AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજનાથ સિંહના નિવેદન પર રાજકીય ધમાસાણ, CM ઉદ્ધવ ઠાકરેએ ​​કહ્યુ ‘ભાજપ હજુ ગાંધી-સાવરકરને સમજી શક્યુ નથી’

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહએ દાવો કર્યો હતો કે, મહાત્મા ગાંધીએ વીર સાવરકરને આંદામાનની સેલ્યુલર જેલમાં રોકાણ દરમિયાન બ્રિટિશ સરકારને દયા અરજી મોકલવાની સલાહ આપી હતી.

રાજનાથ સિંહના નિવેદન પર રાજકીય ધમાસાણ, CM ઉદ્ધવ ઠાકરેએ ​​કહ્યુ 'ભાજપ હજુ ગાંધી-સાવરકરને સમજી શક્યુ નથી'
CM Uddhav Thackeray & Rajnath Singh (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2021 | 1:09 PM
Share

Maharashtra : ભાજપના અમૃત મહોત્સવને લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ​​ભાજપની આકરી ટીકા કરી હતી. તમને જણાવી દઈએ કે, સ્વતંત્રતા સેનાની વિનાયક દામોદર સાવરકર પર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કરેલી ટિપ્પણી બાદ આ સમગ્ર વિવાદ ઉભો થયો હતો. ત્યારે CM ઉદ્ધવ ઠાકરે આ નિવેદનને લઈને ભાજપ પર આકરા પ્રહાર કરી રહ્યા છે. શિવસેનાની (Shiv Sena) વાર્ષિક દશેરા રેલીમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ભાજપ વીર સાવરકર અને મહાત્મા ગાંધીને સમજી શક્યું નથી.

રાજનાથ સિંહે આ નિવેદન આપ્યુ હતુ

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહએ (Defense Minister Rajnath Singh) દાવો કર્યો હતો કે, મહાત્મા ગાંધીએ વીર સાવરકરને આંદામાનની સેલ્યુલર જેલમાં રોકાણ દરમિયાન બ્રિટિશ સરકારને દયા અરજી મોકલવાની સલાહ આપી હતી. રાજનાથ સિંહે સાવરકર અને મહાત્મા ગાંધી પર કરેલી આ ટિપ્પણી બાદ ઘણો વિવાદ ઉભો થયો હતો. આ નિવેદન બાદ સમગ્ર દેશમાં ચર્ચાઓએ વેગ પકડ્યો હતો. ત્યારે દશેરા રેલીમાં સીએમ ઉદ્ધવ ઠાકરેએ આ નિવેદન માટે ભાજપની આકરી ટીકા કરી હતી.

ગાંધી-સાવરકરનું યોગદાન જુઓ : CM ઉદ્વવ ઠાકરે

વધુમાં CM ઉદ્વવ ઠાકરે (Uddhav Thackeray) કહ્યું કે, આ લોકોએ પોતાની જાતને પૂછવું જોઈએ કે તેઓએ આઝાદી માટે શું કર્યું. સાથે ભાજપને સલાહ આપતા તેમણે કહ્યું કે મોટેથી નારા લગાવનારા દેશભક્તોએ પાછળ ફરીને જોવું જોઈએ કે આ લોકોએ દેશની આઝાદી માટે શું કર્યું છે. તમને જણાવવુ રહ્યુ કે, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે સાવરકરે મહાત્મા ગાંધીના કહેવાથી અંગ્રેજોની માફી માંગી હતી. ત્યારબાદથી વિવાદ વણસ્યો છે.

રાજનાથના નિવેદન પર રાજકીય ધમાસાણ

રાજનાથ સિંહના નિવેદન બાદ રાજકીય માહોલ ગરમાયો છે. કેટલાક નેતા કહી રહ્યા છે કે, ગાંધી લાંબા સમયથી જેલમાં હતા અને ન્યાયાધીશ સમક્ષ નમ્યા ન હતા, તેમણે ક્યારેય માફી માંગી નથી, તો પછી તેઓ અન્ય લોકોને માફી માંગવા માટે કેવી રીતે કહી શકે. જ્યારે કેટલાક કહી રહ્યા છે કે વર્ષ 1915 માં મહાત્મા ગાંધી (Mahatma Gandhi) ઘરે પરત ફર્યા ત્યાં સુધી સાવરકરે બે વખત દયા અરજી કરી હતી – 1911 અને 1913 માં, તો ગાંધીના કહેવા પર તેમણે કેવી રીતે માફી માંગી ?

આ પણ વાંચો : દશેરા પર હિન્દુત્વને લઈ ઉદ્ધવ ઠાકર અને મોહન ભાગવત વચ્ચે શાબ્દિક તીરોના મારો, કહ્યું અમારી રીતો અલગ પણ વિચારધારા એક જ છે

આ પણ વાંચો : aryan khan : આર્યન ખાનને પિતા શાહરુખ અને માતા ગૌરીની યાદ આવી, જેલમાંથી વીડિયો કોલ કરી ખૂબ રડ્યો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">