AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં આગામી 48 કલાક સુધી ભારે વરસાદની આગાહી, IMDએ કર્યુ યલો એલર્ટ જાહેર

પૂર્વ-મધ્ય અને પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્રમાં નીચા દબાણનો વિસ્તાર બન્યો છે. તેની અસર મહારાષ્ટ્રમાં જોવા મળશે. IMDએ માછીમારોને 21 અને 22 નવેમ્બરે અરબી સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે.

મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં આગામી 48 કલાક સુધી ભારે વરસાદની આગાહી, IMDએ કર્યુ યલો એલર્ટ જાહેર
symbolic picture
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2021 | 8:24 PM
Share

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં આગામી બે દિવસ સુધી વરસાદ (Heavy Rain in Maharashtra) થવાની સંભાવના છે. પૂર્વ-મધ્ય અને પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્રમાં નીચા દબાણનો વિસ્તાર તૈયાર થયો છે. તેની અસર મહારાષ્ટ્રમાં જોવા મળશે. જેના કારણે આગામી બે દિવસ રાજ્યમાં વીજળીના કડાકા થશે, વાદળો ગરજશે અને વરસાદ પડશે.

આઈએમડીએ માછીમારોને 21 અને 22 નવેમ્બરે અરબી સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે. ખાસ કરીને મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડાના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

IMDએ માછીમારોને અરબી સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે

મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડા સહિત આ વિસ્તારોમાં યલો એલર્ટ

અરબી સમુદ્રમાં પવનોના પ્રવાહને જોતા પ્રાદેશિક હવામાન વિભાગે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું અનુમાન જાહેર કર્યુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, પૂણે, સતારા, સાંગલી, કોલ્હાપુર, સોલાપુર, નાસિક, અહમદનગર, બીડ, ઉસ્માનાબાદ, લાતુર અને નાંદેડ જિલ્લામાં 21 નવેમ્બર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 22 નવેમ્બરે રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, પૂણે, સતારા, સાંગલી, કોલ્હાપુર, બીડ અને ઉસ્માનાબાદ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

દક્ષિણ ભારતમાં ફરી મુશળધાર વરસાદની આગાહી

દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે તબાહી મચાવી છે. હવામાન વિભાગે આગામી 48 કલાક માટે પણ મુશળધાર વરસાદની આગાહી કરી છે. તમિલનાડુ, કર્ણાટક, કેરળમાં મુશળધાર વરસાદ પડશે.

આ તરફ મહારાષ્ટ્રના પડોશી રાજ્ય ગોવામાં પણ સારો વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણ ભારતમાં વરસાદને કારણે અત્યાર સુધી ત્યાં રેલ્વે વાહનવ્યવહાર ખરાબ રીતે પ્રભાવિત થયો છે. અનેક વિસ્તારોમાં રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે.

વધારે લાંબા અંતરની અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે. હાવડા-યશવંતપુર દુરંતો એક્સપ્રેસ, સંતરાગાછી-તિરુપતિ એક્સપ્રેસ, હાવડા-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ, હાવડા-તિરુચિરાપલ્લી એક્સપ્રેસ અને હટિયા-યશવંતપુર એક્સપ્રેસ રદ કરવામાં આવી છે.

આ પણ વાંચો :  Farm Laws Withdrawn : આંદોલનમાં મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારને સહાય કરવાની ઉઠી માંગ, આ સાંસદે મોદી સરકાર પર કર્યા પ્રહાર

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">