Parambir Singh Case : સુપ્રીમ કોર્ટે મુંબઈના ભૂતપૂર્વ કમિશનર પરમબીર સિંહની ધરપકડ પર લગાવી રોક

પરબીર સિંહના વકીલ બાલીએ કોર્ટમાં કહ્યું કે, મારા અસીલને ડીજીપી તરફથી પત્ર પાછો ખેંચવા અને ગૃહમંત્રીના મામલામાં શાંત રહેવા માટે કહેવામાં આવ્યું હતું.

Parambir Singh Case : સુપ્રીમ કોર્ટે મુંબઈના ભૂતપૂર્વ કમિશનર પરમબીર સિંહની ધરપકડ પર લગાવી રોક
Parambir Singh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2021 | 3:30 PM

Maharashtra : સુપ્રીમ કોર્ટે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને (Parambir Singh) ધરપકડથી રક્ષણ મેળવવાની અરજી પર સોમવારે સુનાવણી હાથ ધરી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે (Supreme Court) પરમબીર સિંહને ચાલુ તપાસ દરમિયાન ધરપકડ ન કરવાનો આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન પરમબીર સિંહના વકીલે કોર્ટને કહ્યું હતુ કે, પરમબીર સિંહ દેશમાં જ છે, પરંતુ તેમના જીવને ખતરો છે, તેથી તે છુપાયા છે.

આ કેસની આગામી સુનાવણી 6 ડિસેમ્બરના રોજ થશે

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

તમને જણાવી દઈએ કે, ગત સુનાવણી દરમિયાન કોર્ટે તેમના વકીલને પૂછ્યું હતું કે પરમબીર સિંહ ક્યાં છે, પહેલા જણાવો, પછી કોર્ટ સુનાવણી કરશે. ત્યારે સુપ્રીમ કોર્ટે આજે નોટિસ જારી કરીને મહારાષ્ટ્ર સરકાર અને CBIને 6 ડિસેમ્બર સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસની આગામી સુનાવણી 6 ડિસેમ્બરના રોજ થશે.

પરમબીરના વકીલ પુનીત બાલીએ જસ્ટિસ સંજય કિશન કૌલની બેંચને કહ્યુ કે, પરમબીર દેશમાં છે. જ્યારે બેન્ચે પૂછ્યું કે તેમને મુંબઈ પોલીસથી કેવી રીતે ખતરો છે. ત્યારે પરમબીર સિંહ વતી એડવોકેટ બાલીએ કોર્ટમાં કહ્યું કે તેમની વિરુદ્ધ FIR થઈ છે. તે દેશમાં છે, પરંતુ તેના જીવના જોખમને કારણે તે છુપાઈ રહ્યા છે. ઉપરાંત પરબીર સિંહ વતી એડવોકેટ બાલીએ કહ્યું કે મેં રાજ્યના ગૃહમંત્રી સામે સ્ટેન્ડ લીધું છે. આવી સ્થિતિમાં આ કેસની તપાસ CBI દ્વારા થવી જોઈએ.

CBIને કેસ સોંપવામાં આવે તો પરમબીર સિંહ હાજર થશે

સિંહના વકીલ બાલીએ કહ્યું કે, મારા અસીલને DGP તરફથી પત્ર પાછો ખેંચવા અને ગૃહમંત્રીના(Anil Deshmukh) મામલામાં શાંત રહેવા માટે કહેવામાં આવ્યું હતું. તેમજ બાલીએ કોર્ટમાં ટ્રાન્સક્રિપ્ટ રજૂ કરી છે. બાલીએ કહ્યું કે હું કોર્ટને જણાવવા માંગુ છું કે મારા અસીલને કેવી રીતે ધમકી આપવામાં આવી છે. તેમની સામે એક પછી એક છ એફઆઈઆર નોંધવામાં આવી. તે પણ તે વ્યક્તિ દ્વારા જેની સામે પરમબીર સિંહે તેમના કાર્યકાળ દરમિયાન કાર્યવાહી કરી હતી. બાલીએ પરમબીર સિંહ વતી કહ્યું કે આ મામલાની તપાસ સીબીઆઈ દ્વારા થવી જોઈએ. જો CBI આ કેસની તપાસ કરે તો પરમબીર કોઈપણ CBI અધિકારી સમક્ષ હાજર થવા તૈયાર છે.

આ પણ વાંચો: સમીર દાઉદ વાનખેડે તમે આ શું કર્યું ?, નવાબ મલિકે વાનખેડેના નિકાહની તસવીર શેર કરીને ઉઠાવ્યા સવાલ

આ પણ વાંચો: Mumbai : આ બોલીવુડ અભિનેતાની પત્નીની ધરપકડ, હની ટ્રેપમાં વસૂલ્યા હતા કરોડો રૂપિયા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">