શિવસેનાના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર, કહ્યુ ‘ક્યાં સુધી દોષનો ટોપલો કોંગ્રેસ પર ઢોળશો, ક્યારેક તો જવાબદારી લો’

તવાંગમાં ચીની સૈનિકોની ઘૂસણખોરીને લઈને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) એ કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. શિવસેનાએ કહ્યું છે કે કેન્દ્ર સરકારે દરેક સમસ્યા માટે કોગ્રેસ સરકારને દોષ ન આપવી જોઈએ, તેણે પોતાની જવાબદારી પણ નિભાવવી જોઈએ.

શિવસેનાના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર, કહ્યુ 'ક્યાં સુધી દોષનો ટોપલો કોંગ્રેસ પર ઢોળશો, ક્યારેક તો જવાબદારી લો'
Shiv Sena Saamana
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2022 | 6:36 PM

શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) એ પીએમ મોદીના નેતૃત્વ વાળી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે, પોતાના મુખપત્ર સામનામાં લખ્યુ કે ભાજપ સરકાર ક્યાં સુધી કોગ્રેસ પર માછલાં ધોતી રહેશે, ક્યારેક તો જવાબદારી લે ? ગલવાન અને તવાંગમાં ચીનની ઘુસણખોરીની ઘટનાને ટાંકતા સામનામાં લખે છે કે શું આ ઘટના માટે પણ કોગ્રેસ અને નેહરૂ જવાબદાર છે ? અરૂણાચલ પ્રદેશના તવાંગમાં 9 ડિસેમ્બરે થયેલા ચીન દ્વારા ભારતીય સીમાં ઘુસણખોરી, બંને દેશોના સૈનિકો વચ્ચે અથડામણ બાદ બંને દેશના સૈન્ય અધિકારીઓની મધ્યસ્થી બાદ ચીની સૈનિકો પરત ફર્યા હતા. તેના પર શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં ભારતીય સેનાની બહાદુરીની પ્રશંસા કરી છે પરંતુ કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

શિવસેનાએ સામનામાં લખ્યું છે કે, ‘2014થી દેશમાં તમારું એક હથ્થું શાસન છે. તમે ભારતને તમામ ક્ષેત્રોમાં મહાસત્તા બનાવવાની તૈયારીનો ઢોલ પીટ્યા છે. છતા પણ પાકિસ્તાન કે ચીનના કુકર્મો ચાલુ છે? બે વર્ષ પહેલા ગલવાન હુમલામાં આપણા 20 જવાનો શહીદ થયા હતા. હવે તવાંગમાં થયેલા હુમલામાં ભારતનાં કેટલાક જવાન ઘાયલ થયા છે. શું આ માટે કોગ્રેસ સરકારોને પણ જવાબદાર ઠેરવવી જોઈએ?

‘અમદાવાદમાં ભલે ઝૂલો ઝુલ્યા પરંતુ ચીનની દુશ્મનાવટમાં કોઈ ઘટાડો થયો નથી’

સામનામાં લખવામાં આવ્યું છે કે, ચીને તાજેતરમાં લદ્દાખ, કાશ્મીર, સિક્કિમથી અરુણાચલ પ્રદેશ સુધીની સરહદ પર કેટલાક કૃત્રિમ ગામો બનાવ્યા છે. સરહદી વિસ્તારોમાં રસ્તા, પુલ, રેલ્વે લાઇન, હેલીપેડ, એરપોર્ટ જેવી પાયાની સુવિધાનું માળખું ઉભુ કર્યું છે. તિબેટ હોય કે ભૂટાન, સિક્કિમ હોય કે અરુણાચલ પ્રદેશ,ડ્રેગન આ સમગ્ર પ્રદેશને પચાવી પાડવાના પ્રયાસો છેલ્લા આઠ વર્ષથી બંધ થયા નથી. અમદાવાદ આવેલા ત્યારે ઝુલા પર ઝુલેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે વિસ્તરણવાદી નીતિ અને દુશ્મનાવટ ઓછી થઇ નથી.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

‘એક વર્ષથી ચાલી રહેલા ‘ઉડતા આતંકવાદ’ માટે જવાબદાર કોણ?’

શિવસેનાએ સવાલ ઉઠાવ્યો છે કે, ‘હવે જે યાંગ્ત્સે પોઈન્ટ પર અથડામણ થઈ હતી, ત્યાં ઓક્ટોબર 2021માં પણ ચીની અને ભારતીય સેના વચ્ચે અથડામણ થઈ હતી. ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ? ગયા વર્ષથી પાકિસ્તાન અને ચીન તરફથી ડ્રોનની ઘૂસણખોરી વધી છે. તો પછી આ ‘ઉડતા આતંકવાદ’ માટે કોને જવાબદાર ઠેરવવા જોઈએ.

‘કેન્દ્ર સરકાર દેશની સુરક્ષાને લઈને એટલી ગંભીર કેમ નથી જેટલી તે સત્તાને લઈને છે?’

શિવસેનાનું કહેવું છે કે, ‘ચીની સેના સરહદ પરથી હટવા તૈયાર નથી. આ વાત આપણા સેના પ્રમુખે સ્વીકારી છે. તેનાથી સરહદ પર તણાવ વધી શકે છે. તેમણે આ અંગે ચેતવણી પણ આપી હતી. જે માત્ર એક મહિનામાં જ સાચી સાબિત થઈ રહી છે. તેની જવાબદારી વર્તમાન સરકારની છે કે અગાઉની સરકારની? ચીને ડેપ્લાંગમાં LAC બોર્ડરથી થોડા કિલોમીટરની અંદર 200 થી વધુ બેઝ પર કેમ્પ નાખ્યો છે. સરકાર મૌન છે. કેન્દ્ર સરકાર ‘સત્તા’ માટે જેટલી ગંભીર છે એટલી જ દેશની ‘સરહદ’ રહે તો, પાકિસ્તાન અને ચીન જેવા દેશ નજર ઉપાડી ભારત તરફ ન જોઇ શકે.

Latest News Updates

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">