દેવેન્દ્ર ફડણવીસનુ મોટું નિવેદન, અજીત પવારને કારણે અમે લોકસભાની ચૂંટણી મહારાષ્ટ્રમાં હાર્યા

|

Sep 26, 2024 | 8:09 PM

દેવેન્દ્ર ફડણવીસ ભાજપના પહેલા એવા મોટા રાજકારણી છે, જેમણે મહારાષ્ટ્રમાં ભાજપ અને એનડીએની હાર માટે અજિત પવારને જવાબદાર ઠેરવ્યા છે. ફડણવીસે કહ્યું છે કે જો અમને લોકસભા ચૂંટણીમાં અજિત પવાર તરફી મત મળ્યા હોત તો અમે મહારાષ્ટ્રમાં આટલી ખરાબ રીતે હાર્યા ના હોત.

દેવેન્દ્ર ફડણવીસનુ મોટું નિવેદન, અજીત પવારને કારણે અમે લોકસભાની ચૂંટણી મહારાષ્ટ્રમાં હાર્યા
Devendra Fadnavis, Deputy Chief Minister, Maharashtra

Follow us on

લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં મહાગઠબંધનની કારમી હાર પર ભાજપે પહેલીવાર મોટી પ્રતિક્રિયા આપી છે. મહારાષ્ટ્ર બીજેપી વિધાયક દળના નેતા અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે અજિત પવારના કારણે અમે ખરાબ રીતે હારી ગયા. મહારાષ્ટ્રમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ફડણવીસના આ નિવેદનથી રાજકીય ઉત્તેજના વધી ગઈ છે.

હાર અંગે ફડણવીસે શું કહ્યું?

એક ટીવી કોન્ક્લેવમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, લોકસભાની ચૂંટણીમાં એવી 12 બેઠકો હતી જે અમે માત્ર 3 થી 6 હજાર વચ્ચે મતોથી હારી ગયા. કુલ મતોના તફાવત પર નજર કરીએ તો, અમને મહાવિકાસ આઘાડી કરતાં માત્ર 2 લાખ ઓછા મત મળ્યા છે. કારણ કે અજિત પવાર તરફી મત અમારા મહાગઠબંધનને મળી શક્યા નથી.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વધુમાં જણાવ્યું હતું કે, એકનાથ શિંદે જૂથની શિવસેનાએ તેમના તરફી મત સરળતાથી અમારી તરફેણમાં ટ્રાન્સફર કરી દીધા હતા, પરંતુ અમે અજીત પવાર તરફી મતો મેળવી શક્યા નથી. જો અમને અજીત પવારની NCPના મત પૂરતી સંખ્યામાં મળ્યા હોત તો અમે મહારાષ્ટ્રમા આટલી ખરાબ રીતે હાર્યા ના હોત. દેવેન્દ્ર ફડણવીસના કહેવા પ્રમાણે, અજિત પવાર સાથેના ગઠબંધનથી ભાજપના લોકો સહજ ના હતા, પરંતુ હવે પરિસ્થિતિ સુધરી છે. દરેક વ્યક્તિ જાણે છે કે, ગઠબંધન જરૂરી છે અને અમે ભવિષ્યમાં સાથે મળીને કામ કરીશું.

ગુજરાતના 3 સૌથી મોટા મોલ કયા છે? જાણો તેમના નામ
બરફ જેવું દેખાતું ફળ તમારા લીવર માંથી ગંદકી કરશે દૂર, ધડા ધડ ઘટશે વજન
તમને હૃદયની બીમારી નથીને ! દેવરાહા બાબાએ જણાવી જાતે તપાસવાની રીત, જુઓ Video
IPLના 17 વર્ષના ઈતિહાસમાં આ ટીમે સૌથી વધુ કોચ બદલ્યા
તમાકુના વ્યસનથી છૂટકારો નથી મળતો? તો અપનાવો પ્રેમાનંદજી મહારાજનો આ ઉપાય
કથાકાર દેવી ચિત્રલેખા ખાય છે આ ખાસ રોટલી, જાણો બનાવવાની અદભૂત રીત અને ફાયદા

ભાજપે પહેલીવાર અજિત પવાર પર નિશાન સાધ્યું

લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં એનડીએના નબળા દેખાવ બાદ આ પ્રથમ વખત બન્યું છે કે ભાજપના વરિષ્ઠ નેતાએ હાર માટે અજિત પવાર અને તેમની પાર્ટીને જવાબદાર ગણાવી છે. આ પહેલા પણ નાના કક્ષાના નેતાઓ અજિત પવારને નિશાન બનાવી રહ્યા છે.

જો કે, લોકસભાની ચૂંટણી પછી આરએસએસ સાથે જોડાયેલા મેગેઝિન ઓર્ગેનાઈઝરે અજિત પવાર પર ચોક્કસ નિશાન સાધ્યું હતું. ઓર્ગેનાઈઝરે લખ્યું હતું કે જો અજીતને લેવામાં મહાગઠબંધનમાં લેવામાં આવ્યા ના હોત તો નુકસાન ઓછું થાત. મેગેઝીને અજીત પવારને એનડીએમાં લાવનારા નેતાઓ ઉપર પણ નિશાન સાધ્યું હતું.

મહારાષ્ટ્રમાં મહાયુતિની 17 બેઠકો ઘટી

2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળનું મહાગઠબંધન મહારાષ્ટ્રમાં 17 બેઠકો સુધી મર્યાદિત હતું. મહારાષ્ટ્રમાં લોકસભાની કુલ 48 બેઠકો છે. 17માંથી ભાજપ પાસે 9, શિવસેના પાસે 7 અને એનસીપી પાસે માત્ર 1 સીટ છે.

મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપની હારનો આ સૌથી ખરાબ સ્ટ્રાઈક રેટ છે. ભાજપ 28 સીટો પર લડ્યા બાદ માત્ર 9 બેઠકો જ જીતી શકી હતી. એ જ રીતે શિવસેના (શિંદે) 15 બેઠકો પર ચૂંટણી લડવામાં સફળ રહી હતી અને 7 બેઠકો જીતી હતી, જ્યારે NCP અજિત જૂથ પાસે 4 બેઠકો હતી અને તે માત્ર એક જ બેઠક જીતી શક્યું હતું.

મહારાષ્ટ્રમાં ઈન્ડિયા એલાયન્સે 30 સીટો જીતી હતી. કોંગ્રેસે સૌથી વધુ 13 સીટો, ઠાકરે જૂથના શિવસેનાએ 9 અને શરદ પવાર જૂથના એનસીપીએ 8 બેઠકો પર વિજય વાવટા ફરકાવ્યા હતા.

Next Article