારે આ વખતે લાલબાગના રાજા જે પંડાલમાં બેસવાના છે તે રામલલ્લાના મંદિરની પ્રતિકૃતિ હશે. ગણપતિના પંડાલથી લઈને ડેકોરેશન અને પંડાલની અંદરના દ્રશ્યો બિલકુલ અયોધ્યાના રામ મંદિર જેવા હશે. પંડાલના મુખ્ય પ્રવેશદ્વારથી બહાર સુધીનું ડેકોરેશન અયોધ્યાના રામ મંદિરના કદ અને આકાર જેવું જ હશે. પ્રવેશદ્વાર પર ભગવાન શ્રી રામની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. જ્યાં લાલબાગના રાજાની મુખ્ય મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે ત્યાં રામ મંદિરના ઘુમટની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

પ્રવેશદ્વારની સુંદરતા, રામ લલ્લાની મૂર્તિને વધારશે શોભા

લાલબાગના રાજાનો પંડાલ, તેમની મૂર્તિ અને તેની આસપાસની સજાવટ દર વર્ષે દેશ-વિદેશના લાખો-કરોડો ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. દર વર્ષે તેઓ કોઈને કોઈ થીમ પર તૈયાર કરવામાં આવે છે. આ વખતની થીમ અયોધ્યાના રામ મંદિર પર રાખવામાં આવી છે એટલે કે આ વખતે લાલબાગચા રાજાની જાહોજલાલી વધુ ભવ્ય અને દિવ્ય બનવાની છે. કોરોના સમયગાળા બાદ ગણપતિ બાપ્પાના દર્શન માટે ભક્તો પહેલેથી જ આતુર છે એટલે કે આ વર્ષે દર્શન માટે લોકો મોટી સંખ્યામાં આવે તેવી પુરેપુરી સંભાવના છે.

બાપ્પાના દરબારને બોલિવૂડ કલાકારની કલાથી શણગારવામાં આવશે

દર વર્ષે લાલબાગના રાજાના દર્શન માટે ભક્તોનો ધસારો રહેતો હતો. લોકો દર્શન માટે કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેતા હતા. આ બધું છેલ્લા બે વર્ષથી બંધ હતું, પણ કોરોનાના સમયગાળા દરમિયાન જ દર્શન ઓનલાઈન લઈ શકાતા હતા. પરંતુ હવે તે તમામ પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા છે. ભક્તો આ વખતે પંડાલમાં આવીને બાપ્પાના દર્શન કરી શકશે. ભક્તો હવે બાપ્પાના એક દર્શન માટે તલપાપડ દેખાઈ રહ્યાછે, જેમ જેમ દિવસો પસાર થાય છે તેમ તેમ ગણેશ ભક્તો બાપ્પાના આગમનની રાહ જોઈ રહ્યા છે.

Latest News Updates

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">