AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિવસેનાના ચૂંટણી ચિન્હને લઈને ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો, પક્ષનું પ્રતીક ‘ધનુષ અને તીર’ એકનાથ શિંદે જૂથનું રહેશે

શિવસેનાના ચૂંટણી ચિન્હને લઈને ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો લાગ્યો છે. બાળાસાહેબની શિવસેના હવે શિંદે જૂથની બની ગઈ છે. કેન્દ્રીય ચૂંટણી પંચે આજે આદેશ આપ્યો છે કે શિવસેના અને પક્ષનું પ્રતીક 'ધનુષ અને તીર' એકનાથ શિંદે જૂથનું જ રહેશે. ચૂંટણી પંચના આ નિર્ણયથી શિવસેના ઉદ્ધવ ઠાકરેના હાથમાંથી નીકળી ગઈ છે અને એકનાથ શિંદે શિવસેનાના નામ અને પ્રતીકના હકદાર બની ગયા છે.

શિવસેનાના ચૂંટણી ચિન્હને લઈને ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો, પક્ષનું પ્રતીક 'ધનુષ અને તીર' એકનાથ શિંદે જૂથનું રહેશે
Shiv Sena
| Updated on: Feb 17, 2023 | 7:49 PM
Share

શિવસેનાના ચૂંટણી ચિન્હને લઈને ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો લાગ્યો છે. બાળાસાહેબની શિવસેના હવે શિંદે જૂથની બની ગઈ છે. કેન્દ્રીય ચૂંટણી પંચે આજે આદેશ આપ્યો છે કે શિવસેના અને પક્ષનું પ્રતીક ‘ધનુષ અને તીર’ એકનાથ શિંદે જૂથનું જ રહેશે. આ નિર્ણય બાદ ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ફટકો પડ્યો છે. ચૂંટણી પંચના આ નિર્ણયથી શિવસેના ઉદ્ધવ ઠાકરેના હાથમાંથી નીકળી ગઈ છે અને એકનાથ શિંદે શિવસેનાના નામ અને પ્રતીકના હકદાર બની ગયા છે.

સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે, આજે ચૂંટણી પંચે આપેલા નિર્ણયનું હું સ્વાગત કરું છું. હિન્દુ હ્રદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે અને ધરમવીર આનંદ દિઘેના વિચારોની આ જીત છે. આ શિવસેનાના સાંસદો, ધારાસભ્યો અને પદાધિકારીઓની જીત છે. લોકશાહીમાં બહુમતી મહત્વની છે. બહુમતી અમારી સાથે છે. આ લોકશાહીની જીત છે. આ સત્યની જીત છે. અમારી સરકાર બંધારણના આધારે સ્થપાઈ છે. આ માટે અમે ચૂંટણી પંચના હૃદયપૂર્વક આભારી છીએ.

આ ખોખલાની જીત છે, સત્યની નહીં: સંજય રાઉત

આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતા સંજય રાઉતે કહ્યું કે, આ લોકશાહીની હત્યા છે. આ ખોખલાની જીત છે, સત્યની નહીં. અમે કાયદાની લડાઈ પણ લડીશું અને જનતાની અદાલતમાં પણ જઈશું. અમે શિવસેનાને ફરીથી ઊભી કરીશું. જો ધનુષ અને બાણ રામને બદલે રાવણ પાસે જાય તો તેનો શું અર્થ થાય?તેનો અર્થ છે અસ્ત્યમેવ જયતે.

વધુમાં, સંજય રાઉતે કહ્યું કે તે સ્પષ્ટ થઈ ગયું છે કે વેચાણ અને ખરીદી કેટલી હદે થઈ છે. આજે ચૂંટણી પંચનો વિશ્વાસ ઉઠી ગયો છે. દેશની તમામ સ્વાયત્ત સંસ્થાઓને ગુલામ બનાવવાના પ્રયાસો ચાલુ છે. અમે ચોક્કસપણે આ નિર્ણયને પડકારીશું. 40 લોકોએ પૈસાના જોરે ધનુષ અને તીરના પ્રતીકની ખરીદી કરી છે.

સંજય રાઉતે લખેલી સ્ક્રિપ્ટ વાંચી

આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતા નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે બાળાસાહેબ ઠાકરેના વિચારોને અનુસરીને એકનાથ શિંદેના જૂથને શિવસેનાનું નામ અને ચૂંટણી ચિહ્ન મળ્યું. આ માટે અમે તેમને અભિનંદન પાઠવીએ છીએ. અમે પહેલા દિવસથી કહી રહ્યા છીએ કે આ જ અસલી શિવસેના છે. શિવસેનાના વિચારોને આગળ વધારવાનું કામ એકનાથ શિંદે કરી રહ્યા છે. તેઓ બાળાસાહેબના વિચારો સાથે આગળ વધી રહ્યા છે. અગાઉના ઘણા નિર્ણયોમાં ચૂંટણી પંચ દ્વારા આવા કેસોમાં આવા જ નિર્ણયો લેવામાં આવ્યા છે.

Follow Us
વડોદરા ખરીફ પાક સંકટ પર સંકટ, ખેડૂતોએ કેનાલમાંથી પાણી છોડવાની કરી માંગ
વડોદરા ખરીફ પાક સંકટ પર સંકટ, ખેડૂતોએ કેનાલમાંથી પાણી છોડવાની કરી માંગ
ભૂમાફિયાઓ અને ગેરકાયદે બાંધકામો સામે તંત્રની 'લાલ આંખ'
ભૂમાફિયાઓ અને ગેરકાયદે બાંધકામો સામે તંત્રની 'લાલ આંખ'
ગુજરાત વિધાનસભામાં ભાડા વિધેયક 2026 રજૂ - જુઓ Video
ગુજરાત વિધાનસભામાં ભાડા વિધેયક 2026 રજૂ - જુઓ Video
કીર્તિદાન ગઢવીના નોરતા નગરી ગરબામાં ₹10 કરોડની ઉચાપત, 4 સામે ફરિયાદ
કીર્તિદાન ગઢવીના નોરતા નગરી ગરબામાં ₹10 કરોડની ઉચાપત, 4 સામે ફરિયાદ
કચ્છના કંડલામાં કોલસા ભરેલું જહાજ એન્કર સાથે અથડાયું
કચ્છના કંડલામાં કોલસા ભરેલું જહાજ એન્કર સાથે અથડાયું
દરેક વોર્ડમાં શ્વાનની ‘ટેરિટરી’ નક્કી કરવા હાઈકોર્ટનો AMCને નિર્દેશ
દરેક વોર્ડમાં શ્વાનની ‘ટેરિટરી’ નક્કી કરવા હાઈકોર્ટનો AMCને નિર્દેશ
ફક્ત એક જ મેસેજ આપ્યો ને AI એ ટ્રેન ટિકિટ બુક કરી દીધી
ફક્ત એક જ મેસેજ આપ્યો ને AI એ ટ્રેન ટિકિટ બુક કરી દીધી
વરસાદ ખેંચાતા જામનગર જિલ્લાના ડેમોના દેખાયા તળિયા, પાણીની તંગીની ભીતિ
વરસાદ ખેંચાતા જામનગર જિલ્લાના ડેમોના દેખાયા તળિયા, પાણીની તંગીની ભીતિ
ગુજરાતમાં એક વર્ષમાં વિવિધ બિમારીથી 62 સિંહના મોત, સરકારે કરી જાહેરાત
ગુજરાતમાં એક વર્ષમાં વિવિધ બિમારીથી 62 સિંહના મોત, સરકારે કરી જાહેરાત
અમદાવાદમાં વધુ ઊંચાઈની ગણેશ મૂર્તિ સ્થપાતા આયોજકો સામે પોલીસ ફરિયાદ
અમદાવાદમાં વધુ ઊંચાઈની ગણેશ મૂર્તિ સ્થપાતા આયોજકો સામે પોલીસ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">