પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદથી ઉપડતી/ પસાર થતી 6 જોડી ટ્રેનોમાં વધારાના કોચ ઉમેરાશે

ભુજ એસી એક્સપ્રેસમાં વધારાનો એસી કોચ જોડવામાં આવશે આ ઉપરાંત પટના અને દરભંગા ક્લોન સ્પેશિયલ ટ્રેનમાં 3 ટાયર અને સ્લીપર કોચ જોડવામાં આવશે.

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદથી ઉપડતી/ પસાર થતી 6 જોડી ટ્રેનોમાં વધારાના કોચ ઉમેરાશે
Symbolic image
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: May 23, 2022 | 11:33 PM

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદથી ઉપડતી/ પસાર થતી 6 જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપે વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી મુસાફરોની સુવિધામાં વધારો થશે. ભુજ એસી એક્સપ્રેસમાં વધારાનો એસી કોચ જોડવામાં આવશે આ ઉપરાંત પટના અને દરભંગા ક્લોન સ્પેશિયલ ટ્રેનમાં 3 ટાયર અને સ્લીપર કોચ જોડવામાં આવશે.

અમદાવાદ મંડળ રેલ પ્રવક્તાના જણાવ્યા અનુસાર વધારાના કોચની વિગતો નીચે મુજબ છે

  1. ટ્રેન નંબર 22903/22904 બાંદ્રા ટર્મિનસ – ભુજ એસી એક્સપ્રેસમાં  29 મે, 2022 સુધી બાંદ્રા ટર્મિનસથી અને ભુજથી 30 મે, 2022 સુધી તાત્કાલિક અસરથી વધારા નો એક એસી 3-ટાયર કોચ  જોડવામાં આવશે.\
  2. ટ્રેન નંબર 09447/09448 અમદાવાદ-પટના ક્લોન સ્પેશિયલમાં 25 મે 2022ના રોજ અમદાવાદથી અને 27 મે 2022ના રોજ પટનાથી વધારાનો એક  એસી 3-ટાયર અને સ્લીપર ક્લાસ કોચ  જોડવામાં આવશે.
  3. ટ્રેન નંબર 09465/09466 અમદાવાદ-દરભંગા ક્લોન સ્પેશિયલમાં અમદાવાદથી તાત્કાલિક અસરથી 27 મે, 2022 સુધી અને દરભંગાથી  તાત્કાલિક અસરથી 30 મે, 2022 સુધી એક વધારાનો  એસી 3-ટાયર અને સ્લીપર ક્લાસ કોચ જોડવામાં આવશે.
  4. ટ્રેન નંબર 09037/09038 બાંદ્રા ટર્મિનસ – બાડમેર સ્પેશિયલમાં બાંદ્રા ટર્મિનસથી 03 જૂન, 2022 સુધી અને બાડમેરથી 04 જૂન, 2022 સુધી એક વધારાનો  એસી 3-ટાયર કોચ  તાત્કાલિક અસરથી જોડવામાં આવશે.
  5. નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
    ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
    પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
    મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
    30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
    વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
  6. ટ્રેન નંબર 09039/09040 બાંદ્રા ટર્મિનસ – અજમેર સુપરફાસ્ટ સ્પેશિયલમાં બાંદ્રા ટર્મિનસથી 25મી મેથી 01 જૂન, 2022 સુધી અને અજમેરથી 26મી મેથી 02 જૂન, 2022 સુધી એક વધારાના એસી 3-ટાયર જોડવામાં આવશે.
  7. ટ્રેન નંબર 22923/22924 બાંદ્રા ટર્મિનસ – જામનગર એક્સપ્રેસમાં બાંદ્રા ટર્મિનસથી 30 મે, 2022 સુધી તાત્કાલિક અસરથી અને જામનગરથી 31 મે, 2022 સુધી તાત્કાલિક અસરથી એક વધારાનો એસી 3-ટાયર કોચ જોડવામાં આવશે.

ટ્રેનોના સંચાલનના સમય, વિરામ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને માહિતી મેળવી શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">