Cruise Drug Case: આર્યન ખાન સાથે જોડાયેલા કેસમાં પ્રથમ જામીન મળ્યા, જાણો કોના જામીન મંજુર થયા

|

Oct 26, 2021 | 7:45 PM

મનીષના વકીલ અજય દુબેએ જણાવ્યું કે તેમના અસીલને 50 હજારના બોન્ડ પર જામીન મળી ગયા છે.

Cruise Drug Case: આર્યન ખાન સાથે જોડાયેલા કેસમાં પ્રથમ જામીન મળ્યા, જાણો કોના જામીન મંજુર થયા
Cruise Drug Case Sessions court granted bail to accused number 11 Manish Rajgarhia aryan khan

Follow us on

MUMBAI : ક્રૂઝ ડ્રગ્સ કેસમાં મંગળવારે આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી થઈ. પરંતુ તેની જામીન અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ શકી ન હતી. આ કેસની બાકીની સુનાવણી બુધવારે બપોરે 2.30 કલાકે થશે. બીજી તરફ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આરોપી નંબર 11 મનીષ રાજગઢિયાને સેશન્સ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. મનીષના વકીલ અજય દુબેએ જણાવ્યું કે તેને 50 હજારના બોન્ડ પર જામીન મળ્યા છે. મનીષની એનસીબીએ 2.5 ગ્રામ ગાંજા સાથે ધરપકડ કરી હતી. આ કેસમાં અન્ય એક આરોપી અવિન સાહુને જામીન મળી ગયા છે.

સ્પેશિયલ NDPS કોર્ટે બંનેને જામીન આપ્યા છે. વી.વી. પાટીલની ડિવિઝન બેન્ચે તેમની જામીન અરજી મંજૂર કરી છે. ધનબાદના રહેવાસી મનીષ રાજગઢિયાની બે અઠવાડિયા પહેલા ક્રુઝ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. મનીષ ધનબાદની કટરસ મસ્જિદ પટ્ટીનો રહેવાસી હતો. મનીષની સાથે તેના મિત્ર અવિન સાહુની પણ ધરપકડ કરવામાં આવી હતી. મનીષ પાસે સ્પોન્જ આયર્નનું કારખાનું છે. હાઈપ્રોફાઈલ કેસમાં મનીષનું નામ સામે આવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

તેની પાસેથી ડ્રગ્સ પકડાયા વિના આર્યન જેલમાં કેમ છે – મુકુલ રોહતગી
એટર્ની જનરલ મુકુલ રોહતગી મંગળવારે આર્યન ખાનનો પક્ષ રજૂ કરવા પહોંચ્યા હતા. આર્યનની ધરપકડને ગેરકાયદેસર ગણાવીને તેણે NCBની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા. મુકુલ રોહતગીએ આર્યન ખાનના બચાવમાં કહ્યું કે આર્યન પાસેથી કોઈ ડ્રગ્સ મળ્યું નથી. કાર્યવાહી બાદ હજુ સુધી તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું નથી. પરંતુ NCBએ તેની ધરપકડ કરી છે. જ્યારે NCBને કોઈ ડ્રગ્સ ન મળ્યું, ત્યારે તેણે કલમ 27A લગાવી કે તે ડ્રગ્સ રેકેટનો ભાગ છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

આર્યનને તેના માતા-પિતાના કારણે નિશાન બનાવવામાં આવ્યો
આર્યન ખાનની જામીન અરજી પર દલીલ કરતા મુકુલ રોહતગીએ કહ્યું કે આ કોઈ મોટી વાત નથી. પરંતુ તેના માતા-પિતાને કારણે આ મામલો મીડિયાના ફોકસમાં રહે છે. રાજકીય નિવેદનોના કારણે આ મામલો મોટો બની ગયો છે.

આ પણ વાંચો : પશ્ચિમ બંગાળ સરકારે પાનમસાલા-ગુટખાના ખરીદ-વેચાણ પર એક વર્ષ સુધી પ્રતિબંધ લગાવ્યો

આ પણ વાંચો : Lakhimpur Case: મુખ્ય આરોપી આશિષ મિશ્રાને ડેન્ગ્યુની પુષ્ટિ માટે કર્યું ક્રોસ ચેકિંગ, ELISA રિપોર્ટમાં બહાર આવ્યું સત્ય

Published On - 7:28 pm, Tue, 26 October 21

Next Article