AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાયરસ મિસ્ત્રી અકસ્માત કેસમાં મર્સિડીઝને પુછાયા છ વેધક સવાલ : એરબેગ્સ કેમ ન ખુલી ?

પાલઘરના(Palghar ) એસપી બાલાસાહેબ પાટીલે મર્સિડીઝ ટીમ પાસેથી આવા 6 સવાલોના જવાબ માંગ્યા છે. મર્સિડીઝના રિપોર્ટમાં ટૂંક સમયમાં મોટા ખુલાસા થઈ શકે છે.

સાયરસ મિસ્ત્રી અકસ્માત કેસમાં મર્સિડીઝને પુછાયા છ વેધક સવાલ : એરબેગ્સ કેમ ન ખુલી ?
Cyrus mistry accident
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2022 | 8:39 AM
Share

ટાટા (Tata )ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના મર્સિડીઝ અકસ્માતમાં મૃત્યુના બીજા દિવસે સોમવારે ટેકનિકલ અને એન્જિનિયરિંગ ટીમે કારનું વિશ્લેષણ કર્યું હતું. આ દરમિયાન ટીમની સામે અનેક સવાલો ઉભા થયા હતા. જેમ કે એરબેગ્સ કેમ ન ખૂલી?, શું કોઈ ટેકનિકલ ખામી હતી, બ્રેક ફ્લુઈડ કેટલું હતું, ટાયરનું દબાણ શું હતું? પાલઘરના એસપી બાલાસાહેબ પાટીલે મર્સિડીઝ ટીમ પાસેથી આવા 6 સવાલોના જવાબ માંગ્યા છે. મર્સિડીઝના રિપોર્ટમાં ટૂંક સમયમાં મોટા ખુલાસા થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે સાયરસ મિસ્ત્રીએ મુંબઈને અડીને આવેલા પાલઘરમાં રોડ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. તે ગુજરાતના ઉદવાડામાં બનેલા પારસી મંદિરમાંથી પરત ફરી રહ્યો હતો. ત્યારબાદ મિસ્ત્રીની કાર પાલઘર પાસે રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેમાં મિસ્ત્રી અને તેના મિત્રનું મોત થયું હતું. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે મર્સિડીઝ લગભગ 134 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હતી. ઘટનાસ્થળની નજીક લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયેલા કારના છેલ્લા વીડિયો ફૂટેજ પરથી આ વાત સામે આવી છે.

પ્રારંભિક માહિતી મુજબ, વધુ ઝડપ અને નિર્ણયની ભૂલને કારણે કાર અકસ્માત સર્જાયો હતો. બંને મૃતકોએ સીટ બેલ્ટ પહેર્યા ન હતા. ચરોટી ચેકપોસ્ટ પર સીસીટીવી કેમેરા દ્વારા કેપ્ચર કરાયેલા ફૂટેજનું વિશ્લેષણ કરતી વખતે, પાલઘર પોલીસને જાણવા મળ્યું કે કાર બપોરે 2.21 વાગ્યે ચેકપોસ્ટને પાર કરી ગઈ હતી અને અકસ્માત 20 કિમી આગળ (મુંબઈની દિશામાં) થયો હતો.  આ બતાવે છે કે કારે માત્ર નવ મિનિટમાં 20 કિમી નું અંતર કાપ્યું હતું,અકસ્માત સૂર્યા નદીના પુલ પર બપોરે 2.30 વાગ્યે થયો હતો.

જોકે કારની આટલી મોટી કંપનીમાં આ ભૂલ કેવી રીતે હોય શકે છે, તેના પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે, ત્યારે હવે મર્સિડીઝ કંપની દ્વારા આ બાબતે શું જવાબ આપવામાં આવે છે, તેના પર સૌથી નજર છે.

કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
g clip-path="url(#clip0_868_265)">