AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BMC: મુંબઇમાં 22 અને 23 ડિસેમ્બરે પાણી કાપ, મરામતને લઇ લેવાયો નિર્ણય

બૃહદ મુંબઇ નગર નિગમ દ્રારા મુંબઇમાં આગામી 22 અને 23 ડિસેમ્બરે પાણીમાં કાપ મુકવામાં આવનાર હોવાની સૂચના આપી છે. મુંબઇમાં પાણી વિતરણ વ્યવસ્થામાં મરામત કરવાના ભાગરુપે પાણી કાપ મુકાનાર હોવાની જાણકારી જારી કરવામાં આવી છે. પાણી વિતરણના 15 ટકા જેટલો કાપ મુકવામાં આવશે. યેવાઇ સ્થિત ક્લોરીન ઇન્જેકશન પોઇન્ટ અને ઘાટકોપરમાં પાઇપલાઇનના વાલ્વ બદલવામાં આવનાર છે. […]

BMC: મુંબઇમાં 22 અને 23 ડિસેમ્બરે પાણી કાપ, મરામતને લઇ લેવાયો નિર્ણય
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 20, 2020 | 5:43 PM
Share

બૃહદ મુંબઇ નગર નિગમ દ્રારા મુંબઇમાં આગામી 22 અને 23 ડિસેમ્બરે પાણીમાં કાપ મુકવામાં આવનાર હોવાની સૂચના આપી છે. મુંબઇમાં પાણી વિતરણ વ્યવસ્થામાં મરામત કરવાના ભાગરુપે પાણી કાપ મુકાનાર હોવાની જાણકારી જારી કરવામાં આવી છે. પાણી વિતરણના 15 ટકા જેટલો કાપ મુકવામાં આવશે. યેવાઇ સ્થિત ક્લોરીન ઇન્જેકશન પોઇન્ટ અને ઘાટકોપરમાં પાઇપલાઇનના વાલ્વ બદલવામાં આવનાર છે. જેને લઇને મુંબઇઘરાઓને બે દિવસ પાણીને લઇને મુશ્કેલી વેઠવી પડશે.

પેંગાવ, યેવઇ થી આગરા રોડ વાલ્વ કોમ્પલેક્ષ વચ્ચે મરામત કરવામાં આવનાર છે. જે મરામત કાર્ય આગામી મંગળવાર 22 ડિસેમ્બરે સવારે 10 વાગ્યે શરુ કરવામાં આવશે. જે આગામી બુધવાર સવારે 10 વાગ્યા સુધી ચાલનાર છે. જેને લઇને આ દરમ્યાન ઘાટકોપર અને કુર્લામાં પાણી પુરવઠો પુરો પાડવામાં આવશે નહી. પાણી પુરવઠા વિભાગ તરફ થી ક્લોરીન ઇંન્જેકશન પોઇન્ટની પણ મરામત કરવામા આવનાર છે.

BMC ના જણાવ્યા મુજબ ઘાટકોપર અને કુર્લા (N અને L વોર્ડ) માં પાણીનો પુરવઠો સંપૂર્ણ રીતે કાપી નાખવામાં આવશે. જ્યારે, A,B,C,D,E, G-West, H-East, H-West, K-East, K-West, P-North, P-South, R-North, R-South, L, N, S વોર્ડમાં મંગળવાર અને બુધવારે 15 ટકા ઓછું પાણી મળશે. બીએમસીએ તે વિસ્તારના રહેવાસીઓને વિનંતી કરી છે કે પાછલા દિવસે પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે અને તેનો કરકસર ભર્યો ઉપયોગ થાય.

મુંબઇને પ્રતિદીન 3,950 મિલીયન લીટર પાણી ના પુરવઠાની આવશ્યકતા રહે છે. જે માટે મુંબઇને પાણી પુરુ પાડતા જળાશયોમાં લઘુત્તમ 14,47,363 મિલીયન લીટર પાણી હોવુ જરુરી છે. BMC નુ કહેવુ છે કે, આ વર્ષે ચોમાસામાં પર્યાપ્ત વરસાદને લઇને મુંબઇને પાણીને લઇને ચિંતાનુ અન્ય કોઇ કારણ નથી.

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">