AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભૈય્યુ મહારાજની આત્મહત્યાનું કારણ બહાર આવ્યું, કોર્ટે પલક સહિત ત્રણને 6 વર્ષની સજા ફટકારી

આ મામલો સેશન્સ કોર્ટમાં સાડા ત્રણ વર્ષ સુધી ચાલ્યો. આ પછી જસ્ટિસ ધર્મેન્દ્ર સોનીએ ચુકાદો સંભળાવતા કહ્યું કે, ભૈય્યુ મહારાજે તેમના જીવનમાં પરિવાર કરતાં પોતાના સેવકોને વધુ મહત્વ આપ્યું. એ જ સેવકોએ ભૈય્યુ મહારાજ સાથે દગો કર્યો.

ભૈય્યુ મહારાજની આત્મહત્યાનું કારણ બહાર આવ્યું, કોર્ટે પલક સહિત ત્રણને 6 વર્ષની સજા ફટકારી
Bhaiyuu Maharaj (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2022 | 8:52 PM
Share

દેશભરમાં ચર્ચાયેલા ભૈય્યુ મહારાજ આત્મહત્યા કેસ (Bhaiyyu Maharaj suicide case) સાથે જોડાયેલા કેસમાં ઈન્દોર કોર્ટે (Indore session court) આખરે શુક્રવારે (28 જાન્યુઆરી) પોતાનો ચુકાદો આપ્યો. કોર્ટે આધ્યાત્મિક ગુરુ ભૈય્યુ મહારાજના મુખ્ય સેવક વિનાયક દુધાલે, ડ્રાઇવર શરદ દેશમુખ અને કેરટેકર પલક પુરાણિકને આત્મહત્યાની દુષ્પ્રેરણા માટે દોષિત ઠેરવવામાં આવ્યા છે અને ત્રણેયને 6 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. તેમને આઈપીસીની કલમ 306 હેઠળ સજા સંભળાવવામાં આવી છે. 12 જૂન 2018ના રોજ ભૈય્યુ મહારાજે સર્વિસ રિવોલ્વર વડે પોતાને માથામાં ગોળી મારી દીધી હતી. કોર્ટે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કર્યું છે કે ભૈય્યુ મહારાજે પૈસા માટે નોકરોના બ્લેકમેલિંગના કારણે આત્મહત્યા કરી હતી.

ભૈય્યુ મહારાજની આત્મહત્યા બાદ પોલીસે છ મહિનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. આ પછી સેશન્સ કોર્ટમાં સાડા ત્રણ વર્ષ સુધી મામલો ચાલ્યો. 32 સાક્ષીઓએ તેમના નિવેદનો નોંધાવ્યા હતા. આ પછી જસ્ટિસ ધર્મેન્દ્ર સોનીએ ચુકાદો સંભળાવતા કહ્યું કે, ભૈય્યુ મહારાજે તેમના જીવનમાં પરિવાર કરતાં પોતાના સેવકોને વધુ મહત્વ આપ્યું. એ જ સેવકોએ ભૈય્યુ મહારાજ સાથે દગો કર્યો. તેમણે તેમના આશ્રમના કામની જવાબદારી તેમના પર સોંપી. આ જ સેવકોએ ભૈય્યુ મહારાજ સાથે દગો કર્યો અને પૈસા માટે તેમને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું.

શરૂઆતમાં બે લગ્નના લીધે કૌટુંબિક વિખવાદ કારણ સમજવામાં આવ્યું

શરૂઆતમાં, ભૈય્યુ મહારાજની આત્મહત્યાનું કારણ પારિવારિક વિવાદ હોવાનું માનવામાં આવતું હતું. તેની બીજી પત્ની આયુષી અને પુત્રી કુહુ વચ્ચે અણબનાવ હોવાના અહેવાલ હતા. તેમની પુત્રી પૂણેમાં અભ્યાસ કરતી હતી. આત્મહત્યાના થોડા મહિના પહેલા તેમણે સામાજિક અને આધ્યાત્મિક વ્યવસાયમાંથી નિવૃત્તિ લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

આત્મહત્યાના છ મહિનામાં પોલીસે જે ત્રણ લોકોની ધરપકડ કરી હતી તેમાં મુખ્ય નોકર, ડ્રાઈવર અને એક મહિલા હતી. પલક નામની આ મહિલા દ્વારા ભૈય્યુ મહારાજ સાથેના સંબંધોનો મામલો સામે આવ્યો અને પછી તેને જાહેર કરવાનો ડર બતાવીને બ્લેકમેલિંગનો મામલો સામે આવ્યો. આરોપ છે કે પલક એ ભૈય્યુ મહારાજ પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. પલકના આ બ્લેકમેઈલિંગમાં સેવાદાર વિનાયક અને ડ્રાઈવર શરદ સામેલ હતા.

ભૈય્યુ મહારાજ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના રાજકારણમાં મજબૂત પકડ ધરાવતા હતા

ભૈય્યુ મહારાજના અનુયાયીઓમાં મોટા નેતાઓ અને અભિનેતાઓનું નામ હતું. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યપ્રધાન વિલાસરાવ દેશમુખ અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ તેમને મળવા અને ચર્ચા કરવા તેમના આશ્રમમાં આવતા હતા. તેમણે મહારાષ્ટ્રમાં આત્મહત્યા કરનારા ખેડૂતોના બાળકો માટે ઘણું કામ કર્યું. તેમની સંસ્થાએ મરાઠવાડામાં 500 તળાવ બનાવ્યા. અનેક વૃક્ષો વાવ્યા. ભૈય્યુ મહારાજ લોકો પાસેથી કોઈ ગિફ્ટ લેતા ન હતા, બલ્કે તેઓ લોકોને બદલામાં વૃક્ષો વાવવા વિનંતી કરતા હતા.

આ પણ વાંચો :  NCBએ સુશાંત સિંહ રાજપૂતના ડ્રગ્સ પેડલર પાડોશીની કરી ધરપકડ, 8 મહિનાથી હતો ફરાર

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">