AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાયરસ મિસ્ત્રી અકસ્માત કેસમાં મર્સિડીઝને પુછાયા છ વેધક સવાલ : એરબેગ્સ કેમ ન ખુલી ?

પાલઘરના(Palghar ) એસપી બાલાસાહેબ પાટીલે મર્સિડીઝ ટીમ પાસેથી આવા 6 સવાલોના જવાબ માંગ્યા છે. મર્સિડીઝના રિપોર્ટમાં ટૂંક સમયમાં મોટા ખુલાસા થઈ શકે છે.

સાયરસ મિસ્ત્રી અકસ્માત કેસમાં મર્સિડીઝને પુછાયા છ વેધક સવાલ : એરબેગ્સ કેમ ન ખુલી ?
Cyrus mistry accident
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2022 | 8:39 AM
Share

ટાટા (Tata )ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના મર્સિડીઝ અકસ્માતમાં મૃત્યુના બીજા દિવસે સોમવારે ટેકનિકલ અને એન્જિનિયરિંગ ટીમે કારનું વિશ્લેષણ કર્યું હતું. આ દરમિયાન ટીમની સામે અનેક સવાલો ઉભા થયા હતા. જેમ કે એરબેગ્સ કેમ ન ખૂલી?, શું કોઈ ટેકનિકલ ખામી હતી, બ્રેક ફ્લુઈડ કેટલું હતું, ટાયરનું દબાણ શું હતું? પાલઘરના એસપી બાલાસાહેબ પાટીલે મર્સિડીઝ ટીમ પાસેથી આવા 6 સવાલોના જવાબ માંગ્યા છે. મર્સિડીઝના રિપોર્ટમાં ટૂંક સમયમાં મોટા ખુલાસા થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે સાયરસ મિસ્ત્રીએ મુંબઈને અડીને આવેલા પાલઘરમાં રોડ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. તે ગુજરાતના ઉદવાડામાં બનેલા પારસી મંદિરમાંથી પરત ફરી રહ્યો હતો. ત્યારબાદ મિસ્ત્રીની કાર પાલઘર પાસે રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેમાં મિસ્ત્રી અને તેના મિત્રનું મોત થયું હતું. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે મર્સિડીઝ લગભગ 134 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હતી. ઘટનાસ્થળની નજીક લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયેલા કારના છેલ્લા વીડિયો ફૂટેજ પરથી આ વાત સામે આવી છે.

પ્રારંભિક માહિતી મુજબ, વધુ ઝડપ અને નિર્ણયની ભૂલને કારણે કાર અકસ્માત સર્જાયો હતો. બંને મૃતકોએ સીટ બેલ્ટ પહેર્યા ન હતા. ચરોટી ચેકપોસ્ટ પર સીસીટીવી કેમેરા દ્વારા કેપ્ચર કરાયેલા ફૂટેજનું વિશ્લેષણ કરતી વખતે, પાલઘર પોલીસને જાણવા મળ્યું કે કાર બપોરે 2.21 વાગ્યે ચેકપોસ્ટને પાર કરી ગઈ હતી અને અકસ્માત 20 કિમી આગળ (મુંબઈની દિશામાં) થયો હતો.  આ બતાવે છે કે કારે માત્ર નવ મિનિટમાં 20 કિમી નું અંતર કાપ્યું હતું,અકસ્માત સૂર્યા નદીના પુલ પર બપોરે 2.30 વાગ્યે થયો હતો.

જોકે કારની આટલી મોટી કંપનીમાં આ ભૂલ કેવી રીતે હોય શકે છે, તેના પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે, ત્યારે હવે મર્સિડીઝ કંપની દ્વારા આ બાબતે શું જવાબ આપવામાં આવે છે, તેના પર સૌથી નજર છે.

Follow Us
રાજકારણમાં નણંદ-ભાભી આમને-સામને, રીવાબા-નયનાબાનો રાજકીય ટકરાવ
રાજકારણમાં નણંદ-ભાભી આમને-સામને, રીવાબા-નયનાબાનો રાજકીય ટકરાવ
ધ્રાંગધ્રામાં 5 વર્ષીય બાળકના મોત કેસમાં ખુલાસો થયો,જુઓ વીડિયો
ધ્રાંગધ્રામાં 5 વર્ષીય બાળકના મોત કેસમાં ખુલાસો થયો,જુઓ વીડિયો
અખાત્રીજ નિમિત્તે જગન્નાથ મંદિરમાં રથ પૂજન, જુઓ વીડિયો
અખાત્રીજ નિમિત્તે જગન્નાથ મંદિરમાં રથ પૂજન, જુઓ વીડિયો
કમોસમી વરસાદનું એલર્ટ! ગુજરાતના આ વિસ્તારોમાં ખાપકી શકે કમોસમી વરસાદ
કમોસમી વરસાદનું એલર્ટ! ગુજરાતના આ વિસ્તારોમાં ખાપકી શકે કમોસમી વરસાદ
કેરી રસીયાઓેએ હવે કેસર માટે બહુ નહીં જોવી પડે રાહ, હરાજીનો થયો પ્રારંભ
કેરી રસીયાઓેએ હવે કેસર માટે બહુ નહીં જોવી પડે રાહ, હરાજીનો થયો પ્રારંભ
તમિલનાડુ બ્લાસ્ટ: ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ ધડાકો, 17ના મોતથી મચી ચીસ
તમિલનાડુ બ્લાસ્ટ: ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ ધડાકો, 17ના મોતથી મચી ચીસ
નસવાડી: પ્રચારમાં ગયેલા MLA અભેસિંહ તડવીનો ઉગ્ર વિરોધ, વીડિયો વાયરલ
નસવાડી: પ્રચારમાં ગયેલા MLA અભેસિંહ તડવીનો ઉગ્ર વિરોધ, વીડિયો વાયરલ
રાજકોટમાં વોર્ડ નંબર 10માં અંજલિ રૂપાણીએ ડોર ટુ ડોર કર્યો પ્રચાર
રાજકોટમાં વોર્ડ નંબર 10માં અંજલિ રૂપાણીએ ડોર ટુ ડોર કર્યો પ્રચાર
અમદાવાદમાં ક્લાસ-1 અધિકારી બન્યા વાસી ખોરાકનો 'શિકાર'
અમદાવાદમાં ક્લાસ-1 અધિકારી બન્યા વાસી ખોરાકનો 'શિકાર'
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
g clip-path="url(#clip0_868_265)">