AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિવસેનાના ચૂંટણી ચિન્હને લઈને ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો, પક્ષનું પ્રતીક ‘ધનુષ અને તીર’ એકનાથ શિંદે જૂથનું રહેશે

શિવસેનાના ચૂંટણી ચિન્હને લઈને ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો લાગ્યો છે. બાળાસાહેબની શિવસેના હવે શિંદે જૂથની બની ગઈ છે. કેન્દ્રીય ચૂંટણી પંચે આજે આદેશ આપ્યો છે કે શિવસેના અને પક્ષનું પ્રતીક 'ધનુષ અને તીર' એકનાથ શિંદે જૂથનું જ રહેશે. ચૂંટણી પંચના આ નિર્ણયથી શિવસેના ઉદ્ધવ ઠાકરેના હાથમાંથી નીકળી ગઈ છે અને એકનાથ શિંદે શિવસેનાના નામ અને પ્રતીકના હકદાર બની ગયા છે.

શિવસેનાના ચૂંટણી ચિન્હને લઈને ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો, પક્ષનું પ્રતીક 'ધનુષ અને તીર' એકનાથ શિંદે જૂથનું રહેશે
Shiv Sena
| Updated on: Feb 17, 2023 | 7:49 PM
Share

શિવસેનાના ચૂંટણી ચિન્હને લઈને ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો લાગ્યો છે. બાળાસાહેબની શિવસેના હવે શિંદે જૂથની બની ગઈ છે. કેન્દ્રીય ચૂંટણી પંચે આજે આદેશ આપ્યો છે કે શિવસેના અને પક્ષનું પ્રતીક ‘ધનુષ અને તીર’ એકનાથ શિંદે જૂથનું જ રહેશે. આ નિર્ણય બાદ ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ફટકો પડ્યો છે. ચૂંટણી પંચના આ નિર્ણયથી શિવસેના ઉદ્ધવ ઠાકરેના હાથમાંથી નીકળી ગઈ છે અને એકનાથ શિંદે શિવસેનાના નામ અને પ્રતીકના હકદાર બની ગયા છે.

સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે, આજે ચૂંટણી પંચે આપેલા નિર્ણયનું હું સ્વાગત કરું છું. હિન્દુ હ્રદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે અને ધરમવીર આનંદ દિઘેના વિચારોની આ જીત છે. આ શિવસેનાના સાંસદો, ધારાસભ્યો અને પદાધિકારીઓની જીત છે. લોકશાહીમાં બહુમતી મહત્વની છે. બહુમતી અમારી સાથે છે. આ લોકશાહીની જીત છે. આ સત્યની જીત છે. અમારી સરકાર બંધારણના આધારે સ્થપાઈ છે. આ માટે અમે ચૂંટણી પંચના હૃદયપૂર્વક આભારી છીએ.

આ ખોખલાની જીત છે, સત્યની નહીં: સંજય રાઉત

આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતા સંજય રાઉતે કહ્યું કે, આ લોકશાહીની હત્યા છે. આ ખોખલાની જીત છે, સત્યની નહીં. અમે કાયદાની લડાઈ પણ લડીશું અને જનતાની અદાલતમાં પણ જઈશું. અમે શિવસેનાને ફરીથી ઊભી કરીશું. જો ધનુષ અને બાણ રામને બદલે રાવણ પાસે જાય તો તેનો શું અર્થ થાય?તેનો અર્થ છે અસ્ત્યમેવ જયતે.

વધુમાં, સંજય રાઉતે કહ્યું કે તે સ્પષ્ટ થઈ ગયું છે કે વેચાણ અને ખરીદી કેટલી હદે થઈ છે. આજે ચૂંટણી પંચનો વિશ્વાસ ઉઠી ગયો છે. દેશની તમામ સ્વાયત્ત સંસ્થાઓને ગુલામ બનાવવાના પ્રયાસો ચાલુ છે. અમે ચોક્કસપણે આ નિર્ણયને પડકારીશું. 40 લોકોએ પૈસાના જોરે ધનુષ અને તીરના પ્રતીકની ખરીદી કરી છે.

સંજય રાઉતે લખેલી સ્ક્રિપ્ટ વાંચી

આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતા નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે બાળાસાહેબ ઠાકરેના વિચારોને અનુસરીને એકનાથ શિંદેના જૂથને શિવસેનાનું નામ અને ચૂંટણી ચિહ્ન મળ્યું. આ માટે અમે તેમને અભિનંદન પાઠવીએ છીએ. અમે પહેલા દિવસથી કહી રહ્યા છીએ કે આ જ અસલી શિવસેના છે. શિવસેનાના વિચારોને આગળ વધારવાનું કામ એકનાથ શિંદે કરી રહ્યા છે. તેઓ બાળાસાહેબના વિચારો સાથે આગળ વધી રહ્યા છે. અગાઉના ઘણા નિર્ણયોમાં ચૂંટણી પંચ દ્વારા આવા કેસોમાં આવા જ નિર્ણયો લેવામાં આવ્યા છે.

આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">