મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે સીએમ ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં એન્ટિલિયા કેસમાં ઝડપાયેલા Sachin Wazeનો ઉલ્લેખ છે. આ પત્રમાં પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે આક્ષેપ લગાવ્યો છે. આ પત્રમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમણે Sachin Waze ને 100 કરોડ રૂપિયા દર મહિને ક્લેક્ટ કરવાનો ટાર્ગેટ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે પરમબીર સિંહને તાજેતરમાં જ મુંબઈના પોલીસ કમિશનર પદ પરથી હટાવવામાં આવ્યા હતા. તેની બાદ શનિવારે તેમણે સીએમ ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો હતો. જેમાં ગૃહ મંત્રી અનિલ દેશમુખ પર મોટો આરોપ લગાવવામાં આવ્યો છે. પરમબીર સિંહે કહ્યું કે મને સચિન વાઝેએ જણાવ્યું હતું કે દર મહિને અનિલ દેશમુખે 100 કરોડ રૂપિયા ક્લેક્ટ કરવા કહ્યું છે.
Former #Mumbai Police Commissioner #ParamBirSingh writes to #Maharashtra CM #UddhavThackeray claiming Home Minister #AnilDeshmukh 's involvement in severe "malpractices". pic.twitter.com/I9EEYzFZbB
— tv9gujarati (@tv9gujarati) March 20, 2021
હાલમાં જ મુંબઈ પોલીસના પૂર્વ અધિકારી સચિન વાઝે પર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો સાથે પાર્ક કરેલી ટીમમાં હોવાનો આરોપ છે. તાજેતરમાં જ એનઆઈએ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે.
પરમબીરસિંહને તાજેતરમાં જ પદ પરથી હટાવવામાં આવ્યા હતા
પરમબીર સિંહને તાજેતરમાં જ મુંબઈ પોલીસ કમિશનર પદ પરથી હટાવવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે કહ્યું હતું કે, આઈપીએસ અધિકારીના કેટલાક સાથીદારોની ગંભીર અને અવિશ્વસનીય ભૂલોને કારણે બદલી કરવામાં આવી હતી. પરમબીર સિંહની બદલી થયા બાદ દેશમુખે કહ્યું હતું કે પોલીસ અધિકારી સચિન વાઝેની તપાસ યોગ્ય રીતે અને કોઈ અડચણ વિના કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
દક્ષિણ મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસ સ્થાનની બહાર એક શંકાસ્પદ કાર મળી હોવાના મામલે પરમબીર સિંહને જે રીતે કાર્યવાહી કરી તેની ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. આ વાહનમાંથી જીલેટીન સ્ટીકો મળી આવી હતી.
આ પણ વાંચો: જાપાનની રાજધાની ટોક્યોમાં ભૂકંપ, કેન્દ્ર બિંદુ મિયાગી પ્રાંતના દરિયાકાંઠે
Published On - 7:11 pm, Sat, 20 March 21