AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: મહારાષ્ટ્રના ઈરસાલવાડીમાં ભૂસ્ખલનથી 27 લોકોના મોત, 78 લોકો ગુમ, કલમ 144 લાગુ

તમને જણાવી દઈએ કે આવતીકાલે ફરીથી આ 78 લોકોની શોધ શરૂ કરવામાં આવશે. એનડીઆરએફનું કહેવું છે કે શોધ ચાલુ રાખવી કે નહીં, તે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નક્કી કરવામાં આવશે. NDRFની ચાર ટીમોએ ત્રણ દિવસથી ધામા નાખ્યા છે.

Maharashtra: મહારાષ્ટ્રના ઈરસાલવાડીમાં ભૂસ્ખલનથી 27 લોકોના મોત, 78 લોકો ગુમ, કલમ 144 લાગુ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2023 | 11:16 PM
Share

Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાનું એક ગામ કબ્રસ્તાન બની ગયું છે. વરસાદ અને ભૂસ્ખલનથી (landslide) પ્રભાવિત ઈરસાલવાડી ગામમાં માત્ર ત્રણ દિવસમાં 27 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. ત્રીજા દિવસે એટલે કે શનિવારે રાયગઢ જિલ્લા પ્રશાસને સત્તાવાર રીતે માહિતી આપી છે કે 78 લોકો હજુ પણ ગુમ છે. એટલે કે 78 લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા છે. આવી સ્થિતિમાં સ્પષ્ટ છે કે જો હવામાનની સ્થિતિ એવી જ રહેશે તો આગામી એક સપ્તાહ સુધી બચાવકાર્ય ચાલુ રહેશે.

તમને જણાવી દઈએ કે આવતીકાલે ફરીથી આ 78 લોકોની શોધ શરૂ કરવામાં આવશે. એનડીઆરએફનું કહેવું છે કે શોધ ચાલુ રાખવી કે નહીં, તે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નક્કી કરવામાં આવશે. NDRFની ચાર ટીમોએ ત્રણ દિવસથી ધામા નાખ્યા છે. જોકે જે લોકોના મૃતદેહ મળી રહ્યા છે, તેઓને અત્યાર સુધી સામૂહિક રીતે દફનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Rain Video: ફરી એકવાર કહેવાતુ મેટ્રો સિટી બન્યુ જળમગ્ન, શહેરમાં માત્ર 30 ટકા વિસ્તારોમાં જ ડ્રેનેજની સુવિધા હોવાનો વિપક્ષના નેતાનો આરોપ

કલમ 144 પણ લાગુ કરવામાં આવી

તે જ સમયે, બહારના લોકો, પ્રવાસીઓ સહિત દરેક માટે પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માત્ર એજન્સીઓ સાથે સંકળાયેલા લોકો જ ઈરસાલ વાડીમાં પ્રવેશી શકશે. વારંવાર ભૂસ્ખલનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે.

હજુ પણ 78 લોકો ગુમ

માહિતી અનુસાર જિલ્લા પ્રશાસને આજે ગામ સંબંધિત આંકડા જાહેર કર્યા અને જણાવ્યું કે અહીં કુલ 43 ઘર હતા. આમાં કુલ વસ્તી 229 છે, જેમાં 27ના મોત થયા છે. આ સિવાય 78 લોકો ગુમ છે. માનવામાં આવી રહ્યું છે કે આ તમામ લોકો કાટમાળ નીચે દટાયા છે.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ: પ્રેમ અને સંબંધોમાં ખુશખબર, ધંધામાં રાખો સાવધાની
આજનું રાશિફળ: પ્રેમ અને સંબંધોમાં ખુશખબર, ધંધામાં રાખો સાવધાની
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'
ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'
હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો
હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો
g clip-path="url(#clip0_868_265)">