AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : ‘સોનિયા ગાંધી સામે ઝુકીને પીઠ દર્દના કારણે જે ઉઠી ન શક્યા, આજે સ્ટેરોઈડ લઈને બોલ્યા’, નિતેશ રાણેના ઠાકરે પર આકરા પ્રહાર

નિતેશ રાણે (Nitesh Rane) એ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા કહ્યું, સોનિયા ગાંધી અને શરદ પવાર સામે ઝૂક્યા પછી તેને પીઠના દુખાવાની સમસ્યા શરૂ થઈ ગઈ છે, તમારા મોઢે હિંદુત્વ શબ્દ શોભતો નથી.'

Maharashtra : 'સોનિયા ગાંધી સામે ઝુકીને પીઠ દર્દના કારણે જે ઉઠી ન શક્યા, આજે સ્ટેરોઈડ લઈને બોલ્યા', નિતેશ રાણેના ઠાકરે પર આકરા પ્રહાર
Nitesh Rane and CM Uddhav Thackeray (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2022 | 9:55 AM
Share

Maharashtra : સોમવારે મુંબઈમાં એક કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાના તેમના બંગલા ‘માતોશ્રી’ ની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવા પર પણ પ્રતિક્રિયા આપી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જો કોઈ તેમને ફોન કરીને ઘરે આવીને નમ્રતાથી હનુમાન ચાલીસાના પાઠ (Hanuman Chalisa Row)કરવા ઈચ્છે તો તેમનું સ્વાગત છે. પરંતુ જો કોઈ વ્યક્તિ ઘમંડ બતાવે છે, તો શિવસૈનિકોએ તેનો ઘમંડ તોડવો જ પડશે. BJP પર પ્રહાર કરતા સીએમ ઠાકરેએ કહ્યું, ‘ઘંટાધારી લોકો, આપણે ગદા ધારકોને હનુમાન ભક્તિ ન શીખવવી જોઈએ અને હિન્દુત્વના (Hindutva) પાઠ ન ભણાવવા જોઈએ.’ ઉદ્ધવ ઠાકરેના આ હુમલા પર બીજેપી નેતા નિતેશ રાણેએ  ( BJP Nitesh Rane) વળતો જવાબ આપ્યો છે.

નિતેશ રાણેએ કહ્યું, ‘તેઓ હિંદુત્વમાં કેટલો વિશ્વાસ રાખે છે, તે તેમના કાર્યો પરથી સમજાય છે. ઉદ્ધવ ઠાકરે અમને નવા હિન્દુવાદી કહેવાનું બંધ કરો. પોતાને બિનસાંપ્રદાયિક કહેવાનું શરૂ કરો. સોનિયા ગાંધી અને શરદ પવારની સામે માથું ઝુકીને તેમને પીઠના દુખાવાની સમસ્યા શરૂ થઈ ગઈ છે અને હિન્દુત્વ શબ્દ તમારા મોઢાને શોભતો નથી. ઉદ્ધવ ઠાકરે સ્ટેરોઈડ લઈને બોલે છે.

ઠાકરે શૈલીની ચેતવણીનો રાણે શૈલીમાં જવાબ

‘દાદાગીરી કરશો તો જવાબ આપવા શિવસેના આવે છે’, સીએમ ઠાકરેના આ પડકાર પર નિતેશ રાણેએ પણ પોતાની સ્ટાઈલમાં પલટવાર કર્યો. રાણેએ કહ્યું, ‘ચાલો બતાવો, તમે તમારી પોલીસને હટાવો અને દાદાગીરીના રસ્તે ઉતરો, તમારા બે પુત્રો સાથે પણ ઉતરો. 24 કલાક માટે તમારી આસપાસના વિસ્તારમાંથી પોલીસને હટાવો.” નિતેશ રાણેએ સીએમ ઠાકરે પર હનુમાન ચાલીસાને લઈને આકરા પ્રહારો કર્યા છે.

નવનીત રાણા મુદ્દે નિતેશ રાણે આકરા પાણીએ

નવનીત રાણા સાથે પોલીસના વર્તન અંગે નિતેશ રાણેએ કહ્યું, ‘શું થઈ રહ્યું છે ? કોલ્હાપુરમાં મને પણ ઈન્જેક્શન આપીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રાત્રે એક મહિલાને ખાર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી,બાદમાં તેને સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા.ભાજપના નેતા નિતેશ રાણેએ ઠાકરે સરકાર પર નવનીત રાણાને આ રીતે ટોર્ચર કરવાનો આરોપ લગાવ્યો છે.

Follow Us
સુરતની બોય્ઝ હોસ્ટેલના ભોજનમાં નીકળ્યો વંદો! મેસ એજન્સી સામે કાર્યવાહી
સુરતની બોય્ઝ હોસ્ટેલના ભોજનમાં નીકળ્યો વંદો! મેસ એજન્સી સામે કાર્યવાહી
સાપુતારા જતી બસ ભેખડ સાથે અથડાઈ, 54 મુસાફરોનો આબાદ બચાવ ! Video
સાપુતારા જતી બસ ભેખડ સાથે અથડાઈ, 54 મુસાફરોનો આબાદ બચાવ ! Video
જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાંથી દીપડો પાંજરે પુરાયો
જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાંથી દીપડો પાંજરે પુરાયો
આજનું રાશિફળ: આજે વિદ્યાર્થીઓને મળશે સફળતાના સંકેત, જાણો તમારું રાશિફળ
આજનું રાશિફળ: આજે વિદ્યાર્થીઓને મળશે સફળતાના સંકેત, જાણો તમારું રાશિફળ
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
g clip-path="url(#clip0_868_265)">