AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Breaking news: IMDએ આગામી 24 કલાકમાં મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગ (IMD) એ શનિવારે એક આગાહીમાં જણાવ્યું હતું કે આગામી 24 કલાકમાં મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની સંભાવના જણાવી છે.

Mumbai Breaking news: IMDએ આગામી 24 કલાકમાં મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરી
rainfall in Mumbai
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2023 | 1:57 PM
Share

મહારાષ્ટ્રના માયાનગરીમાં ભારે વરસાદ પડી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. દરમિયાન, હવામાન વિભાગ (IMD) એ મુંબઈ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ એલર્ટ બે દિવસ એટલે કે શુક્રવાર અને શનિવાર માટે જારી કરવામાં આવ્યું હતું. IMDએ જણાવ્યું હતું કે શનિવારે શહેરમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.

આ પણ વાંચો : Bullet Train News: ગુજરાતમાં બુલેટ ટ્રેનનું 353 KM નું વાયડક્ટનું કામ પૂર્ણ, મહારાષ્ટ્રમાં કામ પ્રગતિમાં

શુક્રવારે મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે, થાણે, રાયગઢ, રત્નાગિરી, સિંધુદુર્ગ, પુણે અને પાલઘર જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. અન્ય જિલ્લાઓમાં, વહીવટીતંત્રને વરસાદની સ્થિતિના આધારે નિર્ણય લેવાની સત્તા આપવામાં આવી છે. શુક્રવારે યોજાનારી 10મી અને 12મીની પૂરક પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી કારણ કે હવામાન વિભાગે રાજ્યમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપી છે. ધોરણ 10ના મુલતવી રાખેલા પેપર 2જી ઓગસ્ટે લેવાશે જ્યારે 12મા ધોરણના પેપર 11મી ઓગસ્ટે લેવાશે.

મુંબઈને ‘યલો’ એલર્ટ હેઠળ રાખવામાં આવ્યું છે, જે રવિવારે અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદનું સૂચન કરે છે, જ્યારે 24 અને 25 જુલાઈ માટે ગ્રીન એલર્ટ જારી કરવામાં આવ્યું છે. IMDએ શુક્રવારે થાણે, રાયગઢ, મુંબઈ જિલ્લાઓ અને પુણેના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી હતી.

રાયગઢ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયા છે

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાયગઢના ઇર્શાલવાડી ગામમાં મોટા ભૂસ્ખલનને લઈને વિધાનસભામાં નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે આ ઘટનામાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયા છે, 8 લોકો ઘાયલ થયા છે. આ ઘટનાથી પ્રભાવિત લોકોનું પુનર્વસન કરવામાં આવશે. સાથે જ મૃતકોના પરિજનોને 5 લાખની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે. ઘાયલોની સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 109 લોકોને ટ્રેસ કરવામાં આવ્યા છે.

રાયગઢમાં હજુ પણ બચાવ કાર્ય ચાલુ

તેમણે જણાવ્યું કે ભારે વરસાદ અને ધુમ્મસના કારણે રાહત કાર્યમાં મુશ્કેલી આવી રહી છે.પહાડી સુધી પહોંચવું ખૂબ જ મુશ્કેલ છે, તેમ છતાં NDRFની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. બચાવ કાર્ય ચાલુ છે. સીએમ શિંદેએ કહ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સેનાના હેલિકોપ્ટર લો પરંતુ ખરાબ હવામાનને કારણે તેનો ઉપયોગ કરી શક્યા નહીં.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
g clip-path="url(#clip0_868_265)">