AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Omicron Alert ! મહારાષ્ટ્ર વિધાનસભાના શિયાળુ સત્ર પર છવાયા જોખમના વાદળો, RT-PCR ટેસ્ટમાં 8 પોલીસકર્મીઓ સહિત 10 કોવિડ પોઝિટિવ મળી આવ્યા

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 66 લાખ 50 હજાર 965 થઈ ગઈ છે. જ્યારે, અત્યાર સુધીમાં મૃતકોની સંખ્યા એક લાખ 41 હજાર 367 પર પહોંચી ગઈ છે.

Maharashtra Omicron Alert ! મહારાષ્ટ્ર વિધાનસભાના શિયાળુ સત્ર પર છવાયા જોખમના વાદળો, RT-PCR ટેસ્ટમાં 8 પોલીસકર્મીઓ સહિત 10 કોવિડ પોઝિટિવ મળી આવ્યા
Maharashtra has the highest number of Omicron cases - symbolic photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2021 | 5:32 PM
Share

મહારાષ્ટ્રમાં (Maharashtra) આજથી વિધાનસભાનું શિયાળુ સત્ર (Winter session) શરૂ થવાનું છે. તે જ સમયે, સત્ર પહેલા કરવામાં આવેલા RTPCR ટેસ્ટમાં 8 પોલીસકર્મીઓ સહિત 10 લોકો પોઝિટિવ મળી આવ્યા છે. આ સાથે પોઝિટિવ લોકોમાં  વિધાનસભાના 2 કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે શિયાળુ સત્ર શરૂ થતા પહેલા લગભગ 3500 લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. હાલમાં, આ નમૂનાઓના જીનોમ સિક્વન્સિંગ કરાવવુ કે નહી તે અંગેનો નિર્ણય લેવાનો બાકી છે.

મંગળવારે મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસના (Coronavirus)  825 નવા કેસ નોંધાયા હતા, જેમાં ઓમિક્રોનના 11 કેસ સામેલ છે. આ સિવાય સંક્રમણને કારણે 14 લોકોના મોત થયા છે. જો કે, આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્ર રાજ્યમાં મંગળવાર સુધીમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 66 લાખ 50 હજાર 965 થઈ ગઈ છે. મૃતકોની સંખ્યા એક લાખ 41 હજાર 367 પર પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં, સોમવારે રાજ્યમાં સંક્રમણના 544 નવા કેસ નોંધાયા હતા. આ સિવાય 4 દર્દીઓના મોત થયા હતા. જે 1 એપ્રિલ 2020 પછી સૌથી નીચો આંકડો હતો.

મહારાષ્ટ્ર વિધાનસભામાં કરવામાં આવેલ RTPCR ટેસ્ટમાં 8 પોલીસકર્મીઓ અને 2 કર્મચારીઓને મળી આવ્યા સંક્રમિત 

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 11 કેસ નોંધાયા છે

જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 11 નવા કેસ સામે આવ્યા છે. આમાંથી 8 લોકો મુંબઈના છે. આ રીતે, મહારાષ્ટ્રમાં ઓમિક્રોન સંક્રમિતોની કુલ સંખ્યા હવે વધીને 65 થઈ ગઈ છે. મુંબઈમાં ઓમિક્રોન સંક્રમિતોની કુલ સંખ્યા 30 પર પહોંચી ગઈ છે. જોકે રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ 34 લોકોને રજા આપવામાં આવી છે. મહારાષ્ટ્રના કોરોના ટાસ્ક ફોર્સે આશંકા વ્યક્ત કરી છે કે ફેબ્રુઆરી મહિનામાં ઓમિક્રોનનું સંક્રમણ વધુ ઝડપથી વધશે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ આ માહિતી આપી છે. ટાસ્ક ફોર્સ અનુસાર, ફેબ્રુઆરી મહિનામાં, ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યામાં અચાનક તીવ્ર વધારો થશે. આવી સ્થિતિમાં, ઓમિક્રોનને રોકવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે કોરોનાના નિયમોનું કડકપણે પાલન કરવું.

ત્રીજા સપ્તાહમાં કોરોનાના કેસમાં થયો 16 ટકાનો વધારો

ઉલ્લેખનીય છે કે, 1 થી 7 ડિસેમ્બરની વચ્ચે મુંબઈમાં કોરોનાના 1 હજાર 189 નવા કેસ નોંધાયા હતા. જ્યાં 8 થી 14 ડિસેમ્બરની વચ્ચે કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 1 હજાર 224 થઈ ગઈ છે. તે જ સમયે, 15 થી 19 ડિસેમ્બરની વચ્ચે, એટલે કે, આ 5 દિવસમાં, કોરોના સંક્રમણના નવા કેસ 1 હજાર 391 પર પહોંચી ગયા છે. આ રીતે પહેલા અઠવાડિયાની સરખામણીએ ત્રીજા સપ્તાહમાં કોરોનાના કેસમાં 16 ટકાનો વધારો થયો છે. ડિસેમ્બરના બીજા સપ્તાહમાં શહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 0.70 ટકા અથવા એક ટકાથી ઓછી હતી. પરંતુ ત્રીજા સપ્તાહમાં આ સંખ્યા વધીને એક ટકાથી વધુ થઈ ગઈ.

આ પણ વાંચો :  ઈન્દ્રાણી મુખર્જીના વકીલનું મોટું નિવેદન – કાશ્મીરમાં શીનાને મળ્યા હતા એક અધિકારી, CBI ને નિવેદન આપવા તૈયાર

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">