AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજનાથ સિંહના નિવેદન પર રાજકીય ધમાસાણ, CM ઉદ્ધવ ઠાકરેએ ​​કહ્યુ ‘ભાજપ હજુ ગાંધી-સાવરકરને સમજી શક્યુ નથી’

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહએ દાવો કર્યો હતો કે, મહાત્મા ગાંધીએ વીર સાવરકરને આંદામાનની સેલ્યુલર જેલમાં રોકાણ દરમિયાન બ્રિટિશ સરકારને દયા અરજી મોકલવાની સલાહ આપી હતી.

રાજનાથ સિંહના નિવેદન પર રાજકીય ધમાસાણ, CM ઉદ્ધવ ઠાકરેએ ​​કહ્યુ 'ભાજપ હજુ ગાંધી-સાવરકરને સમજી શક્યુ નથી'
CM Uddhav Thackeray & Rajnath Singh (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2021 | 1:09 PM
Share

Maharashtra : ભાજપના અમૃત મહોત્સવને લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ​​ભાજપની આકરી ટીકા કરી હતી. તમને જણાવી દઈએ કે, સ્વતંત્રતા સેનાની વિનાયક દામોદર સાવરકર પર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કરેલી ટિપ્પણી બાદ આ સમગ્ર વિવાદ ઉભો થયો હતો. ત્યારે CM ઉદ્ધવ ઠાકરે આ નિવેદનને લઈને ભાજપ પર આકરા પ્રહાર કરી રહ્યા છે. શિવસેનાની (Shiv Sena) વાર્ષિક દશેરા રેલીમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ભાજપ વીર સાવરકર અને મહાત્મા ગાંધીને સમજી શક્યું નથી.

રાજનાથ સિંહે આ નિવેદન આપ્યુ હતુ

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહએ (Defense Minister Rajnath Singh) દાવો કર્યો હતો કે, મહાત્મા ગાંધીએ વીર સાવરકરને આંદામાનની સેલ્યુલર જેલમાં રોકાણ દરમિયાન બ્રિટિશ સરકારને દયા અરજી મોકલવાની સલાહ આપી હતી. રાજનાથ સિંહે સાવરકર અને મહાત્મા ગાંધી પર કરેલી આ ટિપ્પણી બાદ ઘણો વિવાદ ઉભો થયો હતો. આ નિવેદન બાદ સમગ્ર દેશમાં ચર્ચાઓએ વેગ પકડ્યો હતો. ત્યારે દશેરા રેલીમાં સીએમ ઉદ્ધવ ઠાકરેએ આ નિવેદન માટે ભાજપની આકરી ટીકા કરી હતી.

ગાંધી-સાવરકરનું યોગદાન જુઓ : CM ઉદ્વવ ઠાકરે

વધુમાં CM ઉદ્વવ ઠાકરે (Uddhav Thackeray) કહ્યું કે, આ લોકોએ પોતાની જાતને પૂછવું જોઈએ કે તેઓએ આઝાદી માટે શું કર્યું. સાથે ભાજપને સલાહ આપતા તેમણે કહ્યું કે મોટેથી નારા લગાવનારા દેશભક્તોએ પાછળ ફરીને જોવું જોઈએ કે આ લોકોએ દેશની આઝાદી માટે શું કર્યું છે. તમને જણાવવુ રહ્યુ કે, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે સાવરકરે મહાત્મા ગાંધીના કહેવાથી અંગ્રેજોની માફી માંગી હતી. ત્યારબાદથી વિવાદ વણસ્યો છે.

રાજનાથના નિવેદન પર રાજકીય ધમાસાણ

રાજનાથ સિંહના નિવેદન બાદ રાજકીય માહોલ ગરમાયો છે. કેટલાક નેતા કહી રહ્યા છે કે, ગાંધી લાંબા સમયથી જેલમાં હતા અને ન્યાયાધીશ સમક્ષ નમ્યા ન હતા, તેમણે ક્યારેય માફી માંગી નથી, તો પછી તેઓ અન્ય લોકોને માફી માંગવા માટે કેવી રીતે કહી શકે. જ્યારે કેટલાક કહી રહ્યા છે કે વર્ષ 1915 માં મહાત્મા ગાંધી (Mahatma Gandhi) ઘરે પરત ફર્યા ત્યાં સુધી સાવરકરે બે વખત દયા અરજી કરી હતી – 1911 અને 1913 માં, તો ગાંધીના કહેવા પર તેમણે કેવી રીતે માફી માંગી ?

આ પણ વાંચો : દશેરા પર હિન્દુત્વને લઈ ઉદ્ધવ ઠાકર અને મોહન ભાગવત વચ્ચે શાબ્દિક તીરોના મારો, કહ્યું અમારી રીતો અલગ પણ વિચારધારા એક જ છે

આ પણ વાંચો : aryan khan : આર્યન ખાનને પિતા શાહરુખ અને માતા ગૌરીની યાદ આવી, જેલમાંથી વીડિયો કોલ કરી ખૂબ રડ્યો

Follow Us
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
g clip-path="url(#clip0_868_265)">