Amravati Murder Case: ‘રાત્રે દુકાન બંધ કરીને ઘરે જતો હતો, ત્યારે છરીના ઘા મારીને કરી હત્યા’, મૃતકના ભાઈએ વર્ણવી તે રાત્રીની ભયાનક ઘટના
કેમિસ્ટ (Maharashtra) ઉમેશ કોલ્હેની 21 જૂને મહારાષ્ટ્રના અમરાવતીમાં હત્યા કરવામાં આવી હતી. હત્યા કેસમાં અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે તમામ છ આરોપીઓને 5 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે.
મહારાષ્ટ્રના અમરાવતીમાં કેમિસ્ટ ઉમેશ કોલ્હે હત્યા (Amravati Umesh Kolhe Murder Case) કેસની તપાસ પણ નેશનલ ઈન્વેસ્ટિગેટિવ એજન્સી (NIA)ને સોંપવામાં આવી છે. તે જ સમયે શનિવારે, મૃતકના ભાઈએ હત્યાને લઈને મોટો ખુલાસો કર્યો છે. મૃતક ઉમેશ કોલ્હેના ભાઈ મહેશ કોલ્હેએ જણાવ્યું હતું કે 21 જૂનની રાત્રે જ્યારે મારો ભાઈ દુકાન બંધ કરીને તેના ઘરે જઈ રહ્યો હતો, ત્યારે કેટલાક લોકોએ તેના પર હુમલો કર્યો હતો અને તેને છરી વડે માર માર્યો હતો. જ્યારે હું ત્યાં પહોંચ્યો, ત્યારે તે મરી ચૂક્યો હતો. અમે હજુ સુધી તેની હત્યાનું કારણ શોધી શક્યા નથી. તેણે ક્યારેય અમને ધમકીઓ વિશે જણાવ્યું નથી. તેણે નુપુર શર્મા પર કેટલાક વોટ્સએપ ગ્રુપમાં કેટલાક મેસેજ ફોરવર્ડ કર્યા હતા, પરંતુ વ્યક્તિગત રીતે કોઈને મેસેજ કર્યા ન હતા.
તમને જણાવી દઈએ કે અમરાવતી પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરી છે. તેઓને સ્થાનિક કોર્ટમાં રજૂ કર્યા બાદ 5 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયાલાલ (વ્યવસાયે દરજી)ની હત્યાની જેમ કેમિસ્ટ ઉમેશ કોલ્હેની પણ હત્યા કરવામાં આવી છે. ઉમેશ કોલ્હેએ ભાજપના સસ્પેન્ડ પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં ફેસબુક પોસ્ટ કરી હતી. આ પછી તેને ધમકીઓ મળી રહી હતી અને 21 જૂનની રાત્રે તેનું ગળું કાપીને તેની હત્યા કરવામાં આવી હતી.
On June 21 night, while my brother was enroute to his home after shutting his shop, some people attacked him & he was stabbed with a knife. When I reached there, he was already dead: Mahesh Kolhe, brother of Umesh Kolhe who was murdered in Amravati, Maharashtra pic.twitter.com/cNISdFqGGr
— ANI (@ANI) July 2, 2022
અત્યાર સુધી આ લોકોની ધરપકડ કરવામાં આવી
23 જૂને બે આરોપી મુદસ્સીર અહેમદ અને શાહરૂખ પઠાણ (25)ની પોલીસે ધરપકડ કરી હતી. તે જ સમયે, અન્ય ચાર અબ્દુલ તૌફીક (24), શોએબ ખાન (22) અને અતીબ રાશિદ (22) 25 જૂને હત્યાના કેસમાં પકડાયા હતા. જો કે આ કેસનો મુખ્ય આરોપી અહેમદ ફિરોઝ હજુ ફરાર છે. જેમના માટે પોલીસ કામે લાગી છે.
એક નજરમાં સમજો શું છે ઉદયપુર હત્યાકાંડ?
તમને જણાવી દઈએ કે, ઉદયપુરના ભૂત મહેલ વિસ્તારમાં એક વ્યક્તિ (વ્યવસાયે દરજી)ની તેની દુકાનની અંદર ધોળા દિવસે હત્યા કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે દરજીના 8 વર્ષના પુત્રએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર નુપુર શર્માના સમર્થનમાં એક સ્ટેટસ પોસ્ટ કર્યું હતું. જેને લઇ ચોક્કસ સમુદાયમાં એક તરફ ઘેરો રોષ જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં એક ખાસ સમુદાયના બે યુવકો કપડાનું માપ આપવા માટે દરજીની દુકાનમાં ઘુસ્યા હતા. તક મળતાં જ તેણે દરજી પર છરી વડે અનેક વાર કર્યા હતા. જે બાદ દરજીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
ઘટનાના એક વીડિયોમાં આરોપીએ હત્યાની જવાબદારી સ્વીકારી છે. આ પછી, ખાસ સમુદાયના બે યુવકો, ગૌસ મોહમ્મદ અને રિયાઝ જબ્બરે વીડિયો જાહેર કર્યો અને હત્યાની જવાબદારી લીધી. આ કેસમાં ચાર આરોપીઓ, મુખ્ય આરોપી ગૌસ મોહમ્મદ, રિયાઝ જબ્બાર અને કાવતરામાં સામેલ અન્ય બે આરોપી મોહસીન અને આસિફની ધરપકડ કરવામાં આવી છે.