AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: મહારાષ્ટ્રમાં રાજકીય સંકટનો કોઈ ઉકેલ ન આવ્યો, સુપ્રીમ કોર્ટે મામલો મોટી બેંચને મોકલી આપ્યો

ગુરુવારે આ મુદ્દે પોતાનો ચુકાદો આપતાં બંધારણીય બેંચે તેને સુનાવણી માટે મોટી બેંચ પાસે મોકલ્યો છે. હવે સુપ્રીમ કોર્ટની 7 જજોની બેન્ચ આ મુદ્દે સુનાવણી કરશે.

Breaking News: મહારાષ્ટ્રમાં રાજકીય સંકટનો કોઈ ઉકેલ ન આવ્યો, સુપ્રીમ કોર્ટે મામલો મોટી બેંચને મોકલી આપ્યો
| Updated on: May 11, 2023 | 12:30 PM
Share

મહારાષ્ટ્રમાં શિવસેના વિવાદને લઈને સુપ્રીમ કોર્ટની (Supreme Court) બંધારણીય બેંચ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકી નથી. ગુરુવારે આ મુદ્દે પોતાનો ચુકાદો આપતાં બંધારણીય બેંચે તેને સુનાવણી માટે મોટી બેંચ પાસે મોકલ્યો છે. હવે સુપ્રીમ કોર્ટની 7 જજોની બેન્ચ આ મુદ્દે સુનાવણી કરશે. વાસ્તવમાં, એકનાથ શિંદેની સાથે 15 ધારાસભ્યોના બળવા પછી, ઉદ્ધવ જૂથે તેમને ગેરલાયક ઠેરવવાની માગ કરતી અરજી દાખલ કરી હતી.

એકનાથ શિંદે વતી પણ અરજી દાખલ કરવામાં આવી હતી

બીજી તરફ, બળવાખોર નેતા એકનાથ શિંદે વતી પણ અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં ડેપ્યુટી સ્પીકર દ્વારા અપાયેલી ગેરલાયકાતની નોટિસને પડકારવામાં આવી હતી. અરજીમાં ડેપ્યુટી સ્પીકરને હટાવવાની દરખાસ્તનો નિર્ણય ન આવે ત્યાં સુધી આ મામલે ગેરલાયકાતની અરજી પર કોઈ પગલાં લેવાથી ડેપ્યુટી સ્પીકરને રોકવાની માગ કરવામાં આવી હતી.

આ મામલાની છેલ્લી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ વિશે તીખી ટિપ્પણી કરતા અનેક સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે પૂછ્યું હતું કે શું રાજ્યપાલ રાજકીય પક્ષમાં આંતરિક બળવાના આધારે ફ્લોર ટેસ્ટ કરાવી શકે છે? શું રાજ્યપાલને એ વાતની જાણ ન હતી કે વિધાનસભા ગૃહ બોલાવતી વખતે આ બળવા તરફ દોરી શકે છે?

16 માર્ચે કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો

સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ જેણે આ નિર્ણય આપ્યો તેમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ એમઆર શાહ, જસ્ટિસ કૃષ્ણા મુરારી, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ પીએસ નરસિમ્હાનો સમાવેશ થાય છે. નવ દિવસની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે 16 માર્ચે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

આ વિવાદ ગયા વર્ષે જૂનમાં શરૂ થયો હતો

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલની શરૂઆત ગયા વર્ષે જૂનમાં થઈ હતી. એકનાથ શિંદેએ 15 ધારાસભ્યો સાથે બળવો કર્યો. ધારાસભ્યોના બળવા બાદ મહા વિકાસ આઘાડી સામે મુશ્કેલ સ્થિતિ સર્જાઈ છે. દરમિયાન, ઉદ્ધવ ઠાકરે દ્વારા ટેબલ પર બેસીને વાતચીત કરવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો હતો પરંતુ શિંદે જૂથ તૈયાર નહોતું.

ધારાસભ્યોના બળવા બાદ તેમાં ભાજપની એન્ટ્રી થઈ હતી. ભાજપે શિંદે જૂથ સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી અને એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા. ભાજપના નેતા અને પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">