AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સંજય રાઉત વિરૂદ્ધ નાસિકમાં નોંધાઈ FIR, શિંદે સરકારને ગણાવી હતી ગેરકાયદેસર

સંજય રાઉતે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે શિંદે સરકાર વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ સરકાર ગેરકાયદેસર છે. આ સરકારના આદેશનું પાલન ન કરવું જોઈએ.

સંજય રાઉત વિરૂદ્ધ નાસિકમાં નોંધાઈ FIR, શિંદે સરકારને ગણાવી હતી ગેરકાયદેસર
Sanjay raut
TV9 Gujarati
| Edited By: | Updated on: May 14, 2023 | 7:43 PM
Share

Mumbai: શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેના (UBT) સાંસદ સંજય રાઉત માટે મુશ્કેલીઓ ખતમ થવાનું નામ નથી લઈ રહી. અહીં નાસિક પોલીસમાં સંજય રાઉત વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. બે દિવસ પહેલા સરકારી ગેસ્ટ હાઉસમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સંજય રાઉતે રાજ્ય સરકાર વિરુદ્ધ નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે શિંદે સરકારને આડે હાથ લીધી હતી. જેમાં તેમને શિંદે સરકારને ગેરકાયદે ગણાવી હતી. ત્યારબાદ ફરિયાદ મળતાં રાઉત વિરુદ્ધ મુંબઈ નાકા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આરોપ છે કે સંજય રાઉતે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે શિંદે સરકાર વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ સરકાર ગેરકાયદેસર છે. આ સરકારના આદેશનું પાલન ન કરવું જોઈએ. બીજી તરફ પોલીસનું કહેવું છે કે સંજય રાઉતે પોતાના નિવેદનથી પોલીસ અને જનતા વચ્ચે ખળભળાટ મચાવી દીધો છે. આ પછી, રાઉત વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 505/1 (b) (1922 એક્ટ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Sameer Wankhede: CBIના દરોડા પર સમીર વાનખેડેનું નિવેદન, દેશભક્ત હોવાનું મળ્યું ઈનામ

MVAમાં આંતરિક રીતે કોઈ ગેરસમજ નથી: સંજય રાઉત

બીજી તરફ આજે મુંબઈમાં એનસીપી પ્રમુખ શરદ પવારના ઘરે મહા વિકાસ આઘાડીના નેતાઓની બેઠક યોજાઈ હતી. જેમાં આજે એમવીએની બેઠક બાદ ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે કહ્યું કે એમવીએ પાર્ટીમાં આંતરિક રીતે કોઈ ગેરસમજ નથી. જો કર્ણાટકમાં 40% ભ્રષ્ટાચાર છે તો મહારાષ્ટ્રમાં 100% ભ્રષ્ટાચાર છે. આવી સ્થિતિમાં આ વર્તમાન સરકાર ભ્રષ્ટ છે અને તે હારી જશે.

રાઉતે શિંદે વિરુદ્ધ વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ શિવસેના સાંસદ સંજય રાઉત વિરુદ્ધ નાસિક અને થાણેમાં કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યારથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉદ્ધવ ઠાકરેની ટીકા કરી હતી. જેનો જવાબ આપવા માટે સીએમ એકનાથ શિંદેની સાથે સંજય રાઉતે પણ વાંધાજનક ભાષામાં ભાજપની ટીકા કરી હતી.

આ અંગે શિંદે જૂથના નેતા યોગેશ બેલદારે નાસિકના પંચવટી પોલીસ સ્ટેશનમાં સંજય રાઉત વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આ સાથે રાઉત વિરુદ્ધ થાણે શહેર પોલીસ સ્ટેશનમાં પણ કેસ નોંધવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ, "આ માત્ર મંદિર નહીં.....
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ,
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">