Cyrus Mistry Death: સાયરસ મિસ્ત્રીના પાર્થિવ દેહને પાલઘરથી મુંબઈ લઇ જવામાં આવી રહ્યો છે, કારની પણ તપાસ શરૂ

ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું મહારાષ્ટ્રના પાલઘરમાં કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેઓ 54 વર્ષના હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈને અડીને આવેલા પાલઘર જિલ્લામાં સાયરસ મિસ્ત્રીની લક્ઝરી કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત થયો હતો

Cyrus Mistry Death: સાયરસ મિસ્ત્રીના પાર્થિવ દેહને પાલઘરથી મુંબઈ લઇ જવામાં આવી રહ્યો છે, કારની પણ તપાસ શરૂ
Cyrus Mistry body taken from Palghar to Mumbai
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2022 | 10:38 PM

ટાટા સન્સના(Tata Sons)  પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના(Cyrus Mistry)  પાર્થિવ દેહને પાલઘરથી મુંબઈ(Mumbai)  લઈ જવામાં આવી રહ્યો છે. જ્યારે મોટર વ્હીકલ ઈન્સ્પેક્ટર મનીષા મોરેએ જણાવ્યું છે કે કારની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું છે કે હાલમાં વધુ કહી શકતી નથી, કારનું નિરીક્ષણ કરશે અને રિપોર્ટ સબમિટ કરશે આ કેસની તપાસ ચાલી રહી છે.ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું મહારાષ્ટ્રના પાલઘરમાં કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેઓ 54 વર્ષના હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈને અડીને આવેલા પાલઘર જિલ્લામાં સાયરસ મિસ્ત્રીની લક્ઝરી કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત થયો હતો. સાયરસ મિસ્ત્રી અમદાવાદથી મુંબઈ જઈ રહ્યા હતા.

સૂર્યા નદી પરના પુલ પર અકસ્માત

પાલઘર જિલ્લાના પોલીસ અધિક્ષક બાલાસાહેબ પાટીલે જણાવ્યું કે, આ અકસ્માત બપોરે 3.15 વાગ્યે થયો હતો. તે સમયે સાયરસ મિસ્ત્રી અમદાવાદથી મુંબઈ જઈ રહ્યા હતા. આ અકસ્માત સૂર્યા નદી પરના પુલ પર થયો હતો. અકસ્માતમાં મિસ્ત્રી અને અન્ય એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બે અન્ય લોકો ઘાયલ થયા હતા, એમ તેમણે જણાવ્યું હતું. ઇજાગ્રસ્તોને સારવાર માટે ગુજરાત મોકલવામાં આવ્યા હતા.

મિસ્ત્રીની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી

જેમાં અકસ્માત સમયે કારમાં ડ્રાયવર સહિત કુલ ચાર લોકો સવાર હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માત મુંબઈથી લગભગ 120 કિલોમીટર દૂર કાસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૂર્યા નદીના પુલ પર થયો હતો. ડિવાઈડર સાથે અથડાયા બાદ મિસ્ત્રીની કાર રિટેન્શન વોલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કાસા ગ્રામ્ય હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. તે જ સમયે, બે લોકોને સારવાર માટે ગુજરાતના વાપીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

44 વર્ષની વયે ટાટા સન્સની બાગડોર સંભાળી

આ દરમ્યાન મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પોલીસને જીવલેણ અકસ્માતની વિગતવાર તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે સાયરસ મિસ્ત્રીએ 2012માં માત્ર 44 વર્ષની વયે ટાટા જૂથની પ્રતિનિધિ કંપની ટાટા સન્સની બાગડોર સંભાળી હતી. તેમણે ચાર વર્ષ સુધી આ પદ સંભાળ્યું અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સાથેના મતભેદોને પગલે ઓક્ટોબર 2016માં તેમને અચાનક દૂર કરવામાં આવ્યા. મિસ્ત્રીએ ટાટા સન્સમાં બહુમતી હિસ્સો ધરાવતા શાપૂરજી પલોનજી ગ્રુપના વડા તરીકે પણ કાર્યભાર સંભાળ્યો હતો. તેમના પિતા અને દિગ્ગજ ઉદ્યોગપતિ પલોનજી શાપૂરજી મિસ્ત્રીનું લગભગ બે મહિના પહેલા અવસાન થયું હતું.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">