AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમને ખબર છે પાણીપુરીની શોધ દ્રૌપદીએ કરી હતી? જાણો આ પાછળનો ઈતિહાસ

Unknown Facts about Panipuri: પાણીપુરી એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. આ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. લોકો તેને ખૂબ જ પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તેનો સંબંધ મહાભારત કાળ સાથે છે? દ્રૌપદીએ પોતાની કલા અને જ્ઞાનનો ઉપયોગ પહેલીવાર પાણીપુરી બનાવવા માટે કર્યો હતો.

શું તમને ખબર છે પાણીપુરીની શોધ દ્રૌપદીએ કરી હતી? જાણો આ પાછળનો ઈતિહાસ
Pani-Puri
| Updated on: Feb 29, 2024 | 8:38 AM
Share

પાણીપુરી (Panipuri)નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. પાણીપુરી એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. પાણી અને બટાકા ચણાના મસાલાથી ભરેલી પાણીપુરી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. પાણીપુરી જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા નામથી ઓળખાય છે. ક્યાંક તેને પાણીપુરી અને તો ક્યાંક પુચકા તરીકે ઓળખવામાં આવે તો કેટલાક લોકો તેને પકોડી પણ કહે છે. છે. પાણીપુરી (Panipuri)ને બટેટા, ચણા, મસાલેદાર અને મીઠી ચટણી સાથે પીરસવામાં આવે છે. મહિલાઓને ગોલગપ્પા ખૂબ જ પસંદ હોય છે. માત્ર દેશ જ નહીં વિદેશના લોકો પણ ભારતમાં પાણીપુરીની મજા માણે છે. પરંતુ કદાચ ઘણા લોકોને ખબર નથી કે પાણીપુરીની શરૂઆત ક્યાંથી અને ક્યારે થઈ. વાસ્તવમાં, પાણીપુરી વિશે ઘણી ઐતિહાસિક અને પૌરાણિક કથાઓ છે. આવો જાણીએ પાણીપુરીનો રસપ્રદ ઈતિહાસ.

દ્રૌપદીએ પ્રથમ વખત ગોલગપ્પા બનાવ્યા હતા

પાણીપુરીનો સંબંધ મહાભારતના સમયથી છે તેમ કહેવાય છે. દ્રૌપદીએ પાંડવો માટે પ્રથમ વખત પાણીપુરી બનાવી હોવાનું કહેવાય છે. હકીકતમાં લગ્ન પછી, જ્યારે દ્રૌપદી પાંડવો સાથે તેના સાસરે પહોંચ્યા, ત્યારે કુંતીએ તેની પુત્રવધૂ દ્રૌપદીની પરીક્ષા કરવાનું વિચાર્યુ. કારણ કે તે સમયે પાંડવો વનવાસ પર હતા. તેમની પાસે ખાવા માટે વધુ સામગ્રી નહોતી. આવી સ્થિતિમાં કુંતી તેની પુત્રવધૂ દ્રૌપદી ઘર સંભાળવામાં કેટલી કુશળ છે તે ચકાસવા માગતા હતા. આવી સ્થિતિમાં કુંતીએ દ્રૌપદીને થોડા બટાકા, મસાલા અને થોડો લોટ આપ્યો.

આ સામગ્રીઓ આપતાં તેમણે કહ્યું કે તેમાંથી કેટલીક સ્વાદિષ્ટ વાનગીઓ બનાવો. જેથી પાંચ પાંડવોનું પેટ ભરાઈ જાય. પાંચ પાંડવોને ગમશે એવું કંઈક બનાવવાનું કહ્યું. આવી સ્થિતિમાં દ્રૌપદીએ લોટની પુરી બનાવી અને તેને બટાકાના મસાલા સાથે પાણી સાથે પીરસી. આ યુક્તિ કામ કરી ગઈ. પાંડવોને ગોલગપ્પા ખૂબ જ પસંદ હતા અને તેમનું પેટ પણ ભરેલું હતું. કુંતી પણ આનાથી ખૂબ પ્રસન્ન થઈ. આવા ગોલગપ્પા બનાવવાનો વિચાર આવ્યો. એવું માનવામાં આવે છે કે આ રીતે પાણીપુરીની શોધ થઈ હતી.

Picture Credit: Youtube

પાણીપુરી મગધથી આવી હતી

એવું પણ માનવામાં આવે છે કે ગોલગપ્પાની ઉત્પત્તિ મગધમાંથી થઈ હતી. મગધ એ બિહારનો પ્રદેશ છે. આજે તે દક્ષિણ બિહાર તરીકે ઓળખાય છે. એવું માનવામાં આવે છે કે મગધમાં પ્રથમ વખત પાણીપુરી બનાવવામાં આવી હતી. તે સમયે કયા નામથી ઓળખાય છે તે જાણી શકાયું નથી. પરંતુ ઘણી જગ્યાએ તેના પ્રાચીન નામ ફુલકીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
g clip-path="url(#clip0_868_265)">