AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : ચોમાસામાં છીંક અને ખાંસીને અલવિદા કહેવા માટે આ 5 ઘરેલું ઉપાયો અજમાવો

ચોમાસાની ઋતુ જેટલી ગરમીમાંથી સુખદ રાહત લાવે છે, તેટલી જ ભયાનક બીમારીઓ પણ લાવે છે જે તમારા સ્વાસ્થ્ય માટે ધાતક બની શકે છે.

Health Tips : ચોમાસામાં છીંક અને ખાંસીને અલવિદા કહેવા માટે આ 5 ઘરેલું ઉપાયો અજમાવો
ચોમાસામાં છીંક અને ખાંસીને અલવિદા કહેવા માટે આ 5 ઘરેલું ઉપાયો અજમાવો
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 8:00 AM
Share

Health Tips : ચોમાસાની ઋતુ (Monsoon season)માં અનેક બીમારીઓનો પણ સામનો કરવો પડે છે જે તમારા સ્વાસ્થ્ય (Health) માટે જોખમી બની શકે છે. તેથી, જ્યારે વાયુ પ્રદૂષણનું સ્તર ઉચું હોય છે, વરસાદ પડી રહ્યો છે અને રોગપ્રતિકારક શક્તિ ઘટે ત્યારે તમારા સ્વાસ્થ્ય પર હાનિકારક અસરોને કેવી રીતે અટકાવવી તે જાણવું જરૂરી છે.

તેથી ઉધરસ (Cough)અને છીંક (Sneeze)જેવા નાના લક્ષણોથી દૂર રહેવા માટે તમારી જાતને તૈયાર કરવા માટે કે જે ચોમાસા દરમિયાન કોવિડ -19 (Covid-19) નું ઘાતક સ્વરૂપ લઈ શકે છે, આ ઘરેલું ઉપાયો અજમાવો. આ ટિપ્સ અનુસરવા માટે સરળ છે અને તમારા ઘરમાં સરળતાથી ઉપલબ્ધ છે.

તમે જે પણ બનાવી રહ્યા છો તેમાં આદુના ટુકડા નાખો

આદુ (Ginger)માં એન્ટી-ઈન્ફલેમેટરી ગુણધર્મો હોય છે જે ઉબકા અને અને દુખાવામાં રાહત આપે છે. તે નાક (Nose)સાફ કરવામાં અને ઉધરસ મટાડવા માટે મદદ કરે છે.

હૂંફાળું પાણી પીવું

એક ચમચી આદુ, જીરું, વરિયાળી અને કોથમીરનું પાણી ઉકાળીને ઓફિસ (Office) અને શાળાએ લઈ જઈ દિવસભર પીવું જોઈએ.

તુલસીના પાન ખાઓ

તુલસી એક પ્રાચીન આયુર્વેદિક ઓષધિ છે જે રોગોને દૂર કરે છે. આ છોડના પાંદડાઓમાં જાદુઈ ઉપચાર ગુણધર્મો છે. તેથી દરરોજ ત્રણથી ચાર તુલસી (Tulsi)ના પાનને ખાવા જોઈએ, અથવા મધ સાથે પેસ્ટ બનાવી અને ઉધરસ અને છીંકથી રાહત માટે તેનું સેવન કરી શકાય છે.

હળદર મદદ કરે છે

હળદર આપણા રોજિંદા વપરાશમાં જોવા મળતા સૌથી વધુ ઉપયોગ થનારા મસાલાઓમાંનો એક છે. તેમાં બળતરા વિરોધી ગુણધર્મો છે તેથી તમે મધ સાથે અડધી ચમચી હળદર(Turmeric) મિક્સ કરી અને દિવસમાં બે વખત તેનું સેવન કરી શકો છો.

લીમડાના પાનનું સેવન કરો

ઉધરસ અને છીંક જેવી સમસ્યાઓ માટે લીમડો ફરી એક શ્રેષ્ઠ ઓષધિ છે. દરરોજ સવારે ખાલી પેટ 5-6 લીમડાના પાન ચાવો. લીમડો (Neem)હાનિકારક પ્રદૂષકોને શોષવામાં ખૂબ જ સારો છે. આ પદ્ધતિઓ અપનાવીને તમે આ સિઝનમાં શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓને સરળતાથી અલવિદા કહી શકો છો.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.)

આ પણ વાંચો : Lifestyle Habits : જાણો જીવનશૈલીની 5 આદતો, જે ધૂમ્રપાન જેટલી ખતરનાક સાબિત થઈ શકે છે

Follow Us
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
g clip-path="url(#clip0_868_265)">