મુંબઈમાં ‘ડબ્બાવાલા ભવન’ નો થયો પ્રારંભ, પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ કર્યુ ઉદ્ધાટન

શિવસેનાની આગેવાની હેઠળના BMCમાં શહેરના ટિફિન સપ્લાયર્સ માટે વેલફેર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. શિવસેનાએ 2017ની ચૂંટણી દરમિયાન આ વચન આપ્યું હતું.

મુંબઈમાં 'ડબ્બાવાલા ભવન' નો થયો પ્રારંભ, પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ કર્યુ ઉદ્ધાટન
'Dabbawala Bhawan' inaugurated in Mumbai
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2022 | 2:55 PM

મુંબઈ લોકલ (Mumbai Local) જેમ મુંબઈગરાઓની લાઈફ લાઈન છે. તે રીતે મુંબઈના ડબ્બાવાળાની પણ જરૂરીયાત શહેરને છે. મુંબઈના આ ડબ્બાવાળાઓ કઈ રીતે કામ કરે છે, તે વિશે ઘણી યુનિવર્સિટીઓમાં અભ્યાસ પણ કરવામાં આવ્યો છે. તેમના આ જ કાર્યને પ્રોત્સાહન આપવા માટે મુંબઈમાં એક ડબ્બાવાલા ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. શિવસેનાની આગેવાની હેઠળના BMCમાં શહેરના ટિફિન સપ્લાયર્સ માટે વેલફેર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું. શિવસેનાએ 2017ની ચૂંટણી દરમિયાન આ વચન આપ્યું હતું. આ ડબ્બાવાલા ભવન બાંદ્રામાં આવેલું છે. તેનો પ્રારંભ પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ (Aaditya Thackeray) કરાવ્યો.

3000 હજાર ચોરસ ફુટના હોલની વ્યવસ્થા

વર્ષ 2020-21ના નાગરિક બજેટમાં શહેરના ડબ્બાવાલા બિલ્ડિંગના નિર્માણ માટે એક કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. પરંતુ BMCએ જમીન ઉપલબ્ધ ન હોવાનું કારણ આપીને દરખાસ્ત અટકાવી દીધી હતી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ચૂંટણી નજીક આવી રહી છે તે પહેલા શિવસેનાએ આ વચન પુરુ કરીને એક દાવ ખેલ્યો છે. આ કારણથી શહેરના ડબ્બાવાલ ભવન માટે બાંદ્રાના શર્લી વિસ્તારમાં 286.3 ચોરસ મીટર જગ્યા આપવામાં આવી છે. ડબ્બાવાલા એસોસિએશન દ્વારા કહેવામાં આવ્યું હતું કે બિલ્ડિંગ શબ્દ ખોટો છે. હાલના બિલ્ડીંગમાં જ ત્રણ હજાર ચોરસ ફૂટના હોલની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પ્રસંગે ડેપ્યુટી મેયર સુહાસ વાડકર, પરીવહન મંત્રી અનિલ પરબ, મ્હાડા અધ્યક્ષ વિનોદ ઘોસાલકર, બીએમસી કમિશ્નર ઈકબાલ સિંહ ચહલ, ડેપ્યુટી કમિશ્નર સુરેશ કાકાણી, મુંબઈ ટીફીન બોક્સ સપ્લાયર્સ એશોસિએશનના અધ્યક્ષ રામદાસ કરવાંડે તેમજ મુંબઈ ટીફીન બોક્સ સપ્લાયર્સ ચેરીટી ટ્રસ્ટના અધ્યક્ષ ઉલ્હાસ મુકે હાજર રહ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

BMCના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ડબ્બાવાલા ભવન એક સુવિધાજનક સ્થળ છે. આ BMCનું સામાજિક કાર્ય છે. આ ઉદ્ઘાટન દરમિયાન કેબિનેટ મંત્રી આદિત્ય ઠાકરેએ ગાંધી ટોપી પહેરી હતી. તે જ સમયે, મેયર કિશોરી પેડનેકર તેમના શરૂઆતના દિવસોને યાદ કરીને ભાવુક થઈ ગયા હતા. તેમને એ દિવસો યાદ આવ્યા જ્યારે તેના ભાઈઓ ઘરે આ ડબ્બાવાલાની રોટલી મંગાવતા હતા. તમને જણાવી દઈએ કે આ સેવાનો હેતુ મુંબઈના લોકોને સામાન્ય દરે ભોજન આપવાનો છે.

આ પ્રસંગે આદિત્ય ઠાકરે એ કહ્યું કે મુંબઈના ડબ્બાવાળા શક્તિ અને ભક્તિનું પ્રતિક છે. મુંબઈગરાઓને તેમના પર પુરો વિશ્વાસ છે કારણકે તેઓ સમયસર જમવાનું પહોંચાડવા માટે સતત કામ કરી રહ્યા છે. આગળ તેમણે કહ્યું કે કોરોનાકાળમાં પણ ડબ્બાવાળાઓએ મુંબઈના લોકોની વિવિધ રીતે સેવા કરી હતી. તેમણે ડબ્બાવાળાઓ માટે ભવન નિર્માણનું વચન કરવા પર સંતોષ વ્યક્ત કર્યો.

આ પણ વાંચો :  Maharashtra Weather: મુંબઈમાં વાવાઝોડાનો મોટો ખતરો, દરિયામાં શરૂ થઈ હલચલ

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">