AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Alert: મુંબઈ, થાણેમાં મુશળધાર વરસાદની આગાહી, આગામી 4 દિવસ સુધી કોંકણ, મરાઠવાડામાં પડી શકે છે ભારે વરસાદ

આગામી ચારથી પાંચ દિવસ સુધી રાજ્યના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ થવાની સંભાવના છે. તેમાંથી મુંબઈ, થાણે, પાલઘર જિલ્લાઓમાં મહત્તમ વરસાદ થવાની સંભાવના છે.

Rain Alert: મુંબઈ, થાણેમાં મુશળધાર વરસાદની આગાહી, આગામી 4 દિવસ સુધી કોંકણ, મરાઠવાડામાં પડી શકે છે ભારે વરસાદ
IMD દ્વારા મુશળધાર વરસાદની ચેતવણી (PTI Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2021 | 9:11 PM
Share

ભારતીય હવામાન વિભાગે (IMD) આગામી ચાર દિવસ સુધી મહારાષ્ટ્રમાં ઘણી જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની ચેતવણી આપી છે. આગામી 48 કલાકમાં ઉત્તર અને ઉત્તર મધ્ય બંગાળની ખાડી ઉપર લો પ્રેશર એરિયા બનવાની સંભાવના છે. તેથી આગામી ચારથી પાંચ દિવસ સુધી રાજ્યના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ થવાની સંભાવના છે. તેમાંથી મુંબઈ, થાણે, પાલઘર જિલ્લાઓમાં મહત્તમ વરસાદ થવાની સંભાવના છે.

જાણો ક્યા-ક્યા ભારે વરસાદ પડશે અને ક્યા-ક્યા મધ્યમ વરસાદ

રાજ્યમાં 7 સપ્ટેમ્બરે સિંધુદુર્ગ, રત્નાગિરી, રાયગઢ જેવા થાણે, પાલઘર, મુંબઈ, નાસિક, ઓરંગાબાદ, જાલના જેવા ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. અહમદનગર, બીડ, પરભણી, અકોલા, અમરાવતી, યવતમાલ, નાંદેડ, બુલઢાણા, હિંગોલીમાં મધ્યમ વરસાદની અપેક્ષા છે.

5 સપ્ટેમ્બરે રત્નાગિરી અને સિંધુદુર્ગ માટે ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે

કોંકણ પટ્ટામાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયાકિનારે રહેતા લોકો માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ખાસ કરીને રત્નાગિરી અને સિંધુદુર્ગ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ક્યા ક્યા પડશે રીમઝીમ વરસાદ

આમ, સાતારા, પૂણે, રાયગઢ, કોલ્હાપુર, મુંબઈ, થાણે, પાલઘર, નાસિક, અહમદનગર, જલગાંવ, જાલના, બીડ, ઉસ્માનાબાદ, લાતુર, પરભણી, હિંગોલી, નાંદેડ, ચંદ્રપુર, અમરાવતી, ગઢચિરોલી જેવા જિલ્લાઓમાં મધ્યમ વરસાદ પડવાનું અનુમાન છે.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પણ મહારાષ્ટ્રમાં ભારે વરસાદનો કહેર જોવા મળ્યો હતો. આ કહેર વચ્ચે રાહત અને બચાવ કામગારી ઝડપથી ચલાવવામાં આવી હતી. વરસાદથી પેદા થયેલી આ વિકટ સ્થિતિ અને ભૂસ્ખલનના કારણે રાજ્યમાં લગભગ 136થી પણ વધારે લોકોના મોત થયા હતા. આ બધા વચ્ચે પૂણે મંડળમાં 84,452 લોકોને  સુરક્ષિત પહોંચાડવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રના પૂણે મંડળમાં ભારે વરસાદ અને નદીઓમાં પૂરની સ્થિતિના કારણે 84,452 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા હતા.

આ બાજુ ગુજરાતમાં પણ હાલમાં નોંધનીય વરસાદ પડ્યો છે. ગુજરાતમાં હાલ ચોમાસાની ગતિવિધિ પૂરજોશમાં છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ છે. સપ્ટેમ્બરની શરૂઆત ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ માટે સારી રહી છે અને અનેક ડેમોમાં નવા નીર આવવાના શરૂ થયા છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆત જ ગુજરાતના ખેડૂતો માટે સારી રહી છે, હજારો ખેડૂતોના સુકાઈ રહેલા પાકને આ વરસાદથી નવજીવન મળશે.

આ પણ વાંચો : Maharashtra : સેન્ટ્રલ જેલમાં કેદીઓએ બનાવી ગણેશની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ, ગણેશ ચતુર્થી પહેલા જ એડવાન્સમાં વેચાઈ ગઈ મૂર્તિ

આ પણ વાંચો :  Maharashtra : 50 લાખ રૂપિયાના ચરસ સાથે યુટ્યુબ ચેનલના ડિરેક્ટરની ધરપકડ, પોલીસને બોલીવુડ ક્નેક્શનની આશંકા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">