AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: ઓવૈસીની રેલીમાં લાગ્યા ‘ઔરંગઝેબ અમર રહે’ના નારા, દેવેન્દ્ર ફડણવીસે પૂછ્યું- મુઘલોના વંશજો ક્યાંથી આવે છે?

બુલઢાણામાં અસદુદ્દીન ઓવૈસીની રેલી હતી. આ રેલીમાં કેટલાક લોકોએ 'ઔરંગઝેબ અમર રહે'ના નારા લગાવ્યા હતા. આ નારાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ રાજકારણ ગરમાયું છે. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ફરી એકવાર સવાલ ઉઠાવ્યો છે.

Maharashtra: ઓવૈસીની રેલીમાં લાગ્યા 'ઔરંગઝેબ અમર રહે'ના નારા, દેવેન્દ્ર ફડણવીસે પૂછ્યું- મુઘલોના વંશજો ક્યાંથી આવે છે?
Devendra Fadnavis
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2023 | 4:20 PM
Share

Mumbai: મહારાષ્ટ્રના બુલઢાણામાં શનિવારે સાંજે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીની રેલી હતી. આ રેલીમાં કેટલાક લોકોએ ‘ઔરંગઝેબ અમર રહે’ના નારા લગાવ્યા હતા. આ નારાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ રાજકારણ ગરમાયું છે. એક તરફ બુલઢાણા પોલીસે કેસની તપાસ શરૂ કરી હોવાનો દાવો કર્યો છે. બીજી તરફ નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) ફરી એકવાર સવાલ ઉઠાવ્યો છે કે ભારતમાં મુઘલોના વંશજો ક્યાંથી આવી રહ્યા છે.

ઔરંગઝેબના સમર્થનમાં લગાવેલા નારા પર આકરી પ્રતિક્રિયા આપી

નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઓવૈસીની રેલીમાં ઔરંગઝેબના સમર્થનમાં લગાવેલા નારા પર આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે તેઓ સતત કહી રહ્યા છે કે ઔરંગઝેબના વંશજો ક્યાંથી આવે છે. જ્યારે મહારાષ્ટ્ર કે દેશમાં કોઈનું લોહી ઔરંગઝેબનું નથી ત્યારે અહીંનો મુસ્લિમ ઔરંગઝેબનો વંશજ ન હોઈ શકે. ઔરંગઝેબ આ દેશ પર શાસન કરવા અને હિંદુઓ પર અત્યાચાર કરવા આવ્યો હતો. તેના અત્યાચારો વિશે હજારો પાના લખી શકાય તેમ છે.

આ ઔરંગઝેબના વંશજો છે, પરંતુ વારંવાર આવે છે ક્યાંથી

ડેપ્યુટી સીએમએ કહ્યું કે જે આવી ઘોષણા કરે છે તે દેશભક્ત કેવી રીતે હોઈ શકે. આ સાથે તેમણે ફરી એક વાર સવાલ ઉઠાવ્યો કે આ ઔરંગઝેબના વંશજો છે, પરંતુ તેઓ વારંવાર ક્યાંથી આવે છે તે ખબર નથી. તેમની પાછળ કોણ છે અને તેમનો ઈરાદો શું છે? તેઓ મહારાષ્ટ્રમાં શું કરવા ઈચ્છે છે, તે ટૂંક સમયમાં બહાર આવશે.

આ પણ વાંચો : Maharashtra Rain: મહારાષ્ટ્રમાં 5 દિવસ માટે ભારે વરસાદની આગાહી, આગામી 24 કલાક એલર્ટ, મુંબઇમાં પાણી જ પાણી

જણાવી દઈએ કે ઓવૈસીએ બુલઢાણામાં મોટી સભા કરી હતી. તેમની સભા દરમિયાન ઔરંગઝેબના સમર્થનમાં ઘણી વખત સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. રેલી શરૂ થતાની સાથે જ લોકોએ સૂત્રોચ્ચાર કરવા માંડ્યા,

હજુ સુધી કોઈએ ફરિયાદ કરી નથી

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બુલઢાણા પોલીસના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમનો એક વીડિયો પોલીસને પણ મળ્યો છે, પરંતુ હજુ સુધી કોઈએ ફરિયાદ કરી નથી. હાલ પોલીસ તેમના સ્તરે વીડિયોની તપાસ કરી રહી છે. પરંતુ જો આ અંગે કોઈ ફરિયાદ કરશે તો સંબંધિત કલમોમાં કેસ નોંધીને તપાસ કરવામાં આવશે અને સંબંધિતો સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
સુરતમાં વિકાસના ફળથી વંચિત મતદારોએ ચૂંટણી બહિષ્કારની કરી જાહેરાત
સુરતમાં વિકાસના ફળથી વંચિત મતદારોએ ચૂંટણી બહિષ્કારની કરી જાહેરાત
સુરતમાં પ્રસાદના નામે આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ
સુરતમાં પ્રસાદના નામે આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ
છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલી નાંખ્યા, જુઓ વીડિયો
છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલી નાંખ્યા, જુઓ વીડિયો
અમરેલી ચૂંટણીમાં ઝેરી રાજનીતિ! નિવેદને મચાવ્યો ખળભળાટ, કોણ છે ટાર્ગેટ?
અમરેલી ચૂંટણીમાં ઝેરી રાજનીતિ! નિવેદને મચાવ્યો ખળભળાટ, કોણ છે ટાર્ગેટ?
Breaking News: વાપીમાં દુર્ઘટના, લિફ્ટના સાફટમાં પટકાતા વૃદ્ધનું મોત
Breaking News: વાપીમાં દુર્ઘટના, લિફ્ટના સાફટમાં પટકાતા વૃદ્ધનું મોત
Breaking News : ટ્રકની અડફેટે 7 પદયાત્રીના ઘટના સ્થળે મોત
Breaking News : ટ્રકની અડફેટે 7 પદયાત્રીના ઘટના સ્થળે મોત
હવામાન વિભાગનું 48 કલાક ગરમીનું એલર્ટ
હવામાન વિભાગનું 48 કલાક ગરમીનું એલર્ટ
તમારી મહત્વાકાંક્ષાઓને કાબૂમાં રાખો, તમે આવકના નવા સ્ત્રોત શોધી શકશો
તમારી મહત્વાકાંક્ષાઓને કાબૂમાં રાખો, તમે આવકના નવા સ્ત્રોત શોધી શકશો
વટવામાં તલવારો સાથે લુખ્ખાઓનો આતંક, પોલીસે 4 ને ઝડપી પાડ્યા
વટવામાં તલવારો સાથે લુખ્ખાઓનો આતંક, પોલીસે 4 ને ઝડપી પાડ્યા
રાજકોટના વેજા ગામમાં મચ્છરોના ત્રાસથી યુવાનોના લગ્ન નથી થઈ રહ્યા-Video
રાજકોટના વેજા ગામમાં મચ્છરોના ત્રાસથી યુવાનોના લગ્ન નથી થઈ રહ્યા-Video
g clip-path="url(#clip0_868_265)">