Amravati Murder Case: ‘રાત્રે દુકાન બંધ કરીને ઘરે જતો હતો, ત્યારે છરીના ઘા મારીને કરી હત્યા’, મૃતકના ભાઈએ વર્ણવી તે રાત્રીની ભયાનક ઘટના

કેમિસ્ટ (Maharashtra) ઉમેશ કોલ્હેની 21 જૂને મહારાષ્ટ્રના અમરાવતીમાં હત્યા કરવામાં આવી હતી. હત્યા કેસમાં અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે તમામ છ આરોપીઓને 5 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે.

Amravati Murder Case: 'રાત્રે દુકાન બંધ કરીને ઘરે જતો હતો, ત્યારે છરીના ઘા મારીને કરી હત્યા', મૃતકના ભાઈએ વર્ણવી તે રાત્રીની ભયાનક ઘટના
Amravati murder Case Image Credit source: ANI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2022 | 8:41 PM

મહારાષ્ટ્રના અમરાવતીમાં કેમિસ્ટ ઉમેશ કોલ્હે હત્યા (Amravati Umesh Kolhe Murder Case) કેસની તપાસ પણ નેશનલ ઈન્વેસ્ટિગેટિવ એજન્સી (NIA)ને સોંપવામાં આવી છે. તે જ સમયે શનિવારે, મૃતકના ભાઈએ હત્યાને લઈને મોટો ખુલાસો કર્યો છે. મૃતક ઉમેશ કોલ્હેના ભાઈ મહેશ કોલ્હેએ જણાવ્યું હતું કે 21 જૂનની રાત્રે જ્યારે મારો ભાઈ દુકાન બંધ કરીને તેના ઘરે જઈ રહ્યો હતો, ત્યારે કેટલાક લોકોએ તેના પર હુમલો કર્યો હતો અને તેને છરી વડે માર માર્યો હતો. જ્યારે હું ત્યાં પહોંચ્યો, ત્યારે તે મરી ચૂક્યો હતો. અમે હજુ સુધી તેની હત્યાનું કારણ શોધી શક્યા નથી. તેણે ક્યારેય અમને ધમકીઓ વિશે જણાવ્યું નથી. તેણે નુપુર શર્મા પર કેટલાક વોટ્સએપ ગ્રુપમાં કેટલાક મેસેજ ફોરવર્ડ કર્યા હતા, પરંતુ વ્યક્તિગત રીતે કોઈને મેસેજ કર્યા ન હતા.

તમને જણાવી દઈએ કે અમરાવતી પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરી છે. તેઓને સ્થાનિક કોર્ટમાં રજૂ કર્યા બાદ 5 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયાલાલ (વ્યવસાયે દરજી)ની હત્યાની જેમ કેમિસ્ટ ઉમેશ કોલ્હેની પણ હત્યા કરવામાં આવી છે. ઉમેશ કોલ્હેએ ભાજપના સસ્પેન્ડ પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં ફેસબુક પોસ્ટ કરી હતી. આ પછી તેને ધમકીઓ મળી રહી હતી અને 21 જૂનની રાત્રે તેનું ગળું કાપીને તેની હત્યા કરવામાં આવી હતી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

અત્યાર સુધી આ લોકોની ધરપકડ કરવામાં આવી

23 જૂને બે આરોપી મુદસ્સીર અહેમદ અને શાહરૂખ પઠાણ (25)ની પોલીસે ધરપકડ કરી હતી. તે જ સમયે, અન્ય ચાર અબ્દુલ તૌફીક (24), શોએબ ખાન (22) અને અતીબ રાશિદ (22) 25 જૂને હત્યાના કેસમાં પકડાયા હતા. જો કે આ કેસનો મુખ્ય આરોપી અહેમદ ફિરોઝ હજુ ફરાર છે. જેમના માટે પોલીસ કામે લાગી છે.

એક નજરમાં સમજો શું છે ઉદયપુર હત્યાકાંડ?

તમને જણાવી દઈએ કે, ઉદયપુરના ભૂત મહેલ વિસ્તારમાં એક વ્યક્તિ (વ્યવસાયે દરજી)ની તેની દુકાનની અંદર ધોળા દિવસે હત્યા કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે દરજીના 8 વર્ષના પુત્રએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર નુપુર શર્માના સમર્થનમાં એક સ્ટેટસ પોસ્ટ કર્યું હતું. જેને લઇ ચોક્કસ સમુદાયમાં એક તરફ ઘેરો રોષ જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં એક ખાસ સમુદાયના બે યુવકો કપડાનું માપ આપવા માટે દરજીની દુકાનમાં ઘુસ્યા હતા. તક મળતાં જ તેણે દરજી પર છરી વડે અનેક વાર કર્યા હતા. જે બાદ દરજીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

ઘટનાના એક વીડિયોમાં આરોપીએ હત્યાની જવાબદારી સ્વીકારી છે. આ પછી, ખાસ સમુદાયના બે યુવકો, ગૌસ મોહમ્મદ અને રિયાઝ જબ્બરે વીડિયો જાહેર કર્યો અને હત્યાની જવાબદારી લીધી. આ કેસમાં ચાર આરોપીઓ, મુખ્ય આરોપી ગૌસ મોહમ્મદ, રિયાઝ જબ્બાર અને કાવતરામાં સામેલ અન્ય બે આરોપી મોહસીન અને આસિફની ધરપકડ કરવામાં આવી છે.

Latest News Updates

આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
g clip-path="url(#clip0_868_265)">