AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચૂંટણી પંચનો મોટો નિર્ણય, શિવસેનાના ચૂંટણી ચિન્હ ધનુષ-તીર પર પ્રતિબંધ

ShivSena election symbol : ભારતના ચૂંટણી પંચે શિવસેનાના ચૂંટણી ચિન્હ ધનુધ અને તીર પર પ્રતિબંધ મુક્યો છે. જેના કારણે મહારાષ્ટ્રનું રાજકારણ ફરી ગરમ થયુ છે.

ચૂંટણી પંચનો મોટો નિર્ણય, શિવસેનાના ચૂંટણી ચિન્હ ધનુષ-તીર પર પ્રતિબંધ
Election Commission ban on Shiv Sena election symbol Dhanush Tir
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2022 | 11:13 PM
Share

Shiv Sena election symbol : ભારતના ચૂંટણી પંચે શિવસેનાના ચૂંટણી ચિન્હ ધનુધ અને તીર પર પ્રતિબંધ મુક્યો છે. જેના કારણે મહારાષ્ટ્રનું રાજકારણ ફરી ગરમ થયુ છે. હવે શિંદે અને ઉદ્ધવ ઠાકરે ગ્રુપ આ ચિન્હનો ઉપયોગ કરી શકશે નહીં. ચૂંટણી પંચને (Election Commission) સોમવારે 10 ઓક્ટોબરે બપોરે 1 વાગ્યા સુધીમાં  નવા ચૂંટણી ચિન્હના વિકલ્પ આપવા પડશે. શિવશેના પાર્ટીનું નામ શિંદે અને ઉદ્ધવ ઠાકરે ગ્રુપ ઉપયોગમાં લઈ શકશે નહીં. એટલે કે , 3 નવેમ્બર, 2022ના રોજ થનાર અંધેરી પૂર્વની પેટાચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે અને શિંદે ગ્રુપ શિવસેનાનું નામ અને ધનુષ-તીરના ચિન્હનો ઉપયોગ કરી શકશે નહીં.

શિંદે ગ્રુપના અલગ થવાથી, ઠાકરે અને શિંદે ગ્રુપ વચ્ચે પાર્ટીના નામ અને ચિન્હને લઈને વિવાદ થયો હતો. આ પહેલા શનિવારે ઉદ્ઘવ ઠાકરે ગ્રુપ દ્વારા પોતાના દાવાના તથ્યો સાથે જોડાયેલા દસ્તાવેજ ચૂંટણી પંચને આપ્યા હતા. આ મામલે ચૂંટણી પંચની મિંટિગ 4 કલાક ચાલી હતી. આ મીટિંગ બાદ ચૂંટણી પંચ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે આ ચિન્હ કોઈ ગ્રુપને નહીં મળશે. બન્ને ગ્રુપ એ હવે પોતાની પસંદ મુજબના ચિન્હો ચૂંટણી પંચ સામે રજૂ કરવા પડશે.

નવા ચિન્હો માટે બન્ને ગ્રુપ પાસે સોમવાર સુધીનો સમય

10 ઓક્ટોબર, સોમવાર સુધી બન્ને ગ્રુપ પોતાના ચૂંટણી ચિન્હના પ્રસ્તાવ અને વિકલ્પો રજૂ કરશે. ચૂંટણી પંચના આદેશ બાદ તે ચિન્હો જે તે ગ્રુપના થશે. ઠાકરે ગ્રુપ ઈચ્છતુ હતુ કે સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા ચૂંટણી પંચનો નિર્ણય ન આવે. તે માટે ઠાકરે ગ્રુપ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરવામાં આવી હતી, જે કોર્ટ દ્વારા રદ્દ કરવામાં આવી હતી.

ઠાકરે ગ્રુપને મોટો ઝટકો

ચૂંટણી ચિન્હને લઈને ઠાકરે ગ્રુપ અને શિંદે ગ્રુપ વચ્ચે થોડા સમય પહેલાથી વિવાદ ચાલી રહ્યો હતો. ઠાકરે ગ્રુપનું માનવુ છે કે, આ બધુ શિંદે ગ્રુપ  ભાજપના ઈસારા પર કરી રહી છે. ચૂંટણી પંચના આ નિર્ણયને કારણે બાલા સાહેબ ઠાકરેની શિવસેનાનું નામ અને ચૂંટણી ચિન્હ બન્ને છિનવાય ગયા છે. જેના કારણે ઠાકરે ગ્રુપમાં નિરાશા જોવા મળી રહી છે.

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">