AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OBC Reservation: મહારાષ્ટ્રમાં OBC અનામત માટે ‘મધ્યપ્રદેશ પેટર્ન’, આજે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે મહત્વની બેઠક

છગન ભુજબળે કહ્યું, જે કાયદો મહારાષ્ટ્રમાં લાગુ કરવામાં આવ્યો છે, તે જ કાયદો મધ્યપ્રદેશમાં પણ લાગુ કરવામાં આવ્યો છે. પરંતુ તેણે તરત જ વટહુકમ બહાર પાડ્યો. ત્યાં સરકાર તેમની છે. રાજ્યપાલ પણ તેમના છે. ચૂંટણી પંચ સરકારને સહકાર આપી રહ્યું છે. તેથી ત્યાં કોઈ સમસ્યા આવી રહી નથી.

OBC Reservation: મહારાષ્ટ્રમાં OBC અનામત માટે 'મધ્યપ્રદેશ પેટર્ન', આજે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે મહત્વની બેઠક
Chhagan Bhujbal, minister in Maharashtra government
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2022 | 2:58 PM
Share

ઓબીસી અનામત (OBC Reservation) માટેના અવરોધોને દૂર કરવા માટે હવે મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકાર ‘મધ્ય પ્રદેશ પેટર્ન’ (Madhya Pradesh Pattern) લાગુ કરવા જઈ રહી છે. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી છગન ભુજબળે (Chhagan Bhujbal)  આ અંગેની માહિતી આપી છે. આ સંદર્ભે આજે (સોમવાર, 7 માર્ચ) એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને વિધાન પરિષદમાં વિપક્ષના નેતા પ્રવિણ દરેકર પણ હાજર રહેશે. આ સર્વપક્ષીય બેઠકમાં શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે. અન્ય રાજ્યોમાં પણ OBC રાજકીય અનામતને લગતા મુદ્દાઓ વધી રહ્યા છે.

ઓબીસી અનામત વિના સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી યોજવાની કોઈ મજબૂરી ના રહે, તે માટે મધ્યપ્રદેશ સરકાર દ્વારા જે પ્રકારનું બિલ લાવવામાં આવ્યું. તેવું જ બિલ મહારાષ્ટ્ર સરકાર આજે વિધાનસભામાં લાવવા જઈ રહી છે. આવી સ્થિતિમાં છગન ભુજબળે મુંબઈમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જો કેન્દ્ર સરકાર આ અંગે દરમિયાનગીરી કરે અને રાષ્ટ્રીય સ્તરે નિર્ણય લે તો તેનો ઉકેલ મળી શકે.

આ રીતે લાગુ કરી શકાય છે ‘મધ્ય પ્રદેશ પેટર્ન’

ઓબીસી અનામતના સંદર્ભમાં ટ્રિપલ ટેસ્ટ સંબંધિત મુશ્કેલીઓ સામે આવી રહી છે. ટ્રિપલ ટેસ્ટ વિના અનામત આપી શકાય નહીં. આ નિયમ સમગ્ર દેશમાં લાગુ છે. આ કારણે મહારાષ્ટ્રમાં ઘણી જગ્યાએ ઓબીસી રાજકીય અનામત વિના ચૂંટણી યોજવી પડી હતી. છગન ભુજબળે કહ્યું કે આ નિયમો મધ્યપ્રદેશ, ઓડિશા, કર્ણાટકમાં પણ લાગુ છે. પરંતુ મધ્યપ્રદેશે આના ઉકેલ તરીકે વટહુકમ બહાર પાડ્યો હતો. ચૂંટણી પંચના કેટલાક અધિકારોની જવાબદારી પોતાના માથે લીધી.

ડીવીઝન બનાવવું, તે ધ્યાનમાં લેવું કે ક્યાં આરક્ષણ આપવું શક્ય છે, મધ્યપ્રદેશે પોતે જ આ નિર્ણય લીધો છે. ચૂંટણી પંચનો આમાં હસ્તક્ષેપ રહ્યો નથી. ચૂંટણી પંચની સત્તા માત્ર ચૂંટણી કરાવવાની જ બાકી રહી. તેનાથી ત્યાં સમયની પણ બચત થઈ હતી. તેઓ હવે વિભાગોમાં ફેરબદલ કરતી વખતે ઈમ્પિરિકલ ડેટા એકત્રિત કરી રહ્યા છે.

વિરોધ પક્ષની સહમતિનો પ્રશ્ન

છગન ભુજબળે કહ્યું કે મધ્યપ્રદેશની જેમ મહારાષ્ટ્ર સરકાર પણ ઓબીસી રાજકીય અનામત આપવામાં મુશ્કેલીનો સામનો કરી રહી છે. મધ્યપ્રદેશે જે રીતે આ સમસ્યાઓનો ઉકેલ શોધી કાઢ્યો છે, અમે પણ તે જ માર્ગ પર આગળ વધવાનું વિચારી રહ્યા છીએ. આ અંગે મુખ્યમંત્રી અને વિરોધ પક્ષો સાથે વાતચીત કરવામાં આવી છે. તેમણે સંમતિ આપી છે. આ અંગે કેટલીક દરખાસ્તો પણ આવી છે. હવે એક બેઠક છે. ડેપ્યુટી સીએમ અજિત પવાર, વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસ, પ્રવીણ દરેકરને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. છગન ભુજબળે એમ પણ કહ્યું હતું કે આ બેઠક અંગે તેમને ઘણી આશાઓ છે.

‘મધ્યપ્રદેશમાં રાજ્યપાલ તેમના છે’

છગન ભુજબળે કહ્યું, જે કાયદો મહારાષ્ટ્રમાં લાગુ કરવામાં આવ્યો છે, તે જ કાયદો મધ્યપ્રદેશમાં પણ લાગુ કરવામાં આવ્યો છે. પરંતુ તેણે તરત જ વટહુકમ બહાર પાડ્યો. ત્યાં સરકાર તેમની છે. રાજ્યપાલ પણ તેમના છે. ચૂંટણી પંચ સરકારને સહકાર આપી રહ્યું છે. તેથી ત્યાં કોઈ સમસ્યા આવી રહી નથી.

આ પણ વાંચો :  Maharashtra Weather: મુંબઈમાં વાવાઝોડાનો મોટો ખતરો, દરિયામાં શરૂ થઈ હલચલ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">