પ્લેટફોર્મ પર પાર્ક રહેલી ટ્રેનોના દરવાજા અને બારીઓમાં કેમ લોક હોય છે ? તમને આ રેલવે નિયમ ખબર નહીં હોય
Indain Railwasy Train : રેલવે પ્લેટફોર્મ પર જ્યારે ટ્રેન ઉભી હોય છે. ત્યારે તેના દરવાજા લોક હોય છે અને બારીઓ પણ અંદરથી બંધ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે, આવું કેમ થાય છે?

ભારતીય રેલવે દરરોજ મોટી સંખ્યામાં ટ્રેનનું સંચાલન કરે છે. ત્યારે લોકો પોતાના સ્થાને પહોંચે છે. તમે પણ રેલવે સ્ટેશ પહોંચ્યા હશો. ત્યારે જોયું હશે કે, ટ્રેન જ્યારે પ્લેટફોર્મ પર ઉભી હોય છે. તો તેની બારી અને દરવાજા લોક હોય છે. પરંતુ તમે ક્યારેય વિચાર્યું કે,આવું કેમ થાય છે.સુરક્ષા સંબંધિત અનેક ઘટનાઓ બાદ રેલવેએ આ નિર્ણય લીધો છે. ચાલો અહીં તેના વિશે વધુ જાણીએ
બારી અને દરવાજાના લોકનો નિયમ શું છે?
- ભારતીય રેલવે બોર્ડ તરફથી તમામ ઝોનલ રેલવેને નિર્દેશ આપવામાં આવ્યો કે, યાર્ડ અથવા પ્લેટફોર્મ પર જે ટ્રેન ઉભી છે.
- તેના દરવાજા અને બારીઓ લોક કરવામાં આવે.
- વધુમાં, જાળવણી અથવા સ્ટેબલિંગ દરમિયાન બધા કોટનું નિયમિત નિરીક્ષણ પણ સુનિશ્ચિત કરવું.
વર્ષ 2025માં આ નિર્દેશ આવ્યા હતા
- જુલાઈ 2025માં આને લઈ આદેશ જાહેર થયો હતો
- જેમાં ટ્રેનના કોચની સુરક્ષા વ્યવસ્થા અને કડક કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
- આ પહેલા પણ આ પ્રકારના નિર્દેશ આપવામાં આવ્યા હતા
ટ્રેનને યાર્ડ અને પ્લેટફોર્મ પર પાર્ક કરતી વખતે કોચને લોક કરવા અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF), મિકેનિકલ અને ઓપરેટિંગ સ્ટાફ દ્વારા સંયુક્ત ચેકિંગ કરવા સૂચનાઓ આપવામાં આવી છે.
દરવાજા અને બારીઓ કેમ બંધ હોય છે?
રેલવે માર્ગદર્શિકા મુજબ, ટ્રેન ટર્મિનલ સ્ટેશન પર આવતાની સાથે જ કોચના દરવાજા અને બારીઓ લોક કરવાની વ્યવસ્થા કરવી આવશ્યક છે. અનધિકૃત પ્રવેશ અટકાવવા માટે યાર્ડમાં પાર્ક કરેલા બધા કોચને યોગ્ય રીતે લોક કરવામાં આવશે.
સુરક્ષા કારણોસર ટ્રેનના દરવાજા અને બારીઓ બંધ હોય છે.રેલ્વેએ સુરક્ષા સંબંધિત અનેક ઘટનાઓ બાદ આ નિર્ણય લીધો હતો.આ નિર્ણયનો હેતુ અનધિકૃત વ્યક્તિઓને ટ્રેનોમાં મુસાફરી કરતા અટકાવવા, મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા અને જોખમો ઘટાડવા અને તોડફોડ અને ચોરી જેવી ઘટનાઓને રોકવાનો પણ છે.ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે.
