BMC: મુંબઇમાં 22 અને 23 ડિસેમ્બરે પાણી કાપ, મરામતને લઇ લેવાયો નિર્ણય

બૃહદ મુંબઇ નગર નિગમ દ્રારા મુંબઇમાં આગામી 22 અને 23 ડિસેમ્બરે પાણીમાં કાપ મુકવામાં આવનાર હોવાની સૂચના આપી છે. મુંબઇમાં પાણી વિતરણ વ્યવસ્થામાં મરામત કરવાના ભાગરુપે પાણી કાપ મુકાનાર હોવાની જાણકારી જારી કરવામાં આવી છે. પાણી વિતરણના 15 ટકા જેટલો કાપ મુકવામાં આવશે. યેવાઇ સ્થિત ક્લોરીન ઇન્જેકશન પોઇન્ટ અને ઘાટકોપરમાં પાઇપલાઇનના વાલ્વ બદલવામાં આવનાર છે. […]

BMC: મુંબઇમાં 22 અને 23 ડિસેમ્બરે પાણી કાપ, મરામતને લઇ લેવાયો નિર્ણય
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 20, 2020 | 5:43 PM

બૃહદ મુંબઇ નગર નિગમ દ્રારા મુંબઇમાં આગામી 22 અને 23 ડિસેમ્બરે પાણીમાં કાપ મુકવામાં આવનાર હોવાની સૂચના આપી છે. મુંબઇમાં પાણી વિતરણ વ્યવસ્થામાં મરામત કરવાના ભાગરુપે પાણી કાપ મુકાનાર હોવાની જાણકારી જારી કરવામાં આવી છે. પાણી વિતરણના 15 ટકા જેટલો કાપ મુકવામાં આવશે. યેવાઇ સ્થિત ક્લોરીન ઇન્જેકશન પોઇન્ટ અને ઘાટકોપરમાં પાઇપલાઇનના વાલ્વ બદલવામાં આવનાર છે. જેને લઇને મુંબઇઘરાઓને બે દિવસ પાણીને લઇને મુશ્કેલી વેઠવી પડશે.

પેંગાવ, યેવઇ થી આગરા રોડ વાલ્વ કોમ્પલેક્ષ વચ્ચે મરામત કરવામાં આવનાર છે. જે મરામત કાર્ય આગામી મંગળવાર 22 ડિસેમ્બરે સવારે 10 વાગ્યે શરુ કરવામાં આવશે. જે આગામી બુધવાર સવારે 10 વાગ્યા સુધી ચાલનાર છે. જેને લઇને આ દરમ્યાન ઘાટકોપર અને કુર્લામાં પાણી પુરવઠો પુરો પાડવામાં આવશે નહી. પાણી પુરવઠા વિભાગ તરફ થી ક્લોરીન ઇંન્જેકશન પોઇન્ટની પણ મરામત કરવામા આવનાર છે.

BMC ના જણાવ્યા મુજબ ઘાટકોપર અને કુર્લા (N અને L વોર્ડ) માં પાણીનો પુરવઠો સંપૂર્ણ રીતે કાપી નાખવામાં આવશે. જ્યારે, A,B,C,D,E, G-West, H-East, H-West, K-East, K-West, P-North, P-South, R-North, R-South, L, N, S વોર્ડમાં મંગળવાર અને બુધવારે 15 ટકા ઓછું પાણી મળશે. બીએમસીએ તે વિસ્તારના રહેવાસીઓને વિનંતી કરી છે કે પાછલા દિવસે પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે અને તેનો કરકસર ભર્યો ઉપયોગ થાય.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

મુંબઇને પ્રતિદીન 3,950 મિલીયન લીટર પાણી ના પુરવઠાની આવશ્યકતા રહે છે. જે માટે મુંબઇને પાણી પુરુ પાડતા જળાશયોમાં લઘુત્તમ 14,47,363 મિલીયન લીટર પાણી હોવુ જરુરી છે. BMC નુ કહેવુ છે કે, આ વર્ષે ચોમાસામાં પર્યાપ્ત વરસાદને લઇને મુંબઇને પાણીને લઇને ચિંતાનુ અન્ય કોઇ કારણ નથી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">