Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : હેલ્થ સિસ્ટમના નામે ખાલી વાતો, ખાટલાને બાઇક પર બાંધી લઇ જવી પડી લાશ, શરમથી આંખો ઝૂકી જાય તેવી તસવીર

ગઢચિરોલી જિલ્લામાં એમ્બ્યુલન્સ ઉપલબ્ધ ન હોવાથી યુવકની લાશને બાઇક પર બાંધીને તેના ગામ લઇ જવામાં આવી હતી. બાઇક સાથે બાંધેલી લાશને લાવવાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Maharashtra : હેલ્થ સિસ્ટમના નામે ખાલી વાતો, ખાટલાને બાઇક પર બાંધી લઇ જવી પડી લાશ, શરમથી આંખો ઝૂકી જાય તેવી તસવીર
Maharashtra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2023 | 1:35 PM

મહારાષ્ટ્ર (Maharashtra )સરકાર તેની હેલ્થ સિસ્ટમ પર લાખો અને કરોડો રૂપિયા ખર્ચે છે. ગામડાઓ અને શહેરો દરેક જગ્યાએ હોસ્પિટલોમાં દર્દીઓને શ્રેષ્ઠ સુવિધાઓ આપવાના દાવા કરે છે, પરંતુ એક તસવીરો આ દાવાઓ પર સવાલ ઉઠાવે છે. વાસ્તવમાં ગઢચિરોલી જિલ્લા હોસ્પિટલમાં એક યુવકનું મોત થયું હતું. એમ્બ્યુલન્સ ઉપલબ્ધ ન હોવાથી પરિજનો યુવાનની લાશને બાઇક પર બાંધીને લાવ્યા હતા. આ દરમિયાન જેણે પણ આ જોયું તે ચોકી ગયું.

આ પણ વાંચો : અજિત પવાર મહારાષ્ટ્રના CM નહીં બને, કેટલાક નેતાઓ ભ્રમ ફેલાવી રહ્યા છે: દેવેન્દ્ર ફડણવીસ

જણાવી દઈએ કે જ્યારે ગઢચિરોલીના ભામરાગઢની હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ઉપલબ્ધ ન હતી, ત્યારે એક યુવકની લાશને બાઇક પર બાંધીને તેના ગામ લઈ જવામાં આવી હતી. મળતી માહિતી મુજબ ગણેશ તેલામી નામનો યુવક ક્ષય રોગથી પીડિત હતો. તેમની ગઢચિરોલી જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી,તબીયત લથડતા. થોડા દિવસો પહેલા તેની તબિયત બગડતાં પરિવારજનોએ તેને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 25-03-2025
IPL વચ્ચે ખુશખબર, આથિયા શેટ્ટી માતા બની, નાની પરીને આપ્યો જન્મ
અત્યાર સુધીમાં કેટલા ઓટો-રિક્ષા ચાલકના પુત્રોએ IPLમાં નામના મેળવી છે?
Jioનું સૌથી સસ્તું રિચાર્જ, માત્ર 11 રૂપિયામાં મળી રહ્યો છે મોટો લાભ
આ 5 ભૂલ તમારા હાડકાંને કરી દેશે પોલા,યુવાનીમાં આવી જશે ઘડપણ
હરભજન સિંહ પર IPLમાંથી પ્રતિબંધ મુકવાની માંગ ઉઠી
As an ambulance was not available in Gadchiroli district, the body of the youth was tied to a bike and taken to his village

Maharashtra

હોસ્પિટલમાં સારવાર દરમિયાન પણ ગણેશની હાલતમાં કોઈ સુધારો થયો ન હતો. દિવસે ને દિવસે તેની હાલત ખરાબ થતી જતી હતી. સોમવારે રાત્રે ગણેશનું સારવાર દરમિયાન મોત થયું હતું. સગાસંબંધીઓ આખી રાત હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ માટે રઝળપાટ કરતા રહ્યા, પરંતુ એમ્બ્યુલન્સ મળી ન હતી.

એમ્બ્યુલન્સ ન મળી તો મૃતદેહને બાઇક પર બાંધી દીધો હતો

આજે સવારે પણ સ્વજનોએ એમ્બ્યુલન્સ માટે ઘણી દોડધામ કરી હતી, પરંતુ ગણેશના મૃતદેહને ગામમાં લઈ જવા માટે કોઈ એમ્બ્યુલન્સ મળી ન હતી. કંટાળીને પરિવારના સભ્યોએ ગણેશના મૃતદેહને ખાટલા પર રાખ્યો, ખાટલાને બાઇક પર બાંધી દીધો અને પછી તેને ગામમાં લાવ્યા. આ દરમિયાન રસ્તામાં જે પણ આ દ્રશ્ય જોતા હતા તે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જ્યારે ગણેશનો ભાઈ બાઇક પર મૃતદેહ લઈને ગામ ચોકડી પર પહોંચ્યો ત્યારે લોકોની ભીડ શરૂ થઈ ગઈ.

ભાઈની સારવાર પાછળ નાણા ખર્ચ્યા, એમ્બ્યુલન્સ બુક કરાવવાના પૈસા બચ્યા નહતા

ગણેશના ભાઈએ જણાવ્યું કે તેઓ ગઈકાલે રાતથી એમ્બ્યુલન્સ માટે ચિંતિત હતા. હોસ્પિટલના કર્મચારીઓ અને અધિકારીઓને ઘણી વિનંતીઓ કરવામાં આવી, પરંતુ કોઈએ તેમની વાત સાંભળી નહીં. વ્યથિત થઈને તે લોકો બાઇક પરથી જ મૃતદેહ લઇ ગયા. બીજી તરફ, જ્યારે લોકોએ પૂછ્યું કે શું ખાનગી એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી શકાય છે, ત્યારે ગણેશના ભાઈએ કહ્યું કે તેમના મોટા ભાઈની સારવાર માટે એટલા પૈસા ખર્ચવામાં આવ્યા છે કે હવે તેમની પાસે એમ્બ્યુલન્સ બુક કરાવવાના પૈસા નહોતા.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન
ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન
બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત
બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત
અમદાવાદ ઍરપોર્ટ પરથી ઝડપાયુ ₹2.76 કરોડની કિંમતનું દાણચોરીનું સોનુ
અમદાવાદ ઍરપોર્ટ પરથી ઝડપાયુ ₹2.76 કરોડની કિંમતનું દાણચોરીનું સોનુ
ગુજરાતમાં RSSનો વધ્યો વ્યાપ, રોજ મળતી શાખામાં થયો નોંધપાત્ર વધારો
ગુજરાતમાં RSSનો વધ્યો વ્યાપ, રોજ મળતી શાખામાં થયો નોંધપાત્ર વધારો
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી
સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ
સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ
g clip-path="url(#clip0_868_265)">