UP Election Result : ભાજપની ઐતિહાસિક જીત, છતાં યોગી આદિત્યનાથના 11 મંત્રીઓની કારમી હાર

37 વર્ષમાં પહેલીવાર આવું થઈ રહ્યું છે જ્યારે ઉત્તર પ્રદેશની જનતાએ ફરીથી રાજ્યની કમાન સત્તાધારી પાર્ટીને સોંપી છે. આમ છતાં યોગી આદિત્યનાથ સરકારના 11 મંત્રીઓ ચૂંટણીમાં પોતાની સીટ બચાવી શક્યા નથી.

UP Election Result : ભાજપની ઐતિહાસિક જીત, છતાં યોગી આદિત્યનાથના 11 મંત્રીઓની કારમી હાર
Uttar Pradesh Ministers who lost in election
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2022 | 9:31 AM

UP Election Result : ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં (UP Assembly Election) ભારતીય જનતા પાર્ટી (BJP)ને ઐતિહાસિક જીત મળી છે. 37 વર્ષમાં પહેલીવાર આવું થઈ રહ્યું છે જ્યારે ઉત્તર પ્રદેશની જનતાએ ફરીથી રાજ્યની કમાન સત્તાધારી પાર્ટીને સોંપી છે. આમ છતાં યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) સરકારના 11 મંત્રીઓ ચૂંટણીમાં પોતાની સીટ બચાવી શક્યા નથી અને તેણે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. તેમાં આઉટગોઇંગ ડેપ્યુટી મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય (Keshav Prasad Maurya) અને મંત્રી સુરેખ રાણા જેવા મજબૂત નેતાઓનો પણ સમાવેશ થાય છે.

હારેલા મંત્રીઓમાં સૌથી મોખરે નામ કેશવ પ્રસાદ મૌર્યનું છે. મૌર્યને BJP પાર્ટીએ સિરાથુ વિધાનસભા સીટથી ઉમેદવાર બનાવ્યા હતા, પરંતુ તેઓ અહીંથી જીતી શક્યા ન હતા. તેમને સમાજવાદી પાર્ટીના ડો.પલ્લવી પટેલે હરાવ્યા હતા. પલ્લવી પટેલ સમાજવાદી પાર્ટીના સહયોગી અપના દળના ઉપાધ્યક્ષ છે. ગઠબંધનમાં તેમણે સમાજવાદી પાર્ટીમાં રહીને ચૂંટણી લડી હતી. સિરાથુમાં કેશવ પ્રસાદ મૌર્યને કુલ 98 હજાર 727 વોટ મળ્યા જ્યારે પલ્લવી પટેલને 1 લાખ 5 હજાર 568 વોટ મળ્યા અને 7337 વોટના માર્જીનથી લીડ મળી હતી.

સુરેશ રાણા અને રાજેન્દ્ર પ્રતાપ સિંહ પણ હારી ગયા

રાજ્ય મંત્રી સુરેશ રાણા પણ શામલી જિલ્લાની થાણા ભવન બેઠક પરથી ચૂંટણી જીતી શક્યા ન હતા. તેઓને જયંત ચૌધરીના રાષ્ટ્રીય લોકદળના અશરફ અલી ખાને 10,000થી વધુ મતોથી હરાવ્યા હતા. સુરેશ રાણાને 92 હજાર 472 વોટ મળ્યા જ્યારે અશરફ અલી ખાનને 1 લાખ 3 હજાર 325 વોટ મળ્યા.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

કેશવ પ્રસાદ મૌર્ય અને સુરેન રાન સિવાય ગ્રામીણ વિકાસ મંત્રી રાજેન્દ્ર પ્રતાપ સિંહ ઉર્ફે મોતી સિંહ પણ પોતાની સીટ બચાવી શક્યા નથી. રાજેન્દ્ર પ્રતાપ સિંહને પ્રતાપગઢ જિલ્લાની પટ્ટી બેઠક પરથી ભાજપે પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. અહીં તેમને સમાજવાદી પાર્ટીના રામ સિંહે 22 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. રાજેન્દ્ર સિંહને 85 હજાર 691 વોટ મળ્યા જ્યારે સપાના રામ સિંહને 1 લાખ 7 હજાર 221 વોટ મળ્યા હતા.

બલિયામાં યોગી સરકારના બે મંત્રીઓ હારી ગયા

બલિયા જિલ્લાની બૈરિયા વિધાનસભા બેઠક પરથી યોગી સરકારમાં મંત્રી રહી ચૂકેલા આનંદ સ્વરૂપ શુક્લા ચૂંટણી હારી ગયા હતા. તેમને સમાજવાદી પાર્ટીના જયપ્રકાશ આંચલે 12 હજાર 951 મતોથી હરાવ્યા હતા. શુક્લાએ ગત વખતે બલિયા સીટ પરથી ચૂંટણી લડી હતી, પરંતુ આ વખતે તેમને વર્તમાન ધારાસભ્ય સુરેન્દ્ર સિંહના સ્થાને બૈરિયા સીટથી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા.આમ ભાજપની ઐતિહાસિક જીત છતા પણ યોગી આદિત્યનાથના 11 મંત્રીઓની કારમી હાર થઈ છે.

આ પણ વાંચો : Uttar Pradesh Assembly Election: વારાણસીની તમામ આઠ બેઠક પર ભાજપ અને સહયોગીની જીત, કાશી બન્યુ ભગવામય

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">