AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાયરસ મિસ્ત્રીની કાર તેનો ડ્રાઈવર નહીં પણ મુંબઈની મહિલા ડોક્ટર ચલાવી રહી હતી, થયો નવો ખુલાસો

રવિવારે (4 સપ્ટેમ્બર) બપોરે ત્રણ વાગ્યે આ કાર સૂર્યા નદી પરના પુલ પર આવતાં ડિવાઈડર સાથે અથડાઈ હતી. જેના કારણે સાયરસ મિસ્ત્રી (Cyrus Mistry) સહિત બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

સાયરસ મિસ્ત્રીની કાર તેનો ડ્રાઈવર નહીં પણ મુંબઈની મહિલા ડોક્ટર ચલાવી રહી હતી, થયો નવો ખુલાસો
Cyrus Mistry
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2022 | 10:28 PM
Share

પ્રખ્યાત ઉદ્યોગપતિ અને અબજોપતિ ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીના (Cyrus Mistry) મૃત્યુને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે. સાયરસ મિસ્ત્રીની મર્સિડીઝ કાર, જે પાલઘરના ચકોટી પાસે દુર્ઘટનાગ્રસ્ત (Car Accident) થઈ હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, તેનો ડ્રાઈવર કાર ચલાવી રહ્યો ન હતો. કાર તેની પારિવારીક મહિલા મિત્ર ડો. અનાહિતા પંડોલે ચલાવી રહી હતી. મહિલા સહકર્મી મુંબઈની ડોક્ટર છે. કારમાં 4 લોકો હતા. તેઓ અમદાવાદથી મુંબઈ આવી રહ્યા હતા.તેઓ નવસારી પાસેના ઉદવાડાથી પાછા આવી રહ્યા હતા. મુંબઈમાં રહેતા પારસી સમુદાય માટે આ સ્થળ ખુબ નજીકનો સંબંધ છે. તે એક પારસી ધાર્મિક સ્થળ છે. તેઓ એક ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થવા આવ્યા હતા.

રવિવારે (4 સપ્ટેમ્બર) બપોરે ત્રણ વાગ્યે આ કાર સૂર્યા નદી પરના પુલ પર આવતાં ડિવાઈડર સાથે અથડાઈ હતી. જેના કારણે સાયરસ મિસ્ત્રી સહિત બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બંને ઘાયલ લોકોને સ્થાનિક કાસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સંદર્ભમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે ડીજીપી સાથે વાત કરી છે અને અકસ્માતની વિગતવાર તપાસના આદેશ આપ્યા છે.

સાયરસ મિસ્ત્રીની મહિલા મિત્રનું નામ ડો. અનાહિતા પંડોલે

કારમાં સવાર 4 લોકોની ઓળખ થઈ ગઈ છે. આ અકસ્માતમાં સાયરસ મિસ્ત્રી સાથે તેમના મિત્ર જહાંગીર દિનશા પંડોલેનું પણ મૃત્યુ થયું છે. આ સિવાય ડો. અનાહિતા પંડોલે તેની સાથે મુસાફરી કરી રહી હતી. અનાહિતા પંડોલે મુંબઈમાં ડોક્ટર છે. અનાહિતા પંડોલેના પતિ દારિયસ પંડોલે પણ તેમની સાથે હતા. આ બંનેની સારવાર શરૂ કરવામાં આવી છે.જહાંગીર દિનશા પંડોલે, અનાહિતા પંડોલેના પતિ દારિયસ પંડોલેના ભાઈ હતા.

કારની એરબેગ પણ ખુલી, છતાં કોઈનો જીવ ન બચ્યો

સાયરસ મિસ્ત્રી જે કારમાં મુસાફરી કરી રહ્યા હતા તેનો નંબર MH-47-AB-6705 હતો. અકસ્માત સમયે કારની એરબેગ પણ ખુલ્લી હતી. આમ છતાં સાયરસ મિસ્ત્રીનો જીવ બચ્યો ન હતો.

સાયરસ મિસ્ત્રીનો જન્મ 4 જુલાઈ 1968ના રોજ થયો હતો

સાયરસ મિસ્ત્રીનો જન્મ 4 જુલાઈ 1968ના રોજ થયો હતો. તેમનું પ્રારંભિક શિક્ષણ મુંબઈની કેથેડ્રલ અને જ્હોન કોનન સ્કૂલમાં થયું હતું. તેણે ઈમ્પિરિયલ કોલેજ લંડનમાંથી સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. તેમણે લંડન બિઝનેસ સ્કૂલમાંથી માસ્ટર ડિગ્રી (મેનેજમેન્ટ) મેળવી છે અને તેઓ સિવિલ એન્જિનિયર્સની સંસ્થાના ફેલો છે.

સાયરસ મિસ્ત્રી એક શક્તિશાળી ઉદ્યોગપતિ પલોનજી મિસ્ત્રી અને પેટ્સી પેરીન ડુબાશના સૌથી નાના પુત્ર હતા. મિસ્ત્રીએ જાણીતા વકીલ ઈકબાલ ચાગલાની પુત્રી અને જાણીતા ન્યાયશાસ્ત્રી એમસી ચાગલાની પૌત્રી રોહિકા ચાગલા સાથે લગ્ન કર્યા છે. મિસ્ત્રી આઇરિશ નાગરિક છે અને ભારતના કાયમી નિવાસી છે.

Follow Us
ભરૂચમાં ‘કામ નહીં તો વોટ નહીં’: પાયાની સુવિધા મુદ્દે ચૂંટણી બહિષ્કાર
ભરૂચમાં ‘કામ નહીં તો વોટ નહીં’: પાયાની સુવિધા મુદ્દે ચૂંટણી બહિષ્કાર
શિક્ષણ જગત માટે કંલક! શાળામાં નશામાં ધૂત શિક્ષક પકડાયો, જુઓ વીડિયો
શિક્ષણ જગત માટે કંલક! શાળામાં નશામાં ધૂત શિક્ષક પકડાયો, જુઓ વીડિયો
ભાજપનું એડી ચોટીનું જોર અને કોંગ્રેસના 'ધમકી'ના આરોપ - જુઓ Video
ભાજપનું એડી ચોટીનું જોર અને કોંગ્રેસના 'ધમકી'ના આરોપ - જુઓ Video
સુરતમાં ચૂંટણી પૂર્વે જનતાનો રોષ: નેતાઓને પૂછ્યા આકરા સવાલ, જુઓ અહેવાલ
સુરતમાં ચૂંટણી પૂર્વે જનતાનો રોષ: નેતાઓને પૂછ્યા આકરા સવાલ, જુઓ અહેવાલ
આણંદના સાંસદ મિતેશ પટેલની ધમકી: કોંગ્રેસ જીતશે તો ગ્રાન્ટ નહીં આપું
આણંદના સાંસદ મિતેશ પટેલની ધમકી: કોંગ્રેસ જીતશે તો ગ્રાન્ટ નહીં આપું
1825 કરોડના GST કૌભાંડનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો, Watch Video
1825 કરોડના GST કૌભાંડનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો, Watch Video
પનીરના વેપારના નામે ચાલતું હતું સુરતનું હવાલા નેટવર્ક
પનીરના વેપારના નામે ચાલતું હતું સુરતનું હવાલા નેટવર્ક
છેલ્લા દોઢ વર્ષથી અલ્પેશ સાથે રિલેશનશિપમાં છું : કાજલ મહેરિયા
છેલ્લા દોઢ વર્ષથી અલ્પેશ સાથે રિલેશનશિપમાં છું : કાજલ મહેરિયા
એક ઘટનાએ મચાવ્યો હાહાકાર! ધંધુકામાં બુલડોઝરથી શરૂ થયો સફાયો
એક ઘટનાએ મચાવ્યો હાહાકાર! ધંધુકામાં બુલડોઝરથી શરૂ થયો સફાયો
સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ, દાન તમને માનસિક શાંતિ આપશે
સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ, દાન તમને માનસિક શાંતિ આપશે
g clip-path="url(#clip0_868_265)">