AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parambir Singh Case : સુપ્રીમ કોર્ટે મુંબઈના ભૂતપૂર્વ કમિશનર પરમબીર સિંહની ધરપકડ પર લગાવી રોક

પરબીર સિંહના વકીલ બાલીએ કોર્ટમાં કહ્યું કે, મારા અસીલને ડીજીપી તરફથી પત્ર પાછો ખેંચવા અને ગૃહમંત્રીના મામલામાં શાંત રહેવા માટે કહેવામાં આવ્યું હતું.

Parambir Singh Case : સુપ્રીમ કોર્ટે મુંબઈના ભૂતપૂર્વ કમિશનર પરમબીર સિંહની ધરપકડ પર લગાવી રોક
Parambir Singh
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2021 | 3:30 PM
Share

Maharashtra : સુપ્રીમ કોર્ટે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને (Parambir Singh) ધરપકડથી રક્ષણ મેળવવાની અરજી પર સોમવારે સુનાવણી હાથ ધરી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે (Supreme Court) પરમબીર સિંહને ચાલુ તપાસ દરમિયાન ધરપકડ ન કરવાનો આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન પરમબીર સિંહના વકીલે કોર્ટને કહ્યું હતુ કે, પરમબીર સિંહ દેશમાં જ છે, પરંતુ તેમના જીવને ખતરો છે, તેથી તે છુપાયા છે.

આ કેસની આગામી સુનાવણી 6 ડિસેમ્બરના રોજ થશે

તમને જણાવી દઈએ કે, ગત સુનાવણી દરમિયાન કોર્ટે તેમના વકીલને પૂછ્યું હતું કે પરમબીર સિંહ ક્યાં છે, પહેલા જણાવો, પછી કોર્ટ સુનાવણી કરશે. ત્યારે સુપ્રીમ કોર્ટે આજે નોટિસ જારી કરીને મહારાષ્ટ્ર સરકાર અને CBIને 6 ડિસેમ્બર સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસની આગામી સુનાવણી 6 ડિસેમ્બરના રોજ થશે.

પરમબીરના વકીલ પુનીત બાલીએ જસ્ટિસ સંજય કિશન કૌલની બેંચને કહ્યુ કે, પરમબીર દેશમાં છે. જ્યારે બેન્ચે પૂછ્યું કે તેમને મુંબઈ પોલીસથી કેવી રીતે ખતરો છે. ત્યારે પરમબીર સિંહ વતી એડવોકેટ બાલીએ કોર્ટમાં કહ્યું કે તેમની વિરુદ્ધ FIR થઈ છે. તે દેશમાં છે, પરંતુ તેના જીવના જોખમને કારણે તે છુપાઈ રહ્યા છે. ઉપરાંત પરબીર સિંહ વતી એડવોકેટ બાલીએ કહ્યું કે મેં રાજ્યના ગૃહમંત્રી સામે સ્ટેન્ડ લીધું છે. આવી સ્થિતિમાં આ કેસની તપાસ CBI દ્વારા થવી જોઈએ.

CBIને કેસ સોંપવામાં આવે તો પરમબીર સિંહ હાજર થશે

સિંહના વકીલ બાલીએ કહ્યું કે, મારા અસીલને DGP તરફથી પત્ર પાછો ખેંચવા અને ગૃહમંત્રીના(Anil Deshmukh) મામલામાં શાંત રહેવા માટે કહેવામાં આવ્યું હતું. તેમજ બાલીએ કોર્ટમાં ટ્રાન્સક્રિપ્ટ રજૂ કરી છે. બાલીએ કહ્યું કે હું કોર્ટને જણાવવા માંગુ છું કે મારા અસીલને કેવી રીતે ધમકી આપવામાં આવી છે. તેમની સામે એક પછી એક છ એફઆઈઆર નોંધવામાં આવી. તે પણ તે વ્યક્તિ દ્વારા જેની સામે પરમબીર સિંહે તેમના કાર્યકાળ દરમિયાન કાર્યવાહી કરી હતી. બાલીએ પરમબીર સિંહ વતી કહ્યું કે આ મામલાની તપાસ સીબીઆઈ દ્વારા થવી જોઈએ. જો CBI આ કેસની તપાસ કરે તો પરમબીર કોઈપણ CBI અધિકારી સમક્ષ હાજર થવા તૈયાર છે.

આ પણ વાંચો: સમીર દાઉદ વાનખેડે તમે આ શું કર્યું ?, નવાબ મલિકે વાનખેડેના નિકાહની તસવીર શેર કરીને ઉઠાવ્યા સવાલ

આ પણ વાંચો: Mumbai : આ બોલીવુડ અભિનેતાની પત્નીની ધરપકડ, હની ટ્રેપમાં વસૂલ્યા હતા કરોડો રૂપિયા

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">